ભરૂચ: જંબુસરમાં 5 દિવસથી ભેદી પથ્થરમારાથી લોકોમાં ભય,ડ્રોનની મદદથી તપાસ શરૂ

થ્થરોના કારણે લોકોની ઊંઘ ઊડી ગઈ છે. પહેલા લાગતી અફવાં બાદમાં સ્થાનિકોના અનુભવ બાદ હકીકત થતાં ભેદી પથ્થર મારનારને શોધવા પોલીસ અને હોમગાર્ડના જવાનો પણ કામે લાગ્યા

author-image
By Connect Gujarat Desk
New Update

જંબુસરમાં ટિકળખોરનું કારસ્તાન

રાત્રીના સમયે ફેંકવામાં આવે છે પથ્થર

છેલ્લા 5 દિવસથી થાય છે ભેદી પથ્થરમારો 

પથ્થર પડવાથી લોકોમાં ભયનો માહોલ 

પોલીસ, હોમગાર્ડના જવાનો કરાયા તૈનાત

ભરૂચના જંબુસરમાં છેલ્લા પાંચ દિવસથી ભેદી પથ્થર મારો થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે પોલીસે આ વિસ્તારમાં પોલીસ જવાનો અને હોમગાર્ડ તૈનાત કર્યા છે
ભરૂચના જંબુસર નગરના મુખ્ય બજારમાં છેલ્લા 4 દિવસથી ઘરોની છત પર પડતાં પથ્થરોના કારણે લોકોની ઊંઘ ઊડી ગઈ છે. પહેલા લાગતી અફવાં બાદમાં સ્થાનિકોના અનુભવ બાદ હકીકત થતાં ભેદી પથ્થર મારનારને શોધવા પોલીસ અને હોમગાર્ડના જવાનો પણ કામે લાગ્યા છે. પોરવાડ ખડકી, શ્રાવકપોળ અને પોલીસ ગેટ વિસ્તારમાં છતો પરથી પથ્થર પડતાં હોવાનું સ્થાનિકો જાણવી રહ્યા છે. જ્યારે અનેક લોકોનું માનવું છે કે શાંતિ ડહોળવા આ કોઈ ટીખળખોરનું કામ હોય શકે છે.
ત્રણ દિવસથી પડતાં પથ્થર ની વાત વાયુવેગે નગરમાં ફેલાઈ જેથી શુક્રવાર રાત્રીના સમયે મોટી સંખ્યામાં નગરના લોકો આ વિસ્તારમાં દોડી આવ્યા હતા. જોકે સ્થાનિકોની રજૂઆત બાદ પોલીસ અને હોમગાર્ડના જવાનો દ્વારા છતો ઉપર પોઇન્ટ મૂકી અને અજાણ્યા ટીખળખોરને ઝડપી પાડવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા છે. આ સાથે ડ્રોનની મદદ લઈને અજાણ્યા ટીખળખોરનું સ્થળ જાણવા પણ પ્રયાસ કરાયા હતા. 
Read the Next Article

ભરૂચ : અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર કાર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે મોત, પોલીસે તપાસ આરંભી...

કાર ચાલકે બાઈક સવારને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક સવાર રાજુભાઈ ચખલીયા બાઈક સાથે રોડ પર ફંગોળાયા હતા, જેથી તેઓને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું

New Update
  • અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત

  • કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં એક વ્યક્તિનું મોત

  • કાર ચાલકે બાઈક સવાર યુયાવ્કને અડફેટે લેતા કરૂણ મોત

  • સ્થળ પર પરિવારના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું

  • પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ કરી 

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસારભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી ઝઘડિયાને જોડતા મુખ્ય માર્ગની કામગીરી ચાલી રહી છે. આ વચ્ચે ઉછાલી નજીક નાના પુલીયા તેમજ એપ્રોચ રોડની ચાલતી કામગીરીના પગલે માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે. એટલું જ નહીંદઢાલ બ્રિજ પર પડેલા મસમોટા ખાડા અકસ્માતનું નિમિત્ત બની રહ્યા છે.

તેવામાં આજરોજ અંકલેશ્વરના ઉછાલી ગામ નજીક ભારત પેટ્રોલિયમ પાસે ઉછાલી ગામના રણુજા ફાર્મમાં રહેતા 36 વર્ષીય શ્રમિક રાજુભાઈ ચખલીયા બાઈક પર ઉછાલી નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે દરમ્યાન કાર ચાલકે બેફિકરાઈ ભરી રીતે ખાડે ગયેલા રોડ પર પણ પૂરપાટ આવતા બાઈક સવારને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક સવાર રાજુભાઈ ચખલીયા બાઈક સાથે રોડ પર ફંગોળાયા હતાજેથી તેઓને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

બનાવની જાણ થતાં જ પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતાજ્યાં પરિવારજનો હૈયાફાટ રુદનથી વાતાવરણમાં ગમગીની છવાય હતી. ઘટના અંગે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ફરાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલેખનીય છે કેમાર્ગના નવીનીકરણ વચ્ચે વરસાદના પગલે માર્ગ વધુ બિસ્માર બન્યો છેજેથી વાહન ચાલકો ખાડામાં પટકાઈને અકસ્માતને ભેટી રહ્યા છેત્યારે મંથર ગતિએ ચાલતા રોડના નવીનીકરણ અને પુલની કામગીરીને લઇ લોકોમાં રોષ ફેલાયો છે.