ભરૂચ: નગરપાલિકાની ઢોર પકડનાર ટીમ દ્વારા અત્યંત ક્રૂર અત્યાચાર કરાયો, વિડીયો બહાર આવતા ખળભળાટ

ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં ઢોર ડબ્બા ગાડી લઈ પાલિકાની ટીમ હરાયા ઢોર રાતે પકડી રહી હતી ત્યારે એક આખલા પર માનવતા પણ કંપી ઉઠે તેવો અત્યાચાર કરાયો

New Update
  • ભરૂચમાં નગરપાલિકાની ટીમની ક્રૂરતા

  • રખડતા ઢોર પકડવા ગઈ હતી ટીમ

  • આખલા પર અમાનવીય અત્યાચાર કરાયો

  • ચપ્પુના ઘા અને લાકડાના સપાટા મરાયા

  • ટીમ સામે ગુનો નોંધવા જીવદયા પ્રેમીઓની માંગ

ભરૂચમાં નગરપાલિકાની રખડતા  ઢોર પકડનાર ટીમની હેવાનીયત અને અમાનવીય કૃત્યના વિડીયો સામે આવ્યા છે. ભરૂચ નગર સેવાસદન દ્વારા રસ્તે રખડતા ઢોર પકડવાની ચલાવવામાં આવી રહી છે જે અંતર્ગત શહેરના શક્તિનાથ વિસ્તારમાં ઢોર ડબ્બા ગાડી લઈ પાલિકાની ટીમ હરાયા ઢોર રાતે પકડી રહી હતી ત્યારે એક આખલા પર માનવતા પણ કંપી ઉઠે તેવો અત્યાચાર કરાયો હતો.
આખલાને શરીર પર ઠેર ઠેર ચપ્પાના ઘા મરાયા હતા. તો લાકડાના સપાટા પણ ગુપ્ત ભાગોમાં મરાયા હતા.લોહી લુહાણ આખલાની હાલત દયનિય બની હતી. આ અત્યંત ક્રૂર ઘટનાની જાણ આગેવાન સેજલ દેસાઈએ જીવદયા પ્રેમીઓને કરતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. જ્યાં ગંભીર ઘવાયેલ આખલો નજીકમાં ચપ્પુ અને લાકડાનો ટુકડો સાથે ઠેર ઠેર લોહીના ડાઘા પણ મળી આવ્યા હતા.
જીવદયા પ્રેમીઓ અને સંસ્થાઓએ આખલાને સારવાર આપ્યા બાદ આ તમામ પુરાવા વિડીયો સાથે રજૂ કર્યા હતા. જીવદયા પ્રેમીઓ દ્વારા પાલિકાના ઢોર ડબ્બા પકડનાર ટીમ, તેની સાથે જોડાયેલા અધિકારીઓ અને આ માનવતા વિહીન કૃત્ય કરનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવા જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજુઆત કરાઈ છે.
Read the Next Article

અંકલેશ્વર: રામકુંડ ખાતે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરાયુ

દર વર્ષે રામકુંડના મહંત ગંગાદાસ મહારાજ દ્વારા ટર્સ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

New Update
MixCollage-08-Jul-2025-08-38-PM-8313

દર વર્ષે રામકુંડના મહંત ગંગાદાસ મહારાજ દ્વારા ટર્સ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે.

જેના ભાગરૂપે આજે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. 
જેમાં સંતોને પ્રસાદી જમાડીતેઓને ભેટ સ્વરૂપે છત્રી આપવામાં આવી હતી. આ ભંડારાનો 350થી વધુ સાધુ સંતોએ લાભ લીધો હતો.