ભરૂચ: ઢાલ વિસ્તારમાં આવેલ દુકાનમાં  આગ, શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નિકળી હોવાની શક્યતા

ભરૂચના ઢાલ વિસ્તારમાં આવેલી એક દુકાનમાં આજે સવારના સમયે અચાનક જ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચી આગ

New Update
ભરૂચના ઢાલ વિસ્તારનો બનાવ
દુકાન આગ ફાટી નિકળી
આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દોડધામ
ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવ્યો
સદનસીબે કોઈ જાનહાની નહીં
ભરૂચના ઢાલ વિસ્તારમાં આવેલી એક દુકાનમાં આજે સવારના સમયે અચાનક જ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો
કાળઝાળ ગરમી વચ્ચે ભરૂચમાં આગ લાગવાના બનાવમાં વધારો થઈ રહ્યો છે તાજેતરમાં જુના ભરૂચના એક વિસ્તારમાં મકાનમાં આગ ફાટી નીકળી હતી ત્યારે આજે સવારના સમયે ભરૂચના ઢાલ વિસ્તારમાં આવેલી એક દુકાનમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના પગલે દોડધામ મચી જવા પામી હતી. આ અંગેની જાણ ફાયર ફાઈટરને કરાતા ભરૂચ નગર સેવા સદનના ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ શોર્ટ સર્કિટના કારણે દુકાનમાં આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.