ભરૂચ :જિલ્લાના કુલ 18 કેન્દ્રો પર ગુજકેટની પરીક્ષા યોજાય, કેન્દ્રો બહાર ચુસ્ત બંદોબસ્ત

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ સમગ્ર રાજ્યમાં ગુજકેટ ની પરીક્ષા નું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
  • ભરૂચ જિલ્લામાં આયોજન

  • ગુજકેટની પરીક્ષાનું આયોજન

  • 18 કેન્દ્રો પર પરીક્ષા યોજાય

  • કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત

  • વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં આપી પરીક્ષા

Advertisment
1 / 17

ભરૂચ જિલ્લાના કુલ 18 કેન્દ્રો ઉપર ગુજકેટની પરીક્ષા યોજાય હતી. જેમાં 3405 વિદ્યાર્થીઓ નોંધાયા હતા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ સમગ્ર રાજ્યમાં ગુજકેટ ની પરીક્ષા નું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ભરૂચ જિલ્લામાં પણ ગુજકેટ ની પરીક્ષા યોજાય હતી. ભરૂચ જિલ્લામાં 18 કેન્દ્રો પર ગુજકેટની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 3405 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા.જેમાં 1611 ગુજરાતી માધ્યમ, 1762 અંગ્રેજી માધ્યમ, 32- હિન્દી માધ્યમવાળા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ભરૂચ જિલ્લામાં તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવીથી સજ્જ  કરવામાં આવ્યા છે. આ તરફ પરીક્ષા દરમ્યાન કોઈ ન અનિરછનીય બનાવ ન બને તે દરમિયાન માટે કેન્દ્ર બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ભરૂચ જિલ્લામાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ગુજકેટની પરીક્ષા સંપન્ન થઈ હતી.
Read the Next Article

ભરૂચ : ઇતિહાસના સાક્ષી, અવગણનાના શિકાર બન્યા નર્મદા ઘાટ,પર્યટન સ્થળ તરીકે  પુનઃવિકાસની ઉઠી પોકાર

સ્થાનિક રહીશો અને ધાર્મિક સંગઠનો મુજબ, ભૂતકાળમાં આ ઘાટો પર ધાર્મિક ક્રિયાઓ, પવિત્ર સ્નાન, તહેવાર અને આરતી જેવી પરંપરાઓ નિયમિત રીતે થતા હતા.

author-image
By Connect Gujarat Desk
New Update
  • નર્મદા ઘાટ બન્યા દુર્દશાનો શિકાર

  • ઇતિહાસના સાક્ષી ઘાટોની અવગણના

  • પવિત્ર ઘાટ પર સંતો અને ઋષિઓએ કર્યા છે તપ

  • વારાણસી મુજબ જ નર્મદા ઘાટનાં વિકાસનો પોકાર

  • પર્યટન સ્થળ તરીકે ઘાટનાં વિકાસ માટે ઉઠી માંગ 

Advertisment
1 / 17
2 / 17
3 / 17
4 / 17
5 / 17
6 / 17
7 / 17
8 / 17
9 / 17
10 / 17
11 / 17
12 / 17
13 / 17
14 / 17
15 / 17
16 / 17
17 / 17

ભરૂચના નર્મદા કિનારાનાં ઘાટ આજે પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમી રહ્યા છે. સ્થાનિક રહીશો અને ધાર્મિક સંગઠનો મુજબભૂતકાળમાં આ ઘાટો પર ધાર્મિક ક્રિયાઓપવિત્ર સ્નાનતહેવાર અને આરતી જેવી પરંપરાઓ નિયમિત રીતે થતા હતા. આ ઘાટો પર સંતો અને ઋષિઓએ તપ કર્યા હતા,તો કેટલાક ઘાટો ઐતિહાસિક યુદ્ધો અને યાત્રાઓના સાક્ષી રહ્યા છે. આજના સમયમાં આ ઘાટો તૂટી ગયેલી પાળીઓકચરો અને પાણીના ભરાવા સહિત ગંદકી જેવી સમસ્યાઓથી ઘેરાયેલા છે.

ભરૂચની જનતાનું કહેવું છે કે સરકાર દ્વારા 'સ્ટેચ્યુ ઓફ યુનિટીજેવા વિશ્વવિખ્યાત પ્રોજેક્ટ પર કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યોપણ એ જ નર્મદા નદીના પવિત્ર ઘાટો આજે પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. ત્યાં લાઇટિંગ,પીવાનું પાણી,શૌચાલય કે બેસવાની વ્યવસ્થાઓ પણ ઉપલબ્ધ નથી.

સ્થાનિક સામાજિક કાર્યકરોઐતિહાસિક રસ ધરાવતા લોકો અને ધાર્મિક સંગઠનો સરકારને આગ્રહ કરી રહ્યા છે કે નર્મદા ઘાટોનું દસ્તાવેજી કરણ કરવામાં આવેઅને તેમની પૌરાણિક તથા ઐતિહાસિક મહત્તાને પ્રકાશમાં લાવીને ઘાટોનું સૌંદર્યકરણ કરવામાં આવે. સાથે જ ઘાટોની કથાઓ અને ઇતિહાસ દર્શાવતું દ્રશ્ય અને ઓડિયો માર્ગદર્શન દિવાલ ચિત્રો અને સાંસ્કૃતિક કાર્યક્રમો શરૂ કરવાથી ધાર્મિક પર્યટન વધારી શકાય તેવી લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે.