ભરૂચ: હિન્દૂ ધર્મ સેનાનો  દીક્ષાંત સમારોહ યોજાયો,સાધુ સંતો રહ્યા ઉપસ્થિત

ભરૂચ જિલ્લા હિન્દૂ ધર્મ સેનાના દીક્ષાંત સમારોહનું સાધુ સંતોના સાંનિધ્યમાં ચાવજ  ગામ ખાતે આવેલ પંચમુખી હનુમાનજી મંદિરના પટાંગણમાં આયોજન કરવામાં આવ્યુ હતું

New Update
  • ભરૂચના ચાવજ ગામ ખાતે આયોજન

  • પંચમુખી હનુમાન મંદિરે આયોજન કરાયુ

  • હિન્દૂ ધર્મ સેનાનો દીક્ષાંત સમારોહ યોજાયો

  • સાધુ સંતો રહ્યા ઉપસ્થિત

  • આગેવાનોએ આપી હાજરી

ભરૂચ જિલ્લા હિન્દૂ ધર્મ સેનાના દીક્ષાંત સમારોહનું સાધુ સંતોના સાંનિધ્યમાં ચાવજ  ગામ ખાતે આવેલ પંચમુખી હનુમાનજી મંદિરના પટાંગણમાં આયોજન કરવામાં આવ્યુ હતું
ભરૂચ જિલ્લા હિન્દૂ ધર્મ સેનાનો દીક્ષાંત સમારોહ સાધુ સંતોના સાંનિધ્યમાં ચાવજ પંચમુખી હનુમાનજી મંદિરના પટાંગણમાં યોજાયો હતો.સ્નેહમિલન અને દીક્ષાંત સમારોહમાં નવા નિયુક્ત હીન્દુ ધર્મ સેનાના હોદ્દેદારોને હીન્દુ ધર્મ સેનાના નિયુક્તિ પત્ર સાધુ સંતો અને પ્રદેશ પ્રમુખના હાસ્તે અપાયા. પ્રદેશ પ્રમુખ રાજન ત્રીપાઠી, સંત લોકેશાનંદજી મહારાજ, સંરક્ષક દેવુભાઈ કાઠીએ ધર્મ રક્ષા, રાષ્ટ્ર રક્ષા, ગૌ રક્ષા, સાધુ સંતો મહંતોની રક્ષા કરવા આહવાન કર્યું. અપુજીત મંદિરોને પૂજીત કરવા સાથે સનાતન હિન્દુ ધર્મની સાંસ્કૃતિક પરંપરાને આગળ વધારી ભારતને હીન્દુ રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ લેવડાવ્યા.કાર્યક્રમમાં અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત સંગઠન મંત્રી લોકેશાનંદજી મહારાજ, હીન્દુ ધર્મ સેના સંરક્ષક દેવુ કાઠી, ગુજરાત પ્રમુખ  રાજન ત્રિપાઠી, દક્ષિણ ગુજરાત પ્રમુખ સુધીરસિંહ અટોદરીયા, ઉપપ્રમુખ ઝિણાભાઈ ભરવાડ, જિલ્લા પ્રમુખ પ્રયાગરાજસિંહ વાસીયા, જિલ્લાના કાર્યકરો તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.
Read the Next Article

ભરૂચ: અષાઢી બીજે 6 સ્થળોએથી નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા, પોલીસ ડ્રોન કેમેરાથી રાખશે નજર

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આવતીકાલે અષાઢી બીજના

New Update

ભરૂચમાં આવતીકાલે કરવામાં આવ્યું આયોજન

6 સ્થળોએથી રથયાત્રાનું આયોજન

પોલીસનો રહેશે ચુસ્ત બંદોબસ્ત

ડ્રોન કેમેરાથી રાખવામાં આવશે નજર

700થી વધુ પોલીસકર્મીઓ રહેશે તૈનાત

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આવતીકાલે અષાઢી બીજના પાવન દિવસે ભરૂચ જિલ્લાભરમાં વિવિધ સ્થળોએ કુલ 6 રથયાત્રાઓ યોજાવાની છે. ભરૂચ શહેરમાં ત્રણ, અંકલેશ્વરમાં બે તથા ઝઘડિયામાં એક રથયાત્રા યોજાવાની છે. ભક્તિભાવ અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.ભરૂચ શહેરની અતિ પૌરાણિક ગણાતી દત્ત મંદિરથી ભોઈવાડ સુધીની રથયાત્રાના માર્ગ પર આજે પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. આ ફ્લેગ માર્ચ ફુરજા ચોકથી શરૂ થઈ લાલ બજાર, ચકલા, હાથીખાના બજાર, અને સોનેરીમહલ સુધી યોજાઈ હતી. સમગ્ર ફ્લેગ માર્ચ ડીવાયએસપી  સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ સંપન્ન થઈ હતી.રથયાત્રા દરમ્યાન પોલીસ બંદોબસ્તમાં 3 ડીવાયએસપી, 8 પીઆઈ, 23 પીએસઆઈ, 456 હેડ કોન્સ્ટેબલ તથા પોલીસ જવાનો સાથે 266 હોમગાર્ડનો સમાવેશ થાય છે. ઉપરાંત ડ્રોન કેમેરાની મદદથી સમગ્ર યાત્રામાર્ગ ઉપર નજર રાખવામાં આવશે.