ભરૂચ: હાઇટેન્શન લાઈન સામે ખેડૂતોનો વિરોધ,કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર

પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા 765 કે.વી.ની બે અને 440 કે.વી.ની બે હાઈ ટેન્શન લાઈન ઉભી કરવા માટે ખેતરોમાં આડેધડ મહાકાય ટાવરો સ્થાપવાની તૈયારીઓ સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

New Update
  • હાઈટેન્સનલાઈન સામે ખેડૂતોનો વિરોધ

  • ભરૂચ જિલ્લાના ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ

  • જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર

  • ગુજરાત ખેડૂત સમાજ દ્વારા કરાયો છે વિરોધ

  • કામગીરીને રોકવા માટે કરાઈ માંગ

ભરૂચ હાઇટેન્શન લાઇનના તાનાશાહી વિરુદ્ધમાંખેડૂત સમાજે જિલ્લા કલેક્ટરનેઆવેદનપત્ર પાઠવ્યું હતું,અને પોતાની સમસ્યાના નિરાકરણ માટેનીમાંગ કરી હતી.ભરૂચ જિલ્લામાં પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા765 કે.વી.ની બે અને440 કે.વી.ની બે હાઈ ટેન્શન લાઈન ઉભી કરવા માટે ખેતરોમાં આડેધડ મહાકાય ટાવરો સ્થાપવાની તૈયારીઓ સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ તાનાશાહી વિરુદ્ધ "ગુજરાત ખેડૂત સમાજ" ના નેજા હેઠળ અસરગ્રસ્ત ભરૂચ અને વાગરા તાલુકાના ગામોના ખેડૂતોના આગેવાનો દ્વારા ભરૂચ કલેક્ટર કચેરીએઆવેદનપત્ર સુપ્રત કર્યું હતું.ખેડૂતોએ આ પ્રોજેક્ટ માટે ખેડૂત હિતોની અવગણનાને લઈને તીવ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો.આવેદનપત્ર સોંપતી વખતે જયેશ પાલરમેશ પટેલજયેશ પટેલ,નવફલ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

તેમને જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ ખેડૂતોની જમીન અને જીવન પર નકારાત્મક અસર કરશે. તેમણે પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા તાનાશાહી પૂર્વક લાદવામાં આવતી કામગીરીને રોકવા માંગ કરી હતી.

Read the Next Article

અંકલેશ્વર: દાઢલ ગામ નજીકથી પસાર થતી અમરાવતી ખાડીમાં ડૂબી જતાં મોત, થોડા સમય પૂર્વે પાણીમાંથી અંતિમ યાત્રા લઇ જવી પડી હતી

અંકલેશ્વરના દઢાલ ગામમાં રહેતા 32 વર્ષીય વિજય મોરાર વસાવા આજરોજ બપોરે સાગબારા ફાટકથી દઢાલ ગામમાં અમરાવતી ખાડીથી પસાર થઈ જતો હતો સમયે અચાનક તે ઊંડા પાણીમાં

New Update
cssss

અંકલેશ્વરના સાગબારા ફાટકથી દઢાલ ગામ વચ્ચે અમરાવતી ખાડીમાંથી પસાર થતા યુવાનનું ડૂબી જતાં કરુણ મોત નીપજ્યું હતું.

અંકલેશ્વરના દઢાલ ગામમાં રહેતા 32 વર્ષીય વિજય મોરાર વસાવા આજરોજ બપોરે સાગબારા ફાટકથી દઢાલ ગામમાં અમરાવતી ખાડીથી પસાર થઈ જતો હતો.તે સમયે અચાનક તે ઊંડા પાણીમાં ગરક થતા તે ડૂબી ગયો હતો.આ અંગેની જાણ ગ્રામજનો થતા તેઓએ તેની ખાડી શોધખોળ કરતા તેનો મૃતદેહ મળી આવ્યો હતો.બનાવ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છેકે વારંવાર તંત્રમાં આ સ્થળે નાળા સાથે માર્ગ બનાવવામાં આવે તે અંગે રજુઆત કરવામાં આવી છે.સાથે ટેન્ડર પણ પાસ થઈ ગયું છે પરંતુ આગળની કામગીરી ક્યાં અટવાઈ છે.તેવો કચવાટ ગ્રામજનોમાં ચાલી રહ્યો છે.