ભરૂચ : રામનવમી નિમિત્તે સોનેરી મહેલથી ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન, VHP-બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનો ઉપસ્થિત રહ્યા

ભરૂચ શહેરના સોનેરી મહેલ ખાતે રામનવમી નિમિત્તે ભગવાન શ્રી રામની આરતી ઉતારી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. જેમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિત હિન્દુ સંગઠનોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

New Update
  • શ્રીરામ મહોત્સવની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી

  • ભક્તિભેર માહોલમાં શ્રી રામલલ્લાની આરતી યોજાય

  • રામનવમી નિમિત્તે સોનેરી મહેલથી શોભાયાત્રા નીકળી

  • VHP, બજરંગ દળ સહિત હિન્દુ સંગઠનો રહ્યા ઉપસ્થિત

  • શહેરના વિવિધ રાજમાર્ગો રામલલ્લાના નામથી ગુંજ્યા

ભરૂચ શહેરના સોનેરી મહેલ ખાતે રામનવમી નિમિત્તે ભગવાન શ્રી રામની આરતી ઉતારી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. જેમાં વિશ્વ હિન્દુ પરિષદબજરંગ દળ સહિત હિન્દુ સંગઠનોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આજરોજ ચૈત્ર સુદ નોમ રામનવમીના પાવન પર્વ નિમિત્તે ભરૂચ શહેરના સોનેરી મહેલ વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદબજરંગ દળરાજકીય તેમજ અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તિસભર માહોલમાં ભગવાન શ્રી રામની આરતી ઉતારી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. આ શોભાયાત્રા સોનેરી મહેલથી નીકળી વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ ખત્રીવાડ સ્થિત કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે સમાપન થઈ હતી.

 શોભાયાત્રા દરમ્યાન જય જય શ્રી રામના જયઘોષ સાથે ભરૂચ શહેરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીત્રિગુણાતીત ધ્યાન સેવા આશ્રમ-કડાણાના મહંત 1008 સ્વામી લોકેશાનંદજીમુક્તેશ્વરાનંદ સ્વામિજીશ્રી રામપરાયણ મંદિરનડિયાદના રામદાસજી સ્વામી કોઠારીભરૂચ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયામહામંત્રી નિરલ પટેલશ્રી રામ ઉત્સવ સમિતિના સભ્ય હેમંત જાદવહિતેશ પટેલગૌરાંગ રાણા સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

Read the Next Article

ભરૂચ: વાલિયાના 2 ગામોમાં સરકારી જમીન પર કરાયેલ દબાણો હટાવવામાં આવ્યા

ભરૂચના વાલિયા તાલુકાના ધોળગામ-આમલા ગભાણમાં સરકારી જમીનમાં દબાણ કરનાર દબાણકર્તાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

New Update
  • ભરૂચના વાલિયામાં કાર્યવાહી

  • 2 ગામોમાં સરકારી જમીન પર કરાયા હતા દબાણ

  • દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરાય

  • અગાઉ પાઠવવામાં આવી હતી નોટીસ

  • અધિકારીઓ રહ્યા હાજર

ભરૂચના વાલિયા તાલુકાના ધોળગામ-આમલા ગભાણમાં સરકારી જમીનમાં દબાણ કરનાર દબાણકર્તાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
ભરૂચના વાલિયા તાલુકાના ધોળગામ ગ્રામ પંચાયતમાં આવેલ ધોળગામ અને આમલા ગભાણ ગામે સરકારી ગૌચરણ અને ગામ તળમાં કેટલાક ઈસમોએ દબાણ કરતા ગ્રામ પંચાયત દ્વારા ત્રણ ત્રણ નોટિસ આપ્યા બાદ પણ દબાણકર્તાઓ દબાણો સ્વૈચ્છિક રીતે દૂર નહીં કરતા આજરોજ તલાટી,સહિતના અધિકારીઓ સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.તે દરમિયાન આમલા ગભાણ ગામે ત્રણ દબાણકર્તાઓએ દબાણ હટાવવા મુદ્દત માગતા તેઓને ગ્રામ પંચાયત દ્વારા મુદ્દત આપવામાં આવી હતી.જ્યારે ધોળગામના ત્રણ રસ્તાથી ગામના છેડા સુધીના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.