ભરુચ : મોઢેશ્વરી માતાના રજત જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી,શોભાયાત્રા બની આકર્ષણનું કેન્દ્ર

ભરૂચના લિંક રોડ પર આવેલા શ્રી ભૃગુપુર મોઢ મોદી સમાજના કુળદેવી શ્રી મોઢેશ્વરી માતાના 25માં પાટોત્સવની ભવ્ય ઉજવણી નિમિત્તે શોભાયાત્રા સહિતના વિવિધ

New Update

શ્રી મોઢેશ્વરી માતાના 25માં પાટોત્સવની ઉજવણી

શ્રી મોઢેશ્વરી સોશિયલ ગ્રુપ દ્વારા યોજાઈ શોભાયાત્રા

શોભાયાત્રાએ લોકોમાં જમાવ્યું આકર્ષણ

વિવિધ કલાકૃતિઓએ સૌના મન મોહી લીધા

મોઢ ઘાંચી સમાજના અગ્રણીઓ મોટી સંખ્યમાં રહ્યા ઉપસ્થિત

ભરૂચના લિંક રોડ પર આવેલા શ્રી ભૃગુપુર મોઢ મોદી સમાજના કુળદેવી શ્રી મોઢેશ્વરી માતાના 25માં પાટોત્સવની ભવ્ય ઉજવણી નિમિત્તે શોભાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.મોઢેશ્વરી રજતજયંતી વર્ષની ઉજવણી નિમિતે શ્રી મોઢેશ્વરી સોશિયલ ગ્રુપ દ્વારા ભરુચના હિતેશ નગરથી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી.જે  સિવિલ રોડ અને શક્તિનાથ થઈને શ્રી નારાયણ બાપુના આશ્રમ ખાતે પહોંચી હતી.

શોભાયાત્રામાં શ્રી મોઢેશ્વરી માતાજીની નૂતન મૂર્તિ,મહાકાલ ઝાંખી તેમજ  અનોખી કલાકૃતિઓએ ભારે આકર્ષણ જમાવ્યું હતું.શોભાયાત્રામાં મોઢ ઘાંચી સમાજના અગ્રણીઓ સહિત પરિવારજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.