ભરૂચ: મહંમદપુરા વિસ્તારમાં બકરી ઇદ નિમિત્તે બકરા બજાર ધમધમ્યુ, 1 લાખ સુધીના બકરાનું વેચાણ

સમગ્ર વિશ્વમાં મુસ્લિમ બિરાદરોમાં બકરા ઈદનું મહત્વ અનેરુ રહ્યું છે અને આ દિવસે પોતાની મનપસંદ વસ્તુ અલ્લાહની રાહમાં કુરબાન કરવાની પરંપરા રહી છે ત્યારે ભરૂચમાં બકરા બજારમાં ચહલ પહલ જોવા મળી રહી છે

New Update

સમગ્ર વિશ્વમાં મુસ્લિમ બિરાદરોમાં બકરા ઈદનું મહત્વ અનેરુ રહ્યું છે અને આ દિવસે પોતાની મનપસંદ વસ્તુ અલ્લાહની રાહમાં કુરબાન કરવાની પરંપરા રહી છે ત્યારે ભરૂચમાં બકરા બજારમાં ચહલ પહલ જોવા મળી રહી છે

બકરા ઈદનું  મુસ્લિમ બિરાદરોમાં ઘણું મહત્વ રહ્યું છે બકરા ઈદના દિવસે  પશુઓની કુરબાની અપાય છે ત્યારે ભરૂચમાં મુસ્લિમ બિરાદરો કુરબાનીના પશુઓને બે વર્ષ અઢી વર્ષ સુધી પોતાના ઘરમાં  પરિવારના સભ્યોની માફક પાલન પોષણ કરે છે અને અલ્લાહની રાહમાં પરિવારના સભ્યોની માફક ઉછેર કરેલા ઘેટા બકરા અને પાડાની બકરા ઈદના દિવસે કુરબાની આપી અલ્લાહની ઈબાદત કરતા હોય છે.

ભરૂચ શહેરમાં મહંમદપુરા ખાતે બકરા બજાર ભરાતું આવ્યુ છે જ્યાં રૂપિયા 10,000 થી 1,00,000 સુધીના બકરાની ખરીદી માટે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટતા હોય છે.

Read the Next Article

ભરૂચ: શેરબજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચે 15 લોકો સાથે રૂ.1.59 કરોડની ઠગાઈ, એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના કર્મકાંડી ભુદેવ સહિત 15 લોકો સાથે શેર બજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચ આપી ભેજાબાજે રૂ. રૂ.1.59 કરોડની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ

New Update
  • ભરૂચમાં ચકચારી મામલો પ્રકાશમાં આવ્યો

  • 15 લોકો સાથે આચરવામાં આવી ઠગાઈ

  • શેરબજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચે ઠગાઈ

  • રૂ.1.59 કરોડની ઠગાઈ આચરવામાં આવી

  • ઠગ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ

ભરૂચના નંદેલાવ રોડ આશીર્વાદ બંગલોઝમાં રહેતા કર્મકાંડી ભુદેવ સહિત 15 લોકો સાથે શેર બજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચ આપી ભેજાબાજે રૂ. રૂ.1.59 કરોડની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ભરૂચના નંદેલાવ રોડ આશીર્વાદ બંગલોઝમાં રહેતા અને કર્મકાંડ તેમજ ખેતી કરતા ચેતનકુમાર ગણપતરામ પુરોહિતનો ચાર વર્ષ પહેલાં ભરૂચના નિપન નગરમાં રહેતા રાહુલ અરવિંદ પંચાલ સાથે પરિચય થયો હતો. ચેતને પોતે મુંબઈની આઈ.આઈ એફ.એલ.નામની કંપનીમાં શેર બ્રોકર કામ તરીકે કામ કરતો હોવાનું જણાવ્યું તેમજ વધુ વળતર આપવાની ચેતનકુમારને લાલચ આપી હતી.વધુ વળતરની લાલચે ચેતન પુરોહિત અને અન્ય 15 જેટલા લોકોએ રાહુલ પંચાલને રૂ.1.59 કરોડ આપ્યા હતા.
શરૂઆતમાં રાહુલ વિશ્વાસ કેળવવા કેટલાક રૂપિયા વળતર પેટે પરત પણ આપ્યા હતા જોનકે બાદમાં તેણે રૂપિયા ચુકાવવાનું બંધ કરી દીધું હતું જેને પગલે ભેજાબાજ વિરુદ્ધ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.પોલીસે આ મામલે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.