ભરૂચ: સરકારે જમીનોના ભાવ 48 પૈસા જાહેર કર્યા, ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો

ભાડભૂત બેરેજમાં ડૂબમાં ગયેલી જમીનના પ્રતિ ચોરસ ફૂટ 48 પૈસા અને ઉપજાઉ જમીનના 3.60 રૂપિયા ભાવ સાથેની એવૉર્ડમની જાહેર થતાં ખેડૂતોનો રોષ જોવા મળ્યો

New Update
  • ભરૂચમાં ખેડૂતોનો વિરોધ

  • સરકારની જમીન સંપાદન નીતિનો વિરોધ

  • સરકારે જમીનનો ભાવ 48 પૈસા જાહેર કર્યો

  • કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

  • ખેડૂત સમન્વય સમિતિના નેજા હેઠળ રજુઆત

ખેડૂત સમન્વય સમિતિ દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જમીન સંપાદનના સરકાર દ્વારા જાહેર કરાયેલ ભાવોનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
નર્મદા નદી પર ભાડભુત પાસે બની રહેલા બેરેજની સાથે ભરૂચ અને અંકલેશ્વર તરફના છેડા પર પાળા બનાવવામાં આવશે. આ પાળા સહિતની કામગીરી માટે જમીન સંપાદિત કરાઈ રહી છે. જમીનના બદલામાં યોગ્ય વળતર મળતું ન હોવાના આક્ષેપ સાથે ખેડૂતો દ્વારા આજરોજ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું જેમાં જણાવ્યા અનુસાર જમીન સંપાદન અધિકારીએ ધંતુરીયા અને તરિયા ગામના જમીનના ભાવ એવૉર્ડ મની જાહેર કરતાં ખેડૂતોમાં રોષ ફેલાયો છે.
ભાડભૂત બેરેજમાં ડૂબમાં ગયેલી જમીનના પ્રતિ ચોરસ ફૂટ 48 પૈસા અને ઉપજાઉ જમીનના 3.60 રૂપિયા ભાવ સાથેની એવૉર્ડમની જાહેર થતાં ખેડૂતોનો રોષ જોવા મળી રહ્યો છે અને ભાડભુત બેરેજ માટે 1 ઈંચ જમીન પણ ન આપવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે.ખેડૂતોએ જણાવ્યું હતું કે એક વીઘા જમીનમાં વાર્ષિક 2.50 લાખથી 3 લાખ ઊપજ મેળવે છે ત્યારે આ એવોર્ડ મળીને ખેડૂતોએ તેમની મશ્કરી ગણાવી છે.
Read the Next Article

ભરૂચ-દહેજ રોડ પર ભારે વાહનોના પસાર થવા પર પ્રતિબંધનું તંત્રનું જાહેરનામું, 15 દિવસ સુધી અમલીકરણ

ભરૂચ-દહેજ રોડ પર ભોલાવ જંકશનથી શ્રવણ જંક્શન સુધી 6 લેન એલિવેટેડ કોરીડોરનું બાંધકામ ચાલી રહયું હોવાથી ભારદારી વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

New Update
images (3)

ભરૂચ-દહેજ રોડ પર ભોલાવ જંકશનથી શ્રવણ જંક્શન સુધી 6 લેન એલિવેટેડ કોરીડોરનું બાંધકામ ચાલી રહયું હોવાથી ભારદારી વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

28મી જૂનથી 13મી જૂલાઇ એટલે કે 15 દિવસ સુધી જાહેરનામુ અમલમાં રહેશે. આ દિવસો દરમિયાન સવારના 5 થી રાત્રિના 9 વાગ્યા સુધી ભારદારી વાહનોએ ડાયવર્ઝન રૂટ પરથી પસાર થવાનું રહેશે. આ જાહેરનામામાંથી એસ.ટી.બસ, કંપની પેસેન્જર બસ. સ્કુલ બસ, દુધનાં વાહનો, શાકભાજીનાં વાહનો, જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લઈ જતા—આવતા વાહનો તથા જી.જે.16નંબર પ્લેટ ધરાવતા ભારે વાહનો તથા નર્મદા ચોકડીથી ભોલાવ જી.આઈ.ડી.સી. તથા ભોલાવ જી.આઈ.ડી.સી થી નર્મદા ચોકડી સુધી ભારે વાહનો ગુડ્ઝ કેરેજ વાહનો સિવાયનાં વાહનો નર્મદા ચોકડીથી દહેગામ બાયપાસ સુધી તથા દહેગામ બાયપાસથી નર્મદા ચોકડી સુધી સવારના 5 કલાકથી રાત્રિનાં 9 કલાક સુધી આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે. દહેજથી વડોદરા તરફ જવા-આવવા માટે રૂટ ડાયવર્ઝન રૂટ દહેજ ટાઉન, આમોદ ચોકડી, કડોદરા ચોકડી, મુલેર ચોકડી, આમોદ, સરભાણ ચોકડી નકકી કરાયો છે. જયારે દહેજથી સુરત તરફ જવા-આવવા માટે રૂટ ડાયવર્ઝન રૂટ દહેજ, રહીયાદ, પખાજણ, વાગરા, વિલાયત, દેરોલ, દયાદરા, નબીપુર રાખવામાં આવ્યો છે. વિલાયતથી વડોદરા અને સુરત તરફ જવા-આવવા માટે વિલાયત ચોકડી, દેરોલ, દયાદરા, નબીપુરના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.