ભરૂચ : રામનવમી નિમિત્તે સોનેરી મહેલથી ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન, VHP-બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનો ઉપસ્થિત રહ્યા

ભરૂચ શહેરના સોનેરી મહેલ ખાતે રામનવમી નિમિત્તે ભગવાન શ્રી રામની આરતી ઉતારી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. જેમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિત હિન્દુ સંગઠનોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

New Update
  • શ્રીરામ મહોત્સવની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી

  • ભક્તિભેર માહોલમાં શ્રી રામલલ્લાની આરતી યોજાય

  • રામનવમી નિમિત્તે સોનેરી મહેલથી શોભાયાત્રા નીકળી

  • VHP, બજરંગ દળ સહિત હિન્દુ સંગઠનો રહ્યા ઉપસ્થિત

  • શહેરના વિવિધ રાજમાર્ગો રામલલ્લાના નામથી ગુંજ્યા

ભરૂચ શહેરના સોનેરી મહેલ ખાતે રામનવમી નિમિત્તે ભગવાન શ્રી રામની આરતી ઉતારી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. જેમાં વિશ્વ હિન્દુ પરિષદબજરંગ દળ સહિત હિન્દુ સંગઠનોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આજરોજ ચૈત્ર સુદ નોમ રામનવમીના પાવન પર્વ નિમિત્તે ભરૂચ શહેરના સોનેરી મહેલ વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદબજરંગ દળરાજકીય તેમજ અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તિસભર માહોલમાં ભગવાન શ્રી રામની આરતી ઉતારી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. આ શોભાયાત્રા સોનેરી મહેલથી નીકળી વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ ખત્રીવાડ સ્થિત કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે સમાપન થઈ હતી.

 શોભાયાત્રા દરમ્યાનજય જય શ્રી રામના જયઘોષ સાથે ભરૂચ શહેરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીત્રિગુણાતીત ધ્યાન સેવા આશ્રમ-કડાણાના મહંત 1008 સ્વામી લોકેશાનંદજીમુક્તેશ્વરાનંદ સ્વામિજીશ્રી રામપરાયણ મંદિરનડિયાદના રામદાસજી સ્વામી કોઠારીભરૂચ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયામહામંત્રી નિરલ પટેલશ્રી રામ ઉત્સવ સમિતિના સભ્ય હેમંત જાદવહિતેશ પટેલગૌરાંગ રાણા સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ: વાલિયાના ખેડૂતોને ટ્રાયબલ સબપ્લાન યોજના હેઠળ પાઇપની ફાળવણી ન કરાતા કલેકટરને રજુઆત કરાય

ભરૂચના વાલિયા તાલુકાના ઝરપાણી ગામના ખેડૂત આગેવાન ચંપક વસાવા દ્વારા ટ્રાઇબલ સબપ્લાન યોજના હેઠળ આદિજાતિ ખેડૂતોને અત્યાર સુધી પાઇપ નહીં મળતા કલેકટરને રજુઆત કરી હતી.

New Update
Screenshot_2025-08-13-14-39-12-84_6012fa4d4ddec268fc5c7112cbb265e7

ભરૂચના વાલિયા તાલુકાના ઝરપાણી ગામના ખેડૂત આગેવાન ચંપક વસાવા દ્વારા ટ્રાઇબલ સબપ્લાન યોજના હેઠળ આદિજાતિ ખેડૂતોને અત્યાર સુધી પાઇપ નહીં મળતા કલેકટરને રજુઆત કરી હતી.

ભરૂચના વાલિયા તાલુકાના આદિજાતિ ખેડૂતોને ટ્રાઇબલ સબપ્લાન યોજના હેઠળ ચલણથી નાણાં ભર્યા પછી બીજુ વર્ષ ચાલુ થઈ જવા છતાં પાઇપ નહીં મળતા ભરૂચ જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી.જેમાં જણાવ્યા અનુસાર આ અંગે વારંવાર પાઇપ અંગે માહિતી મેળવવા જવાબદાર અધિકારી દ્વારા માત્ર આશ્વાસન આપવામાં આવતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.સાથે મોટી રકમ ભર્યા હોવા છતાં પાઇપ નહીં મળતા ખેડૂતો મોંઘા ભાવે ભાડેથી પાઇપ ખેતી કરવા મજબુર બન્યા છે.ત્યારે તંત્ર વહેલી તકે યોગ્ય પગલાં ભરી યોજનાનો લાભાર્થીને સમય પર લાભ આપે તેવી માંગ કરવામાં આવી છે.