ભરૂચ :જિલ્લાના કુલ 18 કેન્દ્રો પર ગુજકેટની પરીક્ષા યોજાય, કેન્દ્રો બહાર ચુસ્ત બંદોબસ્ત

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ સમગ્ર રાજ્યમાં ગુજકેટ ની પરીક્ષા નું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
  • ભરૂચ જિલ્લામાં આયોજન

  • ગુજકેટની પરીક્ષાનું આયોજન

  • 18 કેન્દ્રો પર પરીક્ષા યોજાય

  • કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત

  • વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં આપી પરીક્ષા

ભરૂચ જિલ્લાના કુલ 18 કેન્દ્રો ઉપર ગુજકેટની પરીક્ષા યોજાય હતી. જેમાં 3405 વિદ્યાર્થીઓ નોંધાયા હતા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ સમગ્ર રાજ્યમાં ગુજકેટ ની પરીક્ષા નું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ભરૂચ જિલ્લામાં પણ ગુજકેટ ની પરીક્ષા યોજાય હતી. ભરૂચ જિલ્લામાં 18 કેન્દ્રો પર ગુજકેટની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 3405 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા.જેમાં 1611 ગુજરાતી માધ્યમ, 1762 અંગ્રેજી માધ્યમ, 32- હિન્દી માધ્યમવાળા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ભરૂચ જિલ્લામાં તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવીથી સજ્જ  કરવામાં આવ્યા છે. આ તરફ પરીક્ષા દરમ્યાન કોઈ ન અનિરછનીય બનાવ ન બને તે દરમિયાન માટે કેન્દ્ર બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ભરૂચ જિલ્લામાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ગુજકેટની પરીક્ષા સંપન્ન થઈ હતી.
Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.