ભરૂચ: વાગરાના નાદીડા ગામે ચાલતા ગેરકાયદેસર માટી ખનનના કૌભાંડનો પર્દાફાશ, લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા વાગરાના નાદીડા ગામે ચાલતી ગેરકાયદેસર માટી ખનનની પ્રવૃત્તિ પર દરોડા પાડવામાં આવ્યા હતા અને લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો

New Update
  • ભરૂચ ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી

  • ગેરકાયદેસર રીતે ચાલતું હતું માટી ખનન

  • વાગરાના નાદીડા ગામે પાડવામાં આવ્યા દરોડા

  • હીટાચી મશીન સહિત લાખો રૂપીયાનો મુદ્દામાલ જપ્ત

  • ભુ માફિયાઓમાં ફફડાટ

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા વાગરાના નાદીડા ગામે ચાલતી ગેરકાયદેસર માટી ખનનની પ્રવૃત્તિ પર દરોડા પાડવામાં આવ્યા હતા અને લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી ગેરકાયદેસર માટી ખનનની પ્રવૃત્તિ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે ત્યારે વાગરા તાલુકાના નાદીડા ગામની સીમમાં ચાલતા ગેરકાયદેસર માટી ખનનના કૌભાંડનો પર્દાફાશ થયો છે.ભુસ્તર વિભાગને બિનઅધિકૃત રીતે માટી ખનનની ફરિયાદ મળતા દરોડા પાડ્યા હતા.આ દરમિયાન માટી ખનનની ગેરકાયદેસર પ્રવૃત્તિ ઝડપાઈ હતી જેમાં ભૂસ્તર વિભાગે હિટાચી મશીન સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. વાગરાના નાદીડા ગામની સીમમાં આવેલ સર્વે નંબર 48ના ખેતરમાં ગેરકાયદેસર રીતે માટી ખનન કરવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવાની તજવીજ શરૂ કરવામાં આવી છે અને મુદ્દામાલ વાગરા પોલીસને સોંપવામાં આવ્યો છે.ખાણ અને ખનીજ વિભાગની કાર્યવાહીથી ભૂ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.

Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.