ભરૂચ : શક્તિનાથ વિસ્તારની ઝૂપડપટ્ટીમાં આગ ફાટી નીકળતા અફરાતફરી, ફાયર ફાઇટરો દોડ્યા, કોઈ જાનહાનિ નહીં...

શક્તિનાથ મહાદેવ મંદિર પાસે સરકારી ક્વાર્ટર નજીક ઝૂપડપટ્ટીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગના પગલે સ્થાનિકો સહિત રાહદારીઓમાં અફરાતફરી મચી જવા પામી

New Update
  • શક્તિનાથ વિસ્તારમાં ઝૂપડપટ્ટીમાં ફાટી નીકળી આગ

  • અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી

  • બનાવના પગલે પાલિકા પ્રમુખ સહિતના સભ્યો દોડી આવ્યા

  • પાલિકાના ફાયર ફાઇટરોએ સમાગ આગ ઉપર કાબૂ મેળવ્યો

  • ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ રાહત અનુભવી

ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલ ઝૂપડપટ્ટીમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. બનાવના પગલે નગરપાલિકાના ફાયર ફાઇટરોએ સ્થળ પર દોડી આવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.

મળતી માહિતી અનુસારભરૂચ શહેરના વોર્ડ નં. 3માં શક્તિનાથ મહાદેવ મંદિર પાસે સરકારી ક્વાર્ટર નજીક ઝૂપડપટ્ટીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગના પગલે સ્થાનિકો સહિત રાહદારીઓમાં અફરાતફરી મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ સહિત સ્થાનિક નગરસેવકો તેમજ ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

જ્યાં ફાયર ફાઇટરોએ 2 જેટલા ફાયર ટેન્ડરોની મદદથી પાણીનો મારો ચલાવી સમગ્ર આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. ત્યારબાદ બનાવ સ્થળ પર કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આગની ઘટનામાં 10 જેટલા ઝૂપડા બળીને ખાખ થઈ ગયા હતા.

જોકેફાયર ફાઇટરોએ આગ ઉપર કાબૂ મેળવી લેતા અન્ય 8થી વધુ ઝૂંપડાઓ આગની ઝપેટમાં આવતા બચી ગયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કેઆગની ઘટનામાં ઝૂપડામાં રહેલી તમામ ઘરવખરી બળીને ખાખ થઈ જતાં શ્રમજીવી પરિવારોના માથે દુઃખનું આભ ફાટી પડ્યું હતું.

Read the Next Article

અંકલેશ્વર : અંદાડા ખાતે સંત નિરંકારી મિશન દ્વારા મહારક્તદાન શિબિર યોજાઈ,70 જેટલા રકતદાતાઓએ કર્યું બ્લડ ડોનેટ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના પટેલ સ્મૃતિ ભવન ખાતે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દિલ્હી ઝોન દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • અંદાડામાં યોજાઈ મહારક્તદાન શિબિર

  • સંત નિરંકારી મિશન દ્વારા કરાયું આયોજન

  • રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી કરાયું આયોજન

  • 70થી વધુ રક્તદાતાઓએ કર્યું રક્તદાન  

  • સંસ્થા દ્વારા વર્ષમાં બે વખત કરાય છે આયોજન

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના પટેલ સ્મૃતિ ભવન ખાતે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દિલ્હી ઝોન દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચની રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી સંત નિરંકારી મિશનના સભ્યો દ્વારા 70થી વધુ યુનિટનું રક્તદાન કરવામાં આવ્યું હતું. આ સંસ્થા દ્વારા વર્ષમાં બે વખત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે,અને સંસ્થાના સભ્યો ઉત્સાહભેર રક્તદાન કરે છે.

આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી .જેમાં અંદાડા ગામના સરપંચ નીરૂ પટેલ ,સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન ઝોન અંકલેશ્વરના સંયોજક આર પી ગુપ્તા વડોદરાના જ્ઞાનપ્રચારક મહાત્મા ચીમન પરમાર,બબન મહાદિક ,સંત નિરંકારી મિશન અને મંડળના સભ્યો તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.