ભરૂચ: ન.પા.ના વોર્ડ નંબર 9 અને 5માં નિર્માણ પામનાર વિકાસના કાર્યોનું ખાતમુર્હુત, MLA રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત

ભરૂચ નગર સેવાસદનના વોર્ડ નંબર નવ અને પાંચમાં નિર્માણ પામનાર વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું

New Update
  • ભરૂચ નગર સેવા સદન દ્વારા કરાશે વિકાસ કાર્યો

  • વોર્ડ નંબર 9 અને 5માં હાથ ધરાશે કામગીરી

  • વિકાસના કાર્યોનું કરાયુ ખાતમુર્હુત

  • ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત

  • સ્થાનિકોની સમસ્યાનો આવશે અંત

ભરૂચ નગર સેવાસદનના વોર્ડ નંબર નવ અને પાંચમાં નિર્માણ પામનાર વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું

ભરૂચમાં વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વિકાસના વિવિધ કાર્યો નિર્માણ પામવા જઈ રહ્યા છે ત્યારે નગર સેવા સદનના વોર્ડ નંબર 9 અને 5માં નિર્માણ પામનાર વિકાસના વિવિધ કાર્યોનો ખાતમુર્હુત સમારોહ યોજાયો હતો.આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ સહિત સ્થાનિક નગરસેવકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.વોર્ડ નંબર નવમાં રૂપિયા 1.25 કરોડના ખર્ચે સીસીરોડ અને પેવર બ્લોક સહિત 24 જેટલા કામો નિર્માણ પામશે તો વોર્ડ નંબર પાંચમાં રૂપિયા 30 લાખના ખર્ચે પેવર બ્લોક પ્રોટેક્શન સહિતના સાત કામોનું નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે આ તમામ કાર્યોનું ખાતર્મુહુત કરવામાં આવ્યું હતું. માર્ગોનું નિર્માણ થતાં સ્થાનિકોની સમસ્યાનો અંત આવશે.
Read the Next Article

ભરૂચ: પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ પૂર્વ CM વિજય રૂપાણીને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા, શોકસભાનું કરાયુ આયોજન

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા 

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • ભાજપ દ્વારા શોકસભાનું આયોજન

  • સ્વ.વિજય રૂપાણીને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

  • ભાજપના આગેવાનો રહ્યા ઉપસ્થિત

  • સ્વ.વિજય રૂપાણીના કાર્યોને યાદ કરાયા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા 
તાજેતરમાં વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી માટે ભરૂચ શહેરમાં શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શોકસભામાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જિલ્લાના ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી,પૂર્વ ધારાસભ્ય અને સંઘ પ્રદેશ ભાજપના પ્રભારી દુષ્યંત પટેલ, પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.શોકસભામાં પક્ષના કાર્યકરો તથા વિભિન્ન સમાજના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. કાર્યક્રમના અંતે સૌએ પ્રાર્થના કરી સ્વ.વિજય રૂપાણીના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.