ભરૂચ: ઝઘડિયાની બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓ 2 દિવસથી હડતાળ પર, પગાર વધારો સહિતની માંગ

ભરૂચના ઝઘડિયા ખાતે આવેલી બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓ સતત બે દિવસથી હડતાલ પર ઉતર્યા છે પગાર વધારા સહિતની માંગો ન સ્વીકારતા કર્મચારીઓએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યુ છે.

New Update
  • ભરૂચના ઝઘડિયામાં આવેલી છે કંપની

  • બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓ હડતાળ પર

  • સતત બે દિવસથી કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા

  • પગાર વધારો સહિતની માંગ કરાય

  • કંપનીએ હડતાળને ગેરકાયદેસર ગણાવી

  • કર્મચારીઓએ લેબર કમિશનરને કરી રજૂઆત 

Advertisment

ભરૂચના ઝઘડિયા ખાતે આવેલી બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓ સતત બે દિવસથી હડતાલ પર ઉતર્યા છે પગાર વધારા સહિતની માંગો ન સ્વીકારતા કર્મચારીઓએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે.અને આ અંગે લેબર કમિશનરને રજૂઆત કરીને યોગ્ય ન્યાયની માંગ કરી છે.

ભરૂચની ઝઘડિયા ઔદ્યોગિક વસાહતમાં બ્રિટાનિયા કંપની આવેલી છે.આ કંપનીના કર્મચારીઓએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. સતત બે દિવસથી કર્મચારીઓ કંપનીના ગેટની બહાર હડતાલ પર ઉતર્યા છે.કર્મચારીઓના જણાવ્યા અનુસાર કંપની દ્વારા બ્રિટાનિયા કંપનીના જ અન્ય યુનિટ કરતા ઓછો પગાર ચૂકવવામાં આવે છે.જેના કારણે તેઓને અન્યાય થઈ રહ્યો છે.આ તરફ પગારમાં ન જેવો વધારો આપી કંપની મેનેજમેન્ટએ હડતાલ સમેટી લેવાના પ્રયાસ કર્યા હતા. જોકે કામદારોએ ન જેવા પગાર વધારાનો અસ્વીકાર કરી બીજા દિવસે પણ હડતાલ યથાવત રાખી હતી.કર્મચારીઓએ પોતાની માંગ જો સ્વીકારવામાં નહીં આવે તો ભૂખ હડતાલની પણ ચીમકી ઉચ્ચારી છે.તો આ તરફ કંપની મેનેજમેન્ટ  દ્વારા  ગેટ બહાર ધરણા પ્રદર્શનને ગેરકાયદેસર જણાવી નોટિસ પણ ચોંટાડવામાં આવી છે.ત્યારે આ મામલે કર્મચારીઓ દ્વારા તંત્રને પણ રજૂઆત કરવામાં આવી છે.

વધુમાં બ્રિટાનિયા કંપની સામે હડતાલ પર ઉતરેલા કર્મચારીઓએ ભરૂચ જિલ્લા લેબર કમિશનરને પણ રજૂઆત કરી હતી અને યોગ્ય ન્યાયની માંગ કરી હતી.

 

Advertisment
Read the Next Article

ભરૂચ : ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીમાં કોઈ બે’જવાબદાર ઉદ્યોગ દ્વારા મુક્ત કરાયું પ્રદુષિત પાણી..!

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પણ પ્રદૂષણના કહેરથી બચી શકી નથી. ભરૂચમાં ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીના પાણીને પ્રદૂષિત કરવાની ઘટના સામે આવી

New Update
  • ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીમાં ફેલાયું પ્રદૂષણ

  • નર્મદા નદીના પાણીને પ્રદૂષિત કરવાની ઘટના સામે આવી

  • અગાઉ પ્રદુષિત પાણીથી થયા હતા ગાય અને જળચરોના મોત

  • આ મામલે GPCB દ્વારા યોગ્ય તપાસની સ્થાનિકો દ્વારા માંગ

  • પ્રદુષિત પાણી છે કે કેમ તે અંગે કનેક્ટ ગુજરાત પુષ્ટિ કરતું નથી

Advertisment

ભરૂચમાં ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીના પાણીને પ્રદૂષિત કરવાની ઘટના સામે આવી છેત્યારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે.

પ્રાકૃતિક ધરોહર કહેવાતી નદીઓ જે રીતે પ્રદૂષિત થઈ રહી છેતે ચિંતાનો વિષય બન્યો છે. એક તરફ પીવાના પાણીની સમસ્યાનો સામનો અનેક વિસ્તારો કરી રહ્યા છેત્યારે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પણ પ્રદૂષણના કહેરથી બચી શકી નથી. ભરૂચમાં ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીના પાણીને પ્રદૂષિત કરવાની ઘટના સામે આવી છે. અગાઉ પણ નર્મદા નદીમાં ભળી ગયેલ કેમિકલયુક્ત પાણી પીવાથી ગાયનું મોત થયું હોવાનો પશુપાલક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.

આ તરફકેમિકલયુક્ત પાણીથી અગાઉ પણ આમલાખાડીમાં હજારો જળચરના મૃત્યુ થયા હતાત્યારે નર્મદા નદીમાં પ્રદુષણ ફેલાવવા સાથોસાથ નદીના જળચર જીવોને પણ તેની અસર થતી હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે. જોકેકોઈ બેજવાબદાર ઉદ્યોગ દ્વારા નર્મદા નદીમાં છોડવામાં આવેલ કેમિકલયુક્ત પાણી પ્રદુષિત છે કેકેમ... તેની પુષ્ટી કનેક્ટ ગુજરાત ન્યૂઝ ચેનલ કરતું નથી. પરંતુ નર્મદા નદીને પ્રદૂષિત કરનાર તત્વો સામે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી કાસિયા ગામના સ્થાનિકોએ માંગ કરી છે.

Advertisment