ભરૂચ:ડમ્પિંગ સાઈટના અભાવે શહેરના માર્ગો બન્યા ઉકરડા, ડોર ટુ ડોર કચરા કલેક્શન સેવા પણ બંધ !

ભરૂચ શહેરના કચરાનો નિકાલ કરવા માટે નગરપાલિકા ડમ્પિંગ સાઈટ શોધી શકતી નથી એટલે 200 ટનથી વધુ કચરાનો 5 દિવસથી નિકાલ કરી શકાયો નથી અને શહેરના ખૂણા, ચારરસ્તા જાણે ઉકરડા બની ગયા હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

New Update
  • ભરૂચ શહેરમાં કચરાની ગંભીર પરિસ્થિતિ

  • શહેરના માર્ગો બન્યા ઉકરડા

  • વિવિધ સ્થળોએ મુકવામાં આવેલ કચરા પેટી ઉભરાય

  • ડોર ટુ ડોર કચરા કલેક્શન સેવા પણ બંધ

  • સ્થાયી ડમ્પિંગ સાઈટના અભાવે સર્જાય પરિસ્થિતિ

Advertisment
ભરૂચ નગર સેવા સદનની ઘન કચરાના નિકાલની ડમ્પિંગ સાઈટનો પ્રશ્ન દિવસેને દિવસે વધુ વિકટ બનતો જઈ રહ્યો છે ત્યારે છેલ્લા પાંચ દિવસથી કચરાનો નિકાલ ન થતા શહેરના માર્ગો જાણે ઉકરડા બની ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

ભરૂચ નગર સેવાસદની ડમ્પીંગ સાઈડ નો વિવાદ હવે ગંભીર સમસ્યા આકાર લઈ રહ્યો છે નગર સેવાસદનને સ્થાયી ડમ્પીંગ સાઈડ ન મળતા હવે શહેર જ જાણે ઉકરડો બની રહ્યું છે.ભરૂચ શહેરના કચરાનો નિકાલ કરવા માટે નગરપાલિકા ડમ્પિંગ સાઈટ શોધી શકતી નથી એટલે 200 ટનથી વધુ કચરાનો 5 દિવસથી નિકાલ કરી શકાયો નથી અને શહેરના ખૂણા, ચારરસ્તા જાણે ઉકરડા બની ગયા હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

આ તરફ કચરો ઉઘરાવવા માટે ડોર ટુ ડોર  ફરતા 30 જેટલા ટેમ્પો પણ કચરાથી ભરાઈ ગયા છે એટલે ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન પણ બંધ થઈ ગયું છે. આ કારણે લોકોના ઘરની કચરા પેટીઓ પણ ઉભરાઈ ગઈ છે.પાલિકા ડમ્પિંગ સાઈટ માટે જ્યાં જગ્યા શોધે છે ત્યાં વિરોધનો સામનો કરવો પડે છે. આ કારણે પાલિકા પણ અટવાઈ છે. આ અંગે વિપક્ષ કોંગ્રેસ દ્વારા નગર સેવાસદન પર આક્ષેપ કરવામાં આવ્યા છે.

વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદે જણાવ્યું હતું કે નગરસેવા સદન દ્વારા આટલા વર્ષો બાદ પણ સ્થાયી ડમ્પિંગ સાઈટ શોધી શકાતી નથી જેના કારણે ભરૂચ શહેરમાં ઠેર ઠેર કચરાના ઢગ જોવા મળી રહ્યા છે ત્યારે આ સમસ્યાના વહેલી તકે નિરાકરણની તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે.

હાલ રોજ સરેરાશ 100 ટન કચરો અંકલેશ્વરની કંપનીમાં મોકલવામાં આવે છે. નાના ટેમ્પોને અંકલેશ્વર મોકલવામાં આવે તો ઘરે ઘરે ફરીને કચરો એકત્ર કરવાનું કામ રખડી પડે એટલે નાના ટેમ્પોમાંથી કચરો મોટાં વાહનોમાં ભરવા માટે પાલિકા એક પ્લેટફોર્મ બનાવવા જગ્યા શોધી રહી છે પરંતુ જ્યાં જગ્યા શોધે ત્યાં ડમ્પિંગ સાઈટ બની જશે તેવી ભીતિને કારણે લોકો વિરોધ કરી રહ્યા છે.
આ અંગે નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવે જણાવ્યું હતું કે આજથી ડોર ટુ ડોર સેવા ફરી શરૂ કરવામાં આવી છે એટલે આવનારા દિવસોમાં કચરાના ઢગ નહીં જોવા મળે. ડંપિંગ સાઈટના પ્રશ્ને તેઓએ લોકોને સહકાર આપવાની અપીલ કરી છે.
Advertisment
Read the Next Article

ભરૂચ: મનરેગા કૌભાંડમાં હાંસોટના 4 ગામોમાં પોલીસની તપાસ, પંચકેસ સહિતની પ્રક્રિયા પૂર્ણ કરાય

ભરૂચમાં પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે.જેમાં બે એજન્સીએ મળી 11 ગામોમાં મનરેગા હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ આચરી રૂપિયા 19.64 લાખ સરકાર પાસે વસૂલ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાય 

New Update
  • ભરૂચમાં બહાર આવ્યું મનરેગા કૌભાંડ

  • 3 તાલુકાના ગામોમાં કૌભાંડ આચરાયું

  • પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

  • ગામોમાં પંચકેસ સહિતની પ્રક્રિયા શરૂ કરાય

  • 9 પોલીસકર્મીઓનો તપાસ ટીમમાં સમાવે સમાવેશ થાય છે 

Advertisment

 

ભરૂચ જિલ્લામાં બહાર આવેલ મનરેગા કૌભાંડમાં પોલીસની ટીમ દ્વારા આજરોજ હાંસોટ તાલુકાના 4 ગામોમાં તપાસ કરી પંચકેસ સહિતની કાર્યવાહી કરી હતી ભરૂચમાં પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે.જેમાં બે એજન્સીએ મળી 11 ગામોમાં મનરેગા હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ આચરી રૂપિયા 19.64 લાખ સરકાર પાસે વસૂલ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાય  હતી.આ બે એજન્સીઓમાં વેરાવળની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એજન્સીનો સમાવેશ થાય છે. આ મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે. જેમાં 3 અધિકારીઓ અને 6 પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. આ અંગે તપાસ અધિકારી આર.એમ.વસાવાએ જણાવ્યુ હતું કે ટીમ દ્વારા આજરોજ હાંસોટ તાલુકાના સમલી, કંટીયાજાળ, બોલાવ અને સુણેવખુદ ગામમાં તપાસ કરવામાં આવી હતી.પોલીસકર્મીઓ દ્વારા પંચકેસ સહિતની કાર્યવાહી કરવામાં આવી છે.ભરૂચ જિલ્લાના કુલ 56 ગામોમાં 7.30 કરોડનું કૌભાંડ આચરાયુ હોવાની આશંકા પોલીસ ફરિયાદમાં વ્યક્ત કરવામાં આવી છે જેમાં હાંસોટ તાલુકાના સૌથી વધુ ગામોનો સમાવેશ થાય છે.

Advertisment