ભરૂચ : 108 એમ્બ્યુલન્સના ઈએમટી અને પાયલોટે સેવાની સાથે પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું, વાંચો વધુ...

ભરૂચ જિલ્લામાં ગડખોલ લોકેશનની 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાના ઈએમટી અને પાયલોટ દ્વારા પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.

New Update
aa

ભરૂચ જિલ્લામાં ગડખોલ લોકેશનની 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાના ઈએમટી અને પાયલોટ દ્વારા પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.

મળતી માહિતી અનુસારતા. 30 મે-2025ના રાત્રિના અંદાજે 12:30 કલાકે ભરૂચ જિલ્લામાં 108 ઞડખોલ લોકેશનની 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને માંડવા હાઇવે રોડ પાસે 2 ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતનો કેસ મળ્યો હતો. જેમાં ગડખોલ 108ના લોકેશન પર ફરજ બજાવતા ઈએમટી ઠાકોર ચેહરાજી અને પાયલોટ સંજય ગમીત રાત્રીના 12:30 કલાકે થોડોક પણ ટાઈમ બગાડ્યા વિના જરૂરી તૌયારી કરી તાત્કાલિક જ કેસમાં જવા માટે રવાના થયા હતા. જોકેઈમરજન્સી હોવાથી ત્યાં જઈને તપાસ કરતાં આશરે 36 વર્ષના વર્ષીય યુવકને ગંભીર ઇજાઓ થઇ હતી. જે માટે જરૂરી સારવાર આપી ઝડપથી દર્દીને 108 એમબ્યુલન્સમાં લીધા બાદ ERCP ડોક્ટરના જણાવ્યા મુજબ સારવાર આપી ભરૂચ સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા.

આ દરમ્યાન દર્દીની પાસે આશરે રોકડ રકમ 1,02,550 રૂપિયા હતા. જે ફરજ પરના ઈએમટી અને પાયલોટ દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ફરજ પર હાજર પોલીસ અધિકારીને સોંપવામાં આવ્યા હતા. આમભરૂચ જિલ્લામાં ગડખોલ લોકેશનની 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા દ્વારા ફરીથી પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.