ભરૂચ: ICAI દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી, CAની પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓનું કરાયુ સન્માન

ભરૂચમાં ઠેર ઠેર 76માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આઇસીએઆઇ ભવન પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી

New Update
IMG-20250127-WA0003
ભરૂચમાં ઠેર ઠેર 76માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આઇસીએઆઇ ભવન પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી.સાથે નવેમ્બર 2024ની પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
ભરૂચ બ્રાન્ચના સેક્રેટરી સી.એ.વ્રિન્દા વખારિયા સાથે સી.એ. દેવાંશ શાહ, સી.એ. સની શાહ ઉપસ્થિત રહ્યા  હતા.આઈ.સી.એ.આઈ.એ.ના રિઝલ્ટ અનુસાર ભરૂચમાં 10 વિદ્યાર્થીઓ CA બન્યા છે. તથા 7 વિધાર્થીઓએ કોઈ એક ગ્રુપ કે લેવલ પાસ કર્યું છે. આ પ્રસંગે સી.એ.એસ.એમ.પારીક તથા સી.એ.હર્ષિત શાહ દ્વારા વિદ્યાર્થીઓને આગામી પરીક્ષા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યુ
Read the Next Article

ભરૂચ: ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજાને જેલ મુક્ત કરવાની માંગ, પાસા હેઠળ કરવામાં આવી છે અટકાયત

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પી.ટી.જાડેજાની પાસા કાયદા હેઠળ જેલમાં કેદ કરવામાં આવ્યા છે. તેઓને તાત્કાલિક જેલ મુક્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી

New Update
  • ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

  • રાજપૂત યુવા સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

  • ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને મુક્ત કરવા માંગ

  • પાસા હેઠળ કરવામાં આવી છે અટકાયત

  • ખોટી રીતે કાર્યવાહી કરાય હોવાના આક્ષેપ

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પી.ટી.જાડેજાને તાત્કાલિક જેલ મુક્ત કરવાની માંગ સાથે ભરૂચ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું.
ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રદેશ મંત્રી સહિત સમાજના તમામ સભ્યોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું.જેમાં જણાવ્યા અનુસાર અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પી.ટી.જાડેજાની પાસા કાયદા હેઠળ જેલમાં કેદ કરવામાં આવ્યા છે.જેના સામે સમાજના તમામ સંગઠનોએ વખોડી કાઢી તેઓને તાત્કાલિક જેલ મુક્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં અમરનાથ મંદિરમાં આરતી કરવા જેવી બાબતે બોલાચાલી થતાં ધમકી આપવામાં આવી હોવાના આક્ષેપ સાથેની ઓડિયો-ક્લિપ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ હતી. એ બાદ તેમને પાસા હેઠળ અમદાવાદ સાબરમતી જેલ ખાતે મોકલવા કાર્યવાહી કરવામાં આવી હતી.
Latest Stories