ભરૂચ: લિટલ ફ્લાવર સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા નશા મુક્તિ અભિયાન રેલી યોજાઈ

 ભરૂચન લિટલ ફ્લાવર સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં લોકોને નાશ મુક્તિ માટે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update
  • નાશ મુક્તિ અભિયાન રેલી યોજાઈ

  • લિટલ ફ્લાવર સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા યોજાઈ રેલી

  • સામાજિક આગેવાનોના સહયોગથી રેલીનું કરાયું આયોજન 

  • નશાથી મુક્ત રહેવા માટે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ

  • નશાનો ત્યાગ કરીને તંદુરસ્ત જીવન જીવવાની કરાઈ અપીલ

ભરૂચન લિટલ ફ્લાવર સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં લોકોને નાશ મુક્તિ માટે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચની લિટલ ફ્લાવર સ્કૂલના વિદ્યાર્થીઓ તથા કોર્પોરેટર હેમેન્દ્ર કોઠીવાલા,સામાજિક આગેવાનો શોએબ સુજનીવાલા,અબ્દુલ કામઠી,લુકમાન એમ પટેલ સહિતના આગેવાનોના સહયોગથી નશા મુક્તિ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે હિન્દુ - મુસ્લિમ સમાજના આગેવાનોસામાજિક સંસ્થાઓનાં આગેવાનો અને સામાજિક કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાઅને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.આ રેલીમાં શાળાના વિદ્યાર્થીઓની સાથે સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાય, દેશપ્રેમના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા

New Update

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

ભાજપ દ્વારા આયોજન કરાયું

તિરંગા યાત્રાનું આયોજન

આગેવાનો અને કાર્યકરો જોડાયા

દેશભક્તિના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ સહિત પક્ષના અગ્રણીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. હાથમાં તિરંગો લહેરાવતા કાર્યકરો દેશભક્તિના સૂત્રોચ્ચાર કરતા આગળ વધતા નજરે પડ્યા હતા.ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર દેશપ્રેમનો જુસ્સો છલકાતો જોવા મળ્યો હતો. યાત્રામાં દેશભક્તિ ગીતો, સૂત્રોચ્ચારો અને તિરંગાની લહેરાટ સાથે ઉત્સાહનો માહોલ છવાયો હતો.