ભરૂચ: ઇસ્કોન પરિવાર દ્વારા અષાઢીબીજે ભવ્ય રથયાત્રાનું આયોજન

ભરૂચ જીઆઇડીસીમાં આવેલ ઇસ્કોન મંદિર દ્વારા  ભગવાન જગન્નાથજી રથયાત્રા મહોત્સવનું ભવ્ય આયોજન કરાયુ છે

New Update

ભરૂચ જીઆઇડીસીમાં આવેલ ઇસ્કોન મંદિર દ્વારા  ભગવાન જગન્નાથજી રથયાત્રા મહોત્સવનું ભવ્ય આયોજન કરાયુ છે

આવનારા અષાઢી બીજ ના રોજ ભરૂચ જીઆઇડીસીમાં આવેલ ઇસ્કોન મંદિર ખાતેથી ભગવાન જગન્નાથની 10 મી ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે.આ રથયાત્રા શીતલ સર્કલથી  પ્રસ્થાન કરશે અને કસક સર્કલ,મક્તપુર રોડ ,જ્યોતિનગર તુલસીધામ, ચામુંડા મંદિર ઝાડેશ્વર બસ સ્ટેન્ડ થઈ કે.જી.એમ. હાઇસ્કુલ પર સાંજે 7:00 વાગ્યે પૂર્ણ થશે. રથયાત્રાના દિવ્ય ઉત્સવમાં મોટી સંખ્યામાં લોકોને જોડાવા ઇસ્કોન મંદિર પરિવાર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે
Latest Stories