ભરૂચ: ચાવજ-રહાડપોર ગામમાં વિકાસના વિવિધ કામોનું લોકાર્પણ- ખાતમહુર્ત કરાયુ

ભરૂચના ચાવજ-રહાડપોર ગામને જોડતી વિવિધ સોસાયટીમાં ડ્રેનેજ લાઈન,પેવર બ્લોક સહીત વિકાસલક્ષી કામોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું 

New Update
  • ભરૂચમાં વિકાસના કામોનો ધમધમાટ

  • ચાવજ-રહાડપોરમાં વિકાસના કામો

  • વિવિધ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

  • ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત

  • સ્થાનિક આગેવાનોએ આપી હાજરી

ભરૂચના ચાવજ-રહાડપોર ગામને જોડતી વિવિધ સોસાયટીમાં ડ્રેનેજ લાઈન,પેવર બ્લોક સહીત વિકાસલક્ષી કામોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું 
ભરૂચ તાલુકાના ચાવજ અને રહાડપોર ગામની હદમાં વિવિધ સોસાયટીમાં અન્ડર ગ્રાઉન્ડ ગટર લાઈન,રસ્તાને પગલે અગવડ પડી રહી હતી.આ અંગે સ્થાનિકોએ ગ્રામ પંચાયત અને ધારાસભ્યને રજૂઆત કરી હતી જે રજૂઆતને પગલે એમ.પી. અને એમ.એલ.એ તેમજ સ્વભંડોળમાંથી રૂપિયા ૨.૫૫ કરોડની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી હતી.ચાવજ કેનાલથી ગરમિયા કાસ સુધી ડ્રેનેજ પાઇપ લાઇન  કામનું આજરોજ સાગર રેસીડેન્સી ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.
જયારે ચાવજ ગામના પ્રજાપતિ ફળિયામાં માર્ગ,પંચવટી બાગની બાજુમાં સીસીરોડ,પરમાર ફળિયામાં પેવરબ્લોક,મેઈન રોડથી રચના બંગ્લોઝ સીસી રોડનું પણ ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું 
તો જી.એન.એફ.સી. કંપની તરફથી ચાવજ ચોકડી પર મીઠા પાણી માટે આર.ઓ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી,ગામના સરપંચ અને ડેપ્યુટી સરપંચ તેમજ આગેવાનો સહીત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

અંકલેશ્વર : ઉદ્યોગ મંડળના પ્રતિષ્ઠા ભર્યા ચૂંટણી જંગમાં 86.63 ટકા નોંધાયું મતદાન,20 ઉમેદવારોના ભાવિ મતપેટીમાં બંધ

અંકલેશ્વર ઉદ્યોગ મંડળની મેનેજીંગ કમિટી માટેની ચૂંટણી ઉત્તેજનાસભર માહોલમાં શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી.આ ચૂંટણીમાં 86.63 ટકા મતદાન નોંધાયું હતું.

New Update
  • AIAની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન

  • 1057 મતદારોએ કર્યો મતાધિકારનો ઉપયોગ

  • 86.63 ટકા નોંધાઈ મતદાનની ટકાવારી

  • ઉમેદવારોના ભાવિ થયા મતપેટીમાં સીલ

  • સહયોગ કે વિકાસ રાતે આવશે પરિણામ  

અંકલેશ્વર ઉદ્યોગ મંડળની મેનેજીંગ કમિટી માટેની ચૂંટણી ઉત્તેજનાસભર માહોલમાં શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી.આ ચૂંટણીમાં 86.63 ટકા મતદાન નોંધાયું હતું.સહયોગ અને વિકાસ પેનેલના ઉમેદવારોએ પોતાની જીતના દાવા કર્યા હતા.

અંકલેશ્વરના ઉદ્યોગનગરના માળખાની દેખરેખ રાખતા ઉદ્યોગ મંડળનો ચૂંટણીનો જંગ તારીખ 20મી જૂન શુક્રવારના રોજ બપોરના ત્રણ કલાકે સંપન્ન થયો હતો.આ ચૂંટણીમાં કોર્પોરેટ,રિઝર્વ અને જનરલ કેટેગરી માટે ચૂંટણીમાં મતદારોએ મતદાન કર્યું હતું.AIA ચૂંટણીમાં કુલ 1229 મતદારો નોંધાયા છે,જેમાંથી 1057 મતદારોએ મતાધિકારનો ઉપયોગ સાથે 86.63 ટકા મતદાન નોંધાયું હતું.અને ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ થયા હતા.

આજરોજ સાંજના 4 કલાક બાદ મત ગણતરીની શરૂઆત કરવામાં આવશે,અને મધ્યરાત્રિ સુધીમાં ચૂંટણીમાં કઈ પેનલનો સંઘ કાશીએ પહોંચશે તે સ્પષ્ટ થઇ જશે.

ઉદ્યોગ મંડળમાં સત્તારૂઢ સહયોગની સામે વિકાસ પેનલનો મુકાબલો રસપ્રદ બની રહેશે. કોર્પોરેટની એક બેઠક માટે 2 , રિઝર્વ કેટેગરીની એક બેઠક માટે 2 અને જનરલની 8 બેઠક પર 16 ઉમેદવાર મેદાનમાં છે. સત્તા મેળવવા માટે 15 બેઠક જરૂરી છે.

AIA સંકુલ ખાતે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા યોજાઇ હતી.હવે જોવાનું એ રહ્યું કે સત્તારૂઢ સહયોગ પેનલને ઉમેદવારોનો સહયોગ મળશે કે વિકાસ પેનલના મજબૂત દાવેદારી પર મતદારો પસંદગીનો કળશ ધોળે છે.