/connect-gujarat/media/media_files/2025/02/21/FSfATjR3N5aNCbHj9VY9.jpg)
ભરૂચ: NH 48 પર ગાયના ધણને નડેલ અકસ્માતમાં હૃદય દ્રાવક CCTV ફૂટેજ બહાર આવ્યા, 7 ગૌ માતાના નિપજ્યા હતા મોત
વડોદરા તરફ જતી લેનમાં ગાયોનો ઘણ ભરૂચ તરફ આવી રહયું હતું તે સમયે છેલ્લી લેનમાં ચાલતા એક ટ્રેલરના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દેતાં બેકાબુ
/connect-gujarat/media/media_files/2025/02/21/FSfATjR3N5aNCbHj9VY9.jpg)
વડોદરા તરફ જતી લેનમાં ગાયોનો ઘણ ભરૂચ તરફ આવી રહયું હતું તે સમયે છેલ્લી લેનમાં ચાલતા એક ટ્રેલરના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દેતાં બેકાબુ
અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં છેલ્લા ઘણા સમયથી ભાણાભાઈ વસાવા તેમના વૃદ્ધ પત્ની કાંતાબેન સાથે ભાડુતી મકાનમાં રહે છે. તેમને 2 પુત્રમાંથી એક તેની પત્ની સાથે અલગ રહે છે
"ઘડપણ" એટલે અશકત શરીર, નમતી ભીંજાતી આંખો તો પણ સંઘર્ષમય જીવનને બાથ ભીડીને જીવવાની હિંમત... પરિવારનો માળો પિંખાય પરંતુ દંપતી અલગ ન થાય, ઢળતી ઉંમરના આધારે જીવનને ધબકતું રાખવુંએ પણ એક પડકાર જનક પરિસ્થિતિ કહી શકાય. જોકે, તેમ છતાં કોઈ પણ પડકારને હિંમતભેર સ્વીકારીને તેની સામે ઝઝૂમતા લડી લેવાની ત્રેવડ રાખતું અંકલેશ્વરનું વૃદ્ધ દંપતી અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યું છે.
અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં છેલ્લા ઘણા સમયથી ભાણાભાઈ વસાવા તેમના વૃદ્ધ પત્ની કાંતાબેન સાથે ભાડુતી મકાનમાં રહે છે. તેમને 2 પુત્રમાંથી એક તેની પત્ની સાથે અલગ રહે છે, જ્યારે બીજા પુત્રનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થતા વૃદ્ધ દંપતીએ એકલા જ સંઘર્ષ કરવાનો વખત આવ્યો છે. પરંતુ એકલા રહેવા માટે કે, બે ટંક ભોજન માટે પણ આર્થિક પાસું થોડું હોવું જરૂરી છે, ત્યારે એકલા રહેતા હોવાથી અને આવકનું કોઈ સાધન ન હોવાથી આ વૃદ્ધ દંપતીએ લીંબુ શરબત વેચવાનું નક્કી કર્યું. આ વૃદ્ધ દંપતી દરરોજ સવારે વહેલા ઉઠીને બધી તૈયારી કરી નિયમિત તેમના સ્થળ પર આવી જાય છે.
અંકલેશ્વર એસએ મોટર પાસે શરબતની લારી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. છેલ્લા 3 વર્ષથી લીંબુ પાણી વેચી દિવસમાં 400થી 500 રૂપિયાનો વકરો કરી લે છે. જેમાંથી સામનનો ખર્ચ કાઢતા અંદાજે 300 રૂપિયાની આસપાસ વળતર મળી રહે છે. કાંતાબેને નમ્ર આંખમાંથી નીકળતા આંસુઓને લૂછતાં જણાવ્યું હતું કે, જેટલું કમાઈએ છીએ એટલું તો મકાનના ભાડામાં જ ખર્ચ થાય છે. કોઈ દિવસ તો એક ટાઈમનું ભોજન પણ મળતું નથી, તો ક્યારેક ચટણી રોટલો ખાઈને પણ પેટની ભૂખ મટાડવી પડે છે. સાંભળનાર અને જોનારને કદાચ આ બાબત સામાન્ય લાગશે. પરંતુ સંઘર્ષથી હારીને માથું કૂટતા લોકો માટે આ દંપતી પ્રેરણારૂપ સાબિત થઇ રહ્યં છે.