ભરૂચ: NH 48 પર ગાયના ધણને નડેલ અકસ્માતમાં હૃદય દ્રાવક CCTV ફૂટેજ બહાર આવ્યા, 7 ગૌ માતાના નિપજ્યા હતા મોત

વડોદરા તરફ જતી લેનમાં ગાયોનો ઘણ ભરૂચ તરફ આવી રહયું હતું તે સમયે છેલ્લી લેનમાં ચાલતા એક ટ્રેલરના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દેતાં બેકાબુ

New Update
gujarat bharuch 48
વડોદરા તરફ જતી લેનમાં ગાયોનો ઘણ ભરૂચ તરફ આવી રહ્યું હતું તે સમયે અચાનક એક વાહનનું ટાયર ફાટતા ગયો ભડકી હતી,અને રોડ પર દોડી જતા ટ્રેલરની અડફેટે આવી ગયા હતા.ટ્રેલરની ટક્કર વાગતા સાત ગાયના સ્થળ પર જ મોત થયાં હતાં,જયારે સાત જેટલી ગાયોના પગ તૂટી ગયા હતા.

ઘટનાના હૃદય દ્રાવક CCTV ફૂટેજ


સર્જાયેલી ઘટનાને પગલે આસપાસથી લોકો દોડી આવતા ડ્રાઇવર ટ્રેલર મુકી ભાગી ગયો હતો. હાઇવે પર દર્દથી કણસતી ગાયોને જોઈ સૌના હૃદય દ્રવી ઉઠ્યા હતા. સાત જેટલી ગાયના પગ તૂટી ગયા હોવાથી તે ચાલી શકે તેવી સ્થિતિમાં ન હતી.તેમને વધુ સારવાર માટે વડોદરાની પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવી છે.આ સમગ્ર ઘટનાના હૃદય દ્રાવક CCTV ફૂટેજ બહાર આવ્યા છે.જેમાં ગાયના ધણ પર કાળ કેવી રીતે ત્રાટકે છે એ સ્પષ્ટ નજરે પડે છે.પોલીસે હાલ ફરાર ટેન્કર ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
Read the Next Article

અંકલેશ્વરનું વૃદ્ધ દંપતી જીવનના સંઘર્ષને સ્વીકારીને જિંદગીને ચેતનવંતી રાખવાની અન્યોને આપે છે પ્રેરણા...

અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં છેલ્લા ઘણા સમયથી ભાણાભાઈ વસાવા તેમના વૃદ્ધ પત્ની કાંતાબેન સાથે ભાડુતી મકાનમાં રહે છે. તેમને 2 પુત્રમાંથી એક તેની પત્ની સાથે અલગ રહે છે

New Update
  • જીવનના સંઘર્ષને સ્વીકારીને કરો સામનો

  • વૃદ્ધ દંપતી બન્યું અન્ય અન્યો માટે પ્રેરણારૂપ

  • ઘડપણમાં પોતાની જ હિંમત બની સહારો

  • દંપતી માટે શરબતની લારી છે આર્થિક સહારો

  • ઢળતી ઉંમરે પણ જીવનને રાખ્યું છે ચેતનવંતુ

"ઘડપણ" એટલે અશકત શરીરનમતી ભીંજાતી આંખો તો પણ સંઘર્ષમય જીવનને બાથ ભીડીને જીવવાની હિંમત... પરિવારનો માળો પિંખાય પરંતુ દંપતી અલગ ન થાયઢળતી ઉંમરના આધારે જીવનને ધબકતું રાખવુંએ પણ એક પડકાર જનક પરિસ્થિતિ કહી શકાય. જોકેતેમ છતાં કોઈ પણ પડકારને હિંમતભેર સ્વીકારીને તેની સામે ઝઝૂમતા લડી લેવાની ત્રેવડ રાખતું અંકલેશ્વરનું વૃદ્ધ દંપતી અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યું છે.

અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં છેલ્લા ઘણા સમયથી ભાણાભાઈ વસાવા તેમના વૃદ્ધ પત્ની કાંતાબેન સાથે ભાડુતી મકાનમાં રહે છે. તેમને 2 પુત્રમાંથી એક તેની પત્ની સાથે અલગ રહે છેજ્યારે બીજા પુત્રનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થતા વૃદ્ધ દંપતીએ એકલા જ સંઘર્ષ કરવાનો વખત આવ્યો છે. પરંતુ એકલા રહેવા માટે કેબે ટંક ભોજન માટે પણ આર્થિક પાસું થોડું હોવું જરૂરી છેત્યારે એકલા રહેતા હોવાથી અને આવકનું કોઈ સાધન ન હોવાથી આ વૃદ્ધ દંપતીએ લીંબુ શરબત વેચવાનું નક્કી કર્યું. આ વૃદ્ધ દંપતી દરરોજ સવારે વહેલા ઉઠીને બધી તૈયારી કરી નિયમિત તેમના સ્થળ પર આવી જાય છે.

અંકલેશ્વર એસએ મોટર પાસે શરબતની લારી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. છેલ્લા 3 વર્ષથી લીંબુ પાણી વેચી દિવસમાં 400થી 500 રૂપિયાનો વકરો કરી લે છે. જેમાંથી સામનનો ખર્ચ કાઢતા અંદાજે 300 રૂપિયાની આસપાસ વળતર મળી રહે છે. કાંતાબેને નમ્ર આંખમાંથી નીકળતા આંસુઓને લૂછતાં જણાવ્યું હતું કેજેટલું કમાઈએ છીએ એટલું તો મકાનના ભાડામાં જ ખર્ચ થાય છે. કોઈ દિવસ તો એક ટાઈમનું ભોજન પણ મળતું નથીતો ક્યારેક ચટણી રોટલો ખાઈને પણ પેટની ભૂખ મટાડવી પડે છે. સાંભળનાર અને જોનારને કદાચ આ બાબત સામાન્ય લાગશે. પરંતુ સંઘર્ષથી હારીને માથું કૂટતા લોકો માટે આ દંપતી પ્રેરણારૂપ સાબિત થઇ રહ્યં  છે.