ભરૂચ: હાંસોટના દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારી કરવી માછીમારો માટે પડકાર,જીવનું જોખમ પણ ઉભું થાય છે

ભરૂચના હાંસોટના દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારી કરવા માછીમારોએ અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે જેના કારણે તેમના જીવન ધોરણ પર પણ અસર પહોંચી છે.

author-image
By Connect Gujarat Desk
New Update
ભરૂચના હાંસોટના માછીમારો મુશ્કેલીમાં
Advertisment W3.CSS
કંટીયાળજાળ સહિતના વિસ્તારોમાં થાય છે માછીમારી
દરિયો દૂર જતો રહેતા મુશ્કેલી
10-12 કી.મી.પગપાળા જવું પડે છે
માછીમારીનો પાક ઓછો આવતા આર્થિક ફટકો
ભરૂચના હાંસોટના દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારી કરવા માછીમારોએ અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે જેના કારણે તેમના જીવન ધોરણ પર પણ અસર પહોંચી છે.

ભરૂચના હાંસોટમાં દરિયા કિનારાના કંટીયાળજાળ સહિતના વિસ્તારોમાં માછીમારોને માછીમારી કરવા માટે પડકારક ઉભા થઈ રહ્યા છે.દરિયો આગળ વધી જતા માછીમારોએ 10 થી 12 કિલોમીટર સુધી પગપાળા જઈ માછીમારી કરવી પડે છે તો આ સાથે જ તેઓને ઝેરી સરીસૃપો કરડવાનો ભય પણ હંમેશા સતાવતો રહે છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી ટ્રીટમેન્ટ કરી દરિયામાં ઠલવાતા માછીમારીનો પાક ઘટયો હોવાનું માછીમારો કરી રહ્યા છે. તો આ તરફ દરિયા કિનારાના વિસ્તારોમાં વન વિભાગ દ્વારા મેંગ્રોના વૃક્ષનું મોટાપાયે વાવેતર કરવામાં આવ્યું છે જેના કારણે પણ દરિયો આગળ વધી જતા માછીમારો દૂર સુધી પહોંચી માછીમારી કરવી પડે છે.આજના મોંઘવારીના જમાનામાં મચ્છીનો પાક ઓછો આવતા માછીમારોએ જીવન નિર્વાહ કરવો મુશ્કેલ થઈ પડ્યો છે ત્યારે સરકાર દ્વારા સહાય કરવામાં આવે તેવી માછીમારો માંગ કરી રહ્યા છે

Read the Next Article

ભરૂચ : ઝઘડિયાના હરીપુરા મુખ્ય માર્ગ પર બસ સ્ટેન્ડ બનાવવા સહિત વધુ એક ST બસ ફાળવવા ગ્રામજનોની રજૂઆત...

ઝઘડીયા તાલુકાના હરીપુરા મુખ્ય માર્ગ પર બસ સ્ટેન્ડ બનાવાની ગામના જાગૃત નાગરિકો દ્વારા ભરૂચના સાંસદ મનસુખ વસાવાને મૌખિક રજૂઆત કરવામાં આવી...

New Update
  • ઝઘડિયાના હરીપુરા અને આસપાસના ગ્રામજનોને હાલાકી

  • હરીપુરા મુખ્ય માર્ગ પર બસ સ્ટેન્ડ બનાવવાની માંગ કરી

  • બહાર અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓને પણ બસની અગવડ

  • વધુ એક બસની ફાળવણી કરવાના આવે તેવી માંગ કરાય

  • જાગૃત ગ્રામજનોની સાંસદ મનસુખ વસાવાને મૌખિક રજૂઆત

Advertisment W3.CSS

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હરીપુરા મુખ્ય માર્ગ પર બસ સ્ટેન્ડ બનાવવા અને બસ માટે વિદ્યાર્થીઓને પડતી અગવડ માટે જાગૃત ગ્રામજનોએ સાંસદને મૌખિક રજૂઆત કરી હતી.

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના હરીપુરા મુખ્ય માર્ગ પર બસ સ્ટેન્ડ બનાવાની ગામના જાગૃત નાગરિકો દ્વારા ભરૂચના સાંસદ મનસુખ વસાવાને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે જ સવારે રાજપીપલાથી આવતી બસ મુસાફરોથી ભરેલી હોવાના કારણે વિદ્યાર્થીઓને ભરૂચઝઘડિયા અને રાજપારડી અભ્યાસ કરવા જવા માટે મુશ્કેલી પડે છે. જેથી બીજી બસની વ્યવસ્થા કરવા પણ રજૂઆત કરવામાં આવી હતી.

ગ્રામજનોએ જણાવ્યું હતું કેરાજપીપલાથી ભરૂચ માટે બસ તો આવે છે. પણ બસમાં વધુ મુસાફરો હોવાથી સીટ ખાલી હોતી નથી. જેથી બસ સ્ટેન્ડ પર બસને ઉભી રાખવામાં આવતી નથી. જેના કારણે રોજ અપ-ડાઉન કરતા હરીપુરારાજપરાઉચ્છબ અને રૂપાણીયા ગામ મળી 4 ગામના વિદ્યાર્થીઓને મજબૂર થઈ ખાનગી વાહનમાં મુસાફરી કરવી પડે છે. જેથી વધુ એક બસ શરૂ કરવા માટે તેમજ હરીપુરા મુખ્ય માર્ગ પર બસ સ્ટેન્ડ બનાવાની મૌખિક રજૂઆત કરવામાં આવી છે.