ભરૂચ:આજથી સરકારી કર્મચારીઓ તમારા માટે બનશે રોલ મોડેલ, કચેરીઓમાં હેલમેટ સહિત ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવાનું શરૂ

રાજ્યના પોલીસવાળાએ આપેલી સૂચનાના આધારે ભરૂચ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ પર પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવામાં આવ્યું હતું.

New Update
  • રાજ્યના પોલીસ વડાએ આપ્યો હતો આદેશ

  • સરકારી કર્મચારીઓ માટે હેલમેટ ફરજિયાત

  • ભરૂચની સરકારી કચેરીઓમાં ચેકીંગ શરૂ કરાયુ

  • પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા

  • હેલમેટ વગર કચેરીઓમાં ટુ વ્હીલચાલકોને નો એન્ટ્રી

રાજ્યના પોલીસવાળાએ આપેલી સૂચનાના આધારે ભરૂચ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ પર પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવામાં આવ્યું હતું.
ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકારને ટ્રાફિક નિયમોને લઈ અવાર નવાર ટકોર કરવામાં આવતી હોય છે પરંતુ ટ્રાફિક નિયમોનું પૂર્ણ પાલન થતું નથી. સરકારી કર્મચારીઓએ ટ્રાફિક નિયમોનું પાલન કરીને સામાન્ય નાગરિકો માટે રોલ મોડેલ તરીકેની ભૂમિકા ભજવે છે કે નહીં, તે સુનિશ્ચિત કરવા માટે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આજથી તમામ સરકારી કચેરીમાં ખાસ ટ્રાફિક ડ્રાઇવ શરૂ કરવા સૂચના આપી હતી જે અંતર્ગત ભરૂચ પોલીસ એક્શનમાં આવી હતી. ભરૂચ પોલીસ દ્વારા આજરોજ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ પર પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા અને ચેકીંગ શરૂ કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા કોર્ટ સંકુલ,કલેક્ટર કચેરી અને મામલતદાર કચેરી સહિતના સરકારી સંકુલોમાં ટુ વહીલ ચાલકોને હેલ્મેટ વગર એન્ટ્રી આપવામાં આવી ન હતી અને સાથે જ દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી હતી હેલ્મેટ ન પહેરવાના કારણે અકસ્માતના બનાવોમાં મૃત્યુની સંભાવના વધી જતી હોય છે જેના પગલે ગુજરાત હાઇકોર્ટ અને ત્યારબાદ રાજ્યના પોલીસવડા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે જેનો અમલ કરાવવા માટે પોલીસ વિભાગે કમરકસી છે.
આ તરફ અંકલેશ્વરની વિવિધ સરકારી કચેરીઓમાં પણ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા અને સરકારી કચેરીઓમાં આવતા કર્મચારીઓ તેમજ અરજદારોને ટ્રાફિકનું નિયમોનું પાલન કરવા માટે સમજાવવામાં આવ્યા હતા. હેલ્મેટ ન પહેરનાર ટુવ્હીલ ચાલકો પાસેથી દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર મામલતદાર કચેરી,કોર્ટ તેમજ પોલીસ સ્ટેશન સહિતના વિભાગોમાં આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું
સરકાર દ્વારા ટ્રાફિકના નિયમો અંગે લેવામાં આવેલા આ નિર્ણયને વાહનચાલકો પણ આવકારી રહ્યા છે. વાહન ચાલકોએ જણાવ્યું હતું કે હેલ્મેટ અંગેનો નિયમ માત્ર સરકારી કચેરીઓ પૂરતો નહીં પરંતુ દરેક જગ્યાએ હેલ્મેટ ફરજિયાત પહેરવું જોઈએ તો હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકો પોતાની ભૂલ પણ સ્વિકારી રહ્યા છે
Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.