ભરૂચ : રામનવમી નિમિત્તે સોનેરી મહેલથી ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન, VHP-બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનો ઉપસ્થિત રહ્યા

ભરૂચ શહેરના સોનેરી મહેલ ખાતે રામનવમી નિમિત્તે ભગવાન શ્રી રામની આરતી ઉતારી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. જેમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિત હિન્દુ સંગઠનોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

New Update
  • શ્રીરામ મહોત્સવની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી

  • ભક્તિભેર માહોલમાં શ્રી રામલલ્લાની આરતી યોજાય

  • રામનવમી નિમિત્તે સોનેરી મહેલથી શોભાયાત્રા નીકળી

  • VHP, બજરંગ દળ સહિત હિન્દુ સંગઠનો રહ્યા ઉપસ્થિત

  • શહેરના વિવિધ રાજમાર્ગો રામલલ્લાના નામથી ગુંજ્યા

ભરૂચ શહેરના સોનેરી મહેલ ખાતે રામનવમી નિમિત્તે ભગવાન શ્રી રામની આરતી ઉતારી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. જેમાં વિશ્વ હિન્દુ પરિષદબજરંગ દળ સહિત હિન્દુ સંગઠનોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આજરોજ ચૈત્ર સુદ નોમ રામનવમીના પાવન પર્વ નિમિત્તે ભરૂચ શહેરના સોનેરી મહેલ વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદબજરંગ દળરાજકીય તેમજ અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તિસભર માહોલમાં ભગવાન શ્રી રામની આરતી ઉતારી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. આ શોભાયાત્રા સોનેરી મહેલથી નીકળી વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ ખત્રીવાડ સ્થિત કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે સમાપન થઈ હતી.

 શોભાયાત્રા દરમ્યાનજય જય શ્રી રામના જયઘોષ સાથે ભરૂચ શહેરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીત્રિગુણાતીત ધ્યાન સેવા આશ્રમ-કડાણાના મહંત 1008 સ્વામી લોકેશાનંદજીમુક્તેશ્વરાનંદ સ્વામિજીશ્રી રામપરાયણ મંદિરનડિયાદના રામદાસજી સ્વામી કોઠારીભરૂચ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયામહામંત્રી નિરલ પટેલશ્રી રામ ઉત્સવ સમિતિના સભ્ય હેમંત જાદવહિતેશ પટેલગૌરાંગ રાણા સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ: નેત્રંગના ધાંણીખુટ પાસે કરજણ નદી પર બનાવાયેલ બ્રિજ જર્જરીત હાલતમાં, તાત્કાલિક સમારકામની માંગ

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે. ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા

New Update
MixCollage-12-Jul-2025-

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે.

ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર નેત્રંગ તાલુકાના ધાંણીખુટ ગામ પાસેથી વહેતી કરજણ નદી પર વર્ષો જુનો નિમાઁણ થયેલ બ્રિજ પણ જજઁરીત હાલતમાં થઈ ગયો છે.
આ બ્રિજ ભરૂચ અને નર્મદા તેમજ મહારાષ્ટ્ર રાજ્યને જોડતો  બ્રિજ છે. હાલ આ બ્રિજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના તાબા હેઠળ છે. અંકલેશ્વર,ભરૂચ, વડોદરા અને દહેજ જીઆઇડીસીના ઔદ્યોગિક એકમોમાં બનતી ભારેખમ મશીનરીઓ  મોટા વાહનો મારફત મહારાષ્ટ્ર થઈ અન્ય રાજ્યોમાં જાય છે.બાકી અન્ય ભારદારી વાહનો પણ રોજેરોજ આ બ્રિજ પરથી પસાર થઇ રહ્યા છે. તેવા સંજોગો ગંભીરા બ્રિજની બનેલ દુર્ઘટના બાદ સ્થાનિક રહીશોમાં આ બ્રિજની જજઁરીત હાલત જોઈ ને ભય સતાવી રહ્યો છે તેવા સંજોગોમાં જીલ્લા કલેક્ટર તેમજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના અધિકારીઓ આ બ્રિજની તાત્કાલિક તપાસ હાથ ધરે તેમજ બ્રિજ આજુબાજુ તુટી ગયેલ રેલીંગની મરામત કરે એવી માંગ ઉઠી છે.