/connect-gujarat/media/media_files/2025/11/10/cnd-2025-11-10-14-51-39.png)
ભરૂચમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા માતરીયા તળાવ ખાતે મેદસ્વિતા મુકત ગુજરાત કેમ્પ-02નો શુભારંભ કરવામાં આવ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના આહવાન પર ફિટ ઈન્ડિયા મુવમેન્ટ ચાલી રહી છે. જેના અનુસંધાને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉર્જાવાન ચેરમેન યોગ સેવક શિશપાલજીના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતમાં મેદસ્વિતા મુક્ત ગુજરાત કેમ્પ-02નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભરૂચમાં માતરીયા તળાવ ખાતે મેદસ્વિતા મુકત ગુજરાત કેમ્પ-02નો શુભારંભ કરવામાં આવ્યો હતો.
જેમાં મુખ્ય મહેમાન તરીકે ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા યુવા વિકાસ અધિકારી મીતાબેન ગવળી, સામાજિક કાર્યકર દિપામાસી, જાયન્ટસ ગ્રુપ ભરૂચના પ્રમુખ મૃણાલ કાપડિયા,વિશ્વ હિન્દુ પરિષદ, ભરૂચ વિભાગ સહમંત્રી વિરેન રામજીવાલા, વિશ્વ હિન્દુ પરિષદ,ભરૂચ વિભાગ ધર્માચાર્ય પ્રમુખ બીપીન પટેલ, યોગ કોર્ડિનેટર બિનીતા પ્રજાપતિ, સંચાલક પ્રકાશ પટેલ, સહસંચાલક પ્રિતી સોલંકી અને અંજલિ ડોગરા, સહયોગી ટીમમાંથી યોગ ટ્રેનર હેમા પટેલ, વંદના પાટીલ અને મિડિયા કોર્ડિનેટર ભાવિકા ઠક્કર અને મોટી સંખ્યામાં યોગ સાધકો હાજર રહ્યા હતા.