ભરૂચ: ભાડભૂત બેરેજ યોજનાના અસરગ્રસ્ત ખેડૂતોની સુનાવણી મુલત્વી, વળતરના એવોર્ડમાં યોગ્ય સુધારા કરવા માંગ

ભરૂચ ભાડભૂત બેરેજ યોજનાના અસરગ્રસ્ત ખેડૂતોની સુનાવણી અધિકારીઓની ગેરહાજરીને કારણે મુલતવી રહી હતી ત્યારે 16 જૂન 2025ના રોજ નવી તારીખ માંગવામાં આવી છે.

New Update
  • ભરૂચમાં આકાર પામશે ભાડભૂત બેરેજ યોજના

  • યોજનાના અસરગ્રસ્ત ખેડૂતોની સુનવણી

  • આજે યોજાનાર સુનવણી મુલત્વી રહી

  • અધિકારી હાજર ન રહેતા સુનવણી મુલત્વી

  • નવી તારીખ માંગવામાં આવી

ભરૂચ ભાડભૂત બેરેજ યોજનાના અસરગ્રસ્ત ખેડૂતોની સુનાવણી અધિકારીઓની ગેરહાજરીને કારણે મુલતવી રહી હતી ત્યારે 16 જૂન 2025ના રોજ નવી તારીખ માંગવામાં આવી છે.
ભરૂચમાં આકાર લઈ રહેલ ભાડભૂત બેરેજ યોજનાના અસરગ્રસ્ત ચાર ગામોના ખેડૂતો માટે આજે યોજાનારી સુનાવણી કોઈ કારણોસર નિયત અધિકારી હાજર ન રહેતા મુલતવી રાખવામાં આવી હતી. આ બાબતે ખેડૂતોમાં અસંતોષ જોવા મળ્યો હતો અને તેમણે આગામી 16 જૂન 2025 માટે નવી સુનાવણીની તારીખ આપવાની માંગ સાથે જમીન સંપાદન અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી.ખેડૂતોનો દાવો છે કે બેરેજ યોજનાની કામગીરી દરમિયાન કે જેમાં છેલ્લા સમયમાં જમીન સંપાદન માટે જાહેર કરવામાં આવેલ એવોર્ડમાં યોગ્ય સુધારાઓ કરવાનું વચન આપવામાં આવ્યું હતું, તે અનુરૂપ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. તેઓએ એવોર્ડમાં સુધારા કરી, ન્યાયસંગત માંગો સ્વીકારી લેવામાં આવે અને જમીન વિના પર્યાપ્ત વળતરના પાયમલ કબજાઓ અટકાવાની માંગ કરી છે.સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે તેઓ શાંતિપૂર્ણ રીતે પોતાની માંગ સાથે રજૂઆત કરી રહ્યા છે અને આગામી સુનાવણીમાં યોગ્ય અધિકારીઓ હાજર રહી તેમના પ્રશ્નોને ગંભીરતાથી સાંભળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
Read the Next Article

ભરૂચ: રથયાત્રાના પર્વને અનુલક્ષી પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરાયુ

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update

ભરૂચમાં નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા

અષાઢી બીજના રોજ રથયાત્રાનું આયોજન

પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવાશે

એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાય

ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચમાં અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે ત્યારે રથયાત્રાના ઉત્સવ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રએ કમરકસી છે. જેના ભાગરૂપે ભરૂચ શહેર એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગમાર્ચ શહેરના ફુરજા વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિરેથી નીકળી રવિવારી બજાર, સોની ફળિયુ, લાલ બજાર, લલ્લુભાઈ ચકલાથી હાથીખાના બજાર થઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ જોડાયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ હાજરી આપી શહેરીજનોને સુરક્ષા અને શાંતિનો અનુભવ કરાવ્યો હતો.