નાશ મુક્તિ અભિયાન રેલી યોજાઈ
લિટલ ફ્લાવર સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા યોજાઈ રેલી
સામાજિક આગેવાનોના સહયોગથી રેલીનું કરાયું આયોજન
નશાથી મુક્ત રહેવા માટે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ
નશાનો ત્યાગ કરીને તંદુરસ્ત જીવન જીવવાની કરાઈ અપીલ
ભરૂચન લિટલ ફ્લાવર સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં લોકોને નાશ મુક્તિ માટે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ભરૂચની લિટલ ફ્લાવર સ્કૂલના વિદ્યાર્થીઓ તથા કોર્પોરેટર હેમેન્દ્ર કોઠીવાલા,સામાજિક આગેવાનો શોએબ સુજનીવાલા,અબ્દુલ કામઠી,લુકમાન એમ પટેલ સહિતના આગેવાનોના સહયોગથી નશા મુક્તિ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે હિન્દુ - મુસ્લિમ સમાજના આગેવાનો, સામાજિક સંસ્થાઓનાં આગેવાનો અને સામાજિક કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.આ રેલીમાં શાળાના વિદ્યાર્થીઓની સાથે સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.