ભરૂચ: હાઇટેન્શન લાઈન સામે ખેડૂતોનો વિરોધ,કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર

પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા 765 કે.વી.ની બે અને 440 કે.વી.ની બે હાઈ ટેન્શન લાઈન ઉભી કરવા માટે ખેતરોમાં આડેધડ મહાકાય ટાવરો સ્થાપવાની તૈયારીઓ સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

New Update
  • હાઈટેન્સન લાઈન સામે ખેડૂતોનો વિરોધ 

  • ભરૂચ જિલ્લાના ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ 

  • જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર

  • ગુજરાત ખેડૂત સમાજ દ્વારા કરાયો છે વિરોધ 

  • કામગીરીને રોકવા માટે કરાઈ માંગ 

Advertisment

 ભરૂચ હાઇટેન્શન લાઇનના તાનાશાહી વિરુદ્ધમાં ખેડૂત સમાજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું,અને પોતાની સમસ્યાના નિરાકરણ માટેની માંગ કરી હતી.ભરૂચ જિલ્લામાં પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા 765 કે.વી.ની બે અને 440 કે.વી.ની બે હાઈ ટેન્શન લાઈન ઉભી કરવા માટે ખેતરોમાં આડેધડ મહાકાય ટાવરો સ્થાપવાની તૈયારીઓ સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ તાનાશાહી વિરુદ્ધ "ગુજરાત ખેડૂત સમાજ" ના નેજા હેઠળ અસરગ્રસ્ત ભરૂચ અને વાગરા તાલુકાના ગામોના ખેડૂતોના આગેવાનો દ્વારા ભરૂચ કલેક્ટર કચેરીએ  આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.ખેડૂતોએ આ પ્રોજેક્ટ માટે ખેડૂત હિતોની અવગણનાને લઈને તીવ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો.આવેદનપત્ર સોંપતી વખતે જયેશ પાલરમેશ પટેલજયેશ પટેલ,નવફલ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

તેમને જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ ખેડૂતોની જમીન અને જીવન પર નકારાત્મક અસર કરશે. તેમણે પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા તાનાશાહી પૂર્વક લાદવામાં આવતી કામગીરીને રોકવા માંગ કરી હતી.

Advertisment
Read the Next Article

ભરૂચ : ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીમાં કોઈ બે’જવાબદાર ઉદ્યોગ દ્વારા મુક્ત કરાયું પ્રદુષિત પાણી..!

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પણ પ્રદૂષણના કહેરથી બચી શકી નથી. ભરૂચમાં ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીના પાણીને પ્રદૂષિત કરવાની ઘટના સામે આવી

New Update
  • ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીમાં ફેલાયું પ્રદૂષણ

  • નર્મદા નદીના પાણીને પ્રદૂષિત કરવાની ઘટના સામે આવી

  • અગાઉ પ્રદુષિત પાણીથી થયા હતા ગાય અને જળચરોના મોત

  • આ મામલે GPCB દ્વારા યોગ્ય તપાસની સ્થાનિકો દ્વારા માંગ

  • પ્રદુષિત પાણી છે કે કેમ તે અંગે કનેક્ટ ગુજરાત પુષ્ટિ કરતું નથી

Advertisment

ભરૂચમાં ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીના પાણીને પ્રદૂષિત કરવાની ઘટના સામે આવી છેત્યારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે.

પ્રાકૃતિક ધરોહર કહેવાતી નદીઓ જે રીતે પ્રદૂષિત થઈ રહી છેતે ચિંતાનો વિષય બન્યો છે. એક તરફ પીવાના પાણીની સમસ્યાનો સામનો અનેક વિસ્તારો કરી રહ્યા છેત્યારે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પણ પ્રદૂષણના કહેરથી બચી શકી નથી. ભરૂચમાં ફરી એકવાર પાવન સલિલા માઁ નર્મદા નદીના પાણીને પ્રદૂષિત કરવાની ઘટના સામે આવી છે. અગાઉ પણ નર્મદા નદીમાં ભળી ગયેલ કેમિકલયુક્ત પાણી પીવાથી ગાયનું મોત થયું હોવાનો પશુપાલક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.

આ તરફકેમિકલયુક્ત પાણીથી અગાઉ પણ આમલાખાડીમાં હજારો જળચરના મૃત્યુ થયા હતાત્યારે નર્મદા નદીમાં પ્રદુષણ ફેલાવવા સાથોસાથ નદીના જળચર જીવોને પણ તેની અસર થતી હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે. જોકેકોઈ બેજવાબદાર ઉદ્યોગ દ્વારા નર્મદા નદીમાં છોડવામાં આવેલ કેમિકલયુક્ત પાણી પ્રદુષિત છે કેકેમ... તેની પુષ્ટી કનેક્ટ ગુજરાત ન્યૂઝ ચેનલ કરતું નથી. પરંતુ નર્મદા નદીને પ્રદૂષિત કરનાર તત્વો સામે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી કાસિયા ગામના સ્થાનિકોએ માંગ કરી છે.

Advertisment