ભરૂચ : પરદેશીવાડ વિસ્તાર સ્થિત એકતા વિદ્યાલયમાં ધો-8માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો…

ભરૂચ શહેરના પરદેશીવાડ વિસ્તાર સ્થિત એકતા વિદ્યાલયમાં ધોરણ 8માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન શાળાની વિદ્યાર્થીની બહેનોએ સ્વાગત અને વિદાય ગીતની ભાવવિભોર ક્રુતિઓ રજુ કરી

New Update
Ekta Vidyalaya Bharuch

ભરૂચ શહેરના પરદેશીવાડ વિસ્તાર સ્થિત એકતા વિદ્યાલયમાં ધોરણ 8માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.

Advertisment

આ પ્રસંગે અંકલેશ્વરની 138 વર્ષ જુની જે.એન.પીટીટ લાઈબ્રેરીના ટ્રસ્ટી ચેતન શાહગુજરાત પુસ્તકાલય મંડળના ડિરેક્ટર દક્ષા શાહ ઉપસ્થિત રહી વિદાય લઇ રહેલ વિદ્યાર્થીઓને પુસ્તક ભેટ આપી વેકેશનમાં વાંચન કરી તે પુસ્તક વિષે અભિપ્રાય લખી મોકલવા અનુરોધ કર્યો હતો.

જેમાં સૌથી સારા 3 અભિપ્રાયને સુંદર ભેટ આપવાની જાહેરાત કરી સાથે પુસ્તક વાંચનના ફાયદા વિશે સમજ આપી હતી. ત્યારબાદ ભરૂચની શિક્ષણ ઉત્થાન અર્થે કામ કરતી સંસ્થા ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન તરફથી ઉનાળાની ગરમીમાં તરસ્યા પક્ષીઓને પાણી પીવડાવવા જેવા સેવારૂપી કાર્યના સંચાર અર્થે માટીના કુંડાનું વિતરણ કર્યું હતું.

આ પ્રસંગે એકતા એજ્યુકેશન ટ્રસ્ટના ઝૈનુદ્દિન કોન્ટ્રાક્ટરસલીમ અમદાવાદીઇલ્યાસ ધીવાલા સહિત ધી યુનાઈટેડ મુસ્લિમ એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન શાળાની વિદ્યાર્થીની બહેનોએ સ્વાગત અને વિદાય ગીતની ભાવવિભોર ક્રુતિઓ રજુ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન શાળાના આચાર્ય ફીરદોશ મેડમએ કર્યું હતું.

Advertisment
Latest Stories