ભરૂચ:આજથી સરકારી કર્મચારીઓ તમારા માટે બનશે રોલ મોડેલ, કચેરીઓમાં હેલમેટ સહિત ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવાનું શરૂ

રાજ્યના પોલીસવાળાએ આપેલી સૂચનાના આધારે ભરૂચ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ પર પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવામાં આવ્યું હતું.

New Update
  • રાજ્યના પોલીસ વડાએ આપ્યો હતો આદેશ

  • સરકારી કર્મચારીઓ માટે હેલમેટ ફરજિયાત

  • ભરૂચની સરકારી કચેરીઓમાં ચેકીંગ શરૂ કરાયુ

  • પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા

  • હેલમેટ વગર કચેરીઓમાં ટુ વ્હીલચાલકોને નો એન્ટ્રી

Advertisment
રાજ્યના પોલીસવાળાએ આપેલી સૂચનાના આધારે ભરૂચ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ પર પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવામાં આવ્યું હતું.
ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકારને ટ્રાફિક નિયમોને લઈ અવાર નવાર ટકોર કરવામાં આવતી હોય છે પરંતુ ટ્રાફિક નિયમોનું પૂર્ણ પાલન થતું નથી. સરકારી કર્મચારીઓએ ટ્રાફિક નિયમોનું પાલન કરીને સામાન્ય નાગરિકો માટે રોલ મોડેલ તરીકેની ભૂમિકા ભજવે છે કે નહીં, તે સુનિશ્ચિત કરવા માટે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આજથી તમામ સરકારી કચેરીમાં ખાસ ટ્રાફિક ડ્રાઇવ શરૂ કરવા સૂચના આપી હતી જે અંતર્ગત ભરૂચ પોલીસ એક્શનમાં આવી હતી. ભરૂચ પોલીસ દ્વારા આજરોજ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ પર પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા અને ચેકીંગ શરૂ કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા કોર્ટ સંકુલ,કલેક્ટર કચેરી અને મામલતદાર કચેરી સહિતના સરકારી સંકુલોમાં ટુ વહીલ ચાલકોને હેલ્મેટ વગર એન્ટ્રી આપવામાં આવી ન હતી અને સાથે જ દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી હતી હેલ્મેટ ન પહેરવાના કારણે અકસ્માતના બનાવોમાં મૃત્યુની સંભાવના વધી જતી હોય છે જેના પગલે ગુજરાત હાઇકોર્ટ અને ત્યારબાદ રાજ્યના પોલીસવડા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે જેનો અમલ કરાવવા માટે પોલીસ વિભાગે કમરકસી છે.
આ તરફ અંકલેશ્વરની વિવિધ સરકારી કચેરીઓમાં પણ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા અને સરકારી કચેરીઓમાં આવતા કર્મચારીઓ તેમજ અરજદારોને ટ્રાફિકનું નિયમોનું પાલન કરવા માટે સમજાવવામાં આવ્યા હતા. હેલ્મેટ ન પહેરનાર ટુવ્હીલ ચાલકો પાસેથી દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર મામલતદાર કચેરી,કોર્ટ તેમજ પોલીસ સ્ટેશન સહિતના વિભાગોમાં આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું
Advertisment
સરકાર દ્વારા ટ્રાફિકના નિયમો અંગે લેવામાં આવેલા આ નિર્ણયને વાહનચાલકો પણ આવકારી રહ્યા છે. વાહન ચાલકોએ જણાવ્યું હતું કે હેલ્મેટ અંગેનો નિયમ માત્ર સરકારી કચેરીઓ પૂરતો નહીં પરંતુ દરેક જગ્યાએ હેલ્મેટ ફરજિયાત પહેરવું જોઈએ તો હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકો પોતાની ભૂલ પણ સ્વિકારી રહ્યા છે
Advertisment
Read the Next Article

અંકલેશ્વર : સ્માર્ટ મીટર લગાવ્યા બાદ DGVCL’એ રૂ. 6.29 લાખ બિલ પકડાવતા વીજ ગ્રાહકમાં આક્રોશ..!

DGVCL દ્વારા વીજ ગ્રાહકને મોબાઈલમાં મેસેજ મારફતે જે બિલ મોકલવામાં આવ્યું હતું. તે બિલની રકમ રૂ. 6.29 લાખ જોતાં જ મકાન માલિકના હોશ ઉડી ગયા....

New Update
  • ગુજરાતમાં DGVCL દ્વારા સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી

  • સ્માર્ટ મીટર સામે વિરોધના વંટોળ વચ્ચે વધુ એક ઘટના

  • રૂ. 6.29 લાખ વીજબિલ આવતા જ વીજ ગ્રાહકના હોશ ઉડ્યા

  • DGVCL કચેરીએ રજૂઆત કરતાં વીજ ગ્રાહકને કડવો અનુભવ

  • બિલ સિસ્ટમ દ્વારા બન્યું છેઅમારી કોઈ ભૂલ નથી : કર્મચારી 

Advertisment

ગુજરાત રાજ્યમાં DGVCL દ્વારા સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી સામે વિરોધના વંટોળ વચ્ચે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાંથી વધુ વીજબિલ આવ્યું હોવાનો ચોંકાવાનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

 મળતી માહિતી અનુસારઅંક્લેશ્વર શહેરના સી માસ્ટર કમ્પાઉન્ડમાં રહેતા અને સામાન્ય પરિવારના પટેલ ઝુલેખા મોહમ્મદના મકાનમાં દક્ષિણ ગુજરાત વીજ નિગમ દ્વારા સ્માર્ટ મીટર બેસાડવામાં આવ્યું હતું. જોકેગતરોજ રાત્રીના સમયે DGVCL દ્વારા વીજ ગ્રાહકને મોબાઈલમાં મેસેજ મારફતે જે બિલ મોકલવામાં આવ્યું હતું. તે બિલની રકમ રૂ. 6.29 લાખ જોતાં જ મકાન માલિકના હોશ ઉડી ગયા હતા.

મકાન માલિકે જણાવ્યુ હતું કેઆટલી મોટી રકમ જોઈને મને એકદમ જ જણજણાટી પહોંચી હતી. ત્યારબાદ આજરોજ સવારે દક્ષિણ ગુજરાત વીજ નિગમ લિમિટેડની નવી કચેરી ખાતે પહોંચી આ મામલે રજૂઆત કરતા મહિલા અધિકારીએ જણાવ્યું હતું કેઆ બિલ સિસ્ટમ દ્વારા બનાવવામાં આવ્યું છેઅમારી કોઈ ભૂલ નથી. પરંતુ સિસ્ટમની ભૂલના કારણે આટલું મોટું બિલ સામાન્ય માણસને આવતા જ પ્રશ્નો ઉભો થાય છે કેસિસ્ટમ કામ કરે છે કેમાનવી કામ કરે છે. સમગ્ર ગુજરાતમાં સ્માર્ટ મીટરનો વિરોધ જોવા મળી રહ્યો છે. જે સંદર્ભમાં વધુ એકવાર આટલું મોટું બિલ આવતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. જોકે, DGVCLની આવી ગંભીર ભૂલના કારણે માનવીય જીવન ઉપર ગંભીર અસર પહોંચી શકે છે.

Advertisment