ભરૂચ: મહંમદપુરા વિસ્તારમાં બકરી ઇદ નિમિત્તે બકરા બજાર ધમધમ્યુ, 1 લાખ સુધીના બકરાનું વેચાણ

સમગ્ર વિશ્વમાં મુસ્લિમ બિરાદરોમાં બકરા ઈદનું મહત્વ અનેરુ રહ્યું છે અને આ દિવસે પોતાની મનપસંદ વસ્તુ અલ્લાહની રાહમાં કુરબાન કરવાની પરંપરા રહી છે ત્યારે ભરૂચમાં બકરા બજારમાં ચહલ પહલ જોવા મળી રહી છે

New Update

સમગ્ર વિશ્વમાં મુસ્લિમ બિરાદરોમાં બકરા ઈદનું મહત્વ અનેરુ રહ્યું છે અને આ દિવસે પોતાની મનપસંદ વસ્તુ અલ્લાહની રાહમાં કુરબાન કરવાની પરંપરા રહી છે ત્યારે ભરૂચમાં બકરા બજારમાં ચહલ પહલ જોવા મળી રહી છે

બકરા ઈદનું  મુસ્લિમ બિરાદરોમાં ઘણું મહત્વ રહ્યું છે બકરા ઈદના દિવસે  પશુઓની કુરબાની અપાય છે ત્યારે ભરૂચમાં મુસ્લિમ બિરાદરો કુરબાનીના પશુઓને બે વર્ષ અઢી વર્ષ સુધી પોતાના ઘરમાં  પરિવારના સભ્યોની માફક પાલન પોષણ કરે છે અને અલ્લાહની રાહમાં પરિવારના સભ્યોની માફક ઉછેર કરેલા ઘેટા બકરા અને પાડાની બકરા ઈદના દિવસે કુરબાની આપી અલ્લાહની ઈબાદત કરતા હોય છે.

ભરૂચ શહેરમાં મહંમદપુરા ખાતે બકરા બજાર ભરાતું આવ્યુ છે જ્યાં રૂપિયા 10,000 થી 1,00,000 સુધીના બકરાની ખરીદી માટે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટતા હોય છે.

Read the Next Article

અંકલેશ્વર : અંદાડા નજીક ગૌચરણમાં બનેલા RCC રોડ સહિતના ગેરકાયદે દબાણો દૂર કરવા સ્થાનિકોની માંગ...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ નજીક ગૌચરણમાં પાકા રસ્તાઓ સહિતના અન્ય દબાણો દૂર કરવાની માંગ સાથે સ્થાનિકો સહિત માલધારી સમાજએ વિરોધ નોંધાવ્યો હતો.

New Update
  • અંદાડા ગામ નજીક ગૌચરણમાં થયેલા દબાણનો મામલો

  • RCC પાકા રસ્તાઓ સહિતના અન્ય દબાણો ઊભા કરાયા

  • સ્થાનિકો સહિત માલધારી સમાજ દ્વારા વિરોધ નોંધાવાયો

  • ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે સ્થાનિકોએ માંગ કરી

  • નોટીસની અવગણના કરી બિલ્ડરોની મનમાની : સ્થાનિક

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ નજીક ગૌચરણમાં પાકા રસ્તાઓ સહિતના અન્ય દબાણો દૂર કરવાની માંગ સાથે સ્થાનિકો સહિત માલધારી સમાજએ વિરોધ નોંધાવ્યો હતો.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામને નેશનલ હાઈવે સાથે જોડતા માર્ગને અડીને આવેલ ગૌચરણમાં છેલ્લા ઘણા સમયથી પાકા રસ્તાઓ તેમજ અન્ય દબાણો ઉભા કરવામાં આવ્યા છે. અંદાડા ગ્રામ પંચાયત હસ્તકના સરકારી ગૌચરમાં કેટલાંક બિલ્ડરો દ્વારા પોતે બનાવેલ સોસાયટીમાં જવા-આવવા માટેના પાકા RCC રસ્તો બનાવી દેવામાં આવ્યો છે. એટલું જ નહીંબિલ્ડરો દ્વારા કેટલાંક અન્ય પ્રકારના દબાણો ઉભા કરી સરકારી ગૌચારણમાં ગેરકાયદેસર કબજા ટક કરી બેઠા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કેઅંદાડા ગામને નેશનલ હાઈવે સાથે જોડતા માર્ગને અડીને આવેલ ગૌચરણમાં હાલમાં બની રહેલ પાકા RCC રસ્તાના કામને તાત્કાલિક અસરથી રોકી દેવા ગ્રામ પંચાયત દ્વારા નોટીસ આપવામાં આવી હતી. તેમ છતાં નોટીસની અવગણના કરીને બિલ્ડરો દ્વારા કામ ચાલુ રાખવામાં આવ્યું છેત્યારે ગુજરાત સરકારના ગૌચર અધિનિયમ અને જોગવાઈઓને ધ્યાનમાં લઈ અંદાડા ગ્રામ પંચાયતના સત્તા ક્ષેત્રમાં આવેલ ગૌચરમાં બિલ્ડરો દ્વારા જેટલા પણ પાકા RCC રસ્તાઓ સહિત દબાણ કરવામાં આવ્યું છે. જેને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ ઉઠી છે.