ભરૂચ: ચાવજ-રહાડપોર ગામમાં વિકાસના વિવિધ કામોનું લોકાર્પણ- ખાતમહુર્ત કરાયુ

ભરૂચના ચાવજ-રહાડપોર ગામને જોડતી વિવિધ સોસાયટીમાં ડ્રેનેજ લાઈન,પેવર બ્લોક સહીત વિકાસલક્ષી કામોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું 

New Update
  • ભરૂચમાં વિકાસના કામોનો ધમધમાટ

  • ચાવજ-રહાડપોરમાં વિકાસના કામો

  • વિવિધ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

  • ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત

  • સ્થાનિક આગેવાનોએ આપી હાજરી

ભરૂચના ચાવજ-રહાડપોર ગામને જોડતી વિવિધ સોસાયટીમાં ડ્રેનેજ લાઈન,પેવર બ્લોક સહીત વિકાસલક્ષી કામોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું 
ભરૂચ તાલુકાના ચાવજ અને રહાડપોર ગામની હદમાં વિવિધ સોસાયટીમાં અન્ડર ગ્રાઉન્ડ ગટર લાઈન,રસ્તાને પગલે અગવડ પડી રહી હતી.આ અંગે સ્થાનિકોએ ગ્રામ પંચાયત અને ધારાસભ્યને રજૂઆત કરી હતી જે રજૂઆતને પગલે એમ.પી. અને એમ.એલ.એ તેમજ સ્વભંડોળમાંથી રૂપિયા ૨.૫૫ કરોડની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી હતી.ચાવજ કેનાલથી ગરમિયા કાસ સુધી ડ્રેનેજ પાઇપ લાઇન  કામનું આજરોજ સાગર રેસીડેન્સી ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.
જયારે ચાવજ ગામના પ્રજાપતિ ફળિયામાં માર્ગ,પંચવટી બાગની બાજુમાં સીસીરોડ,પરમાર ફળિયામાં પેવરબ્લોક,મેઈન રોડથી રચના બંગ્લોઝ સીસી રોડનું પણ ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું 
તો જી.એન.એફ.સી. કંપની તરફથી ચાવજ ચોકડી પર મીઠા પાણી માટે આર.ઓ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી,ગામના સરપંચ અને ડેપ્યુટી સરપંચ તેમજ આગેવાનો સહીત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

ભરૂચ: જંબુસરમાં ખાતર ખરીદવા ખેડૂતોની લાંબી કતાર, ખાતરની અછતના પગલે ભૂમિપુત્રોને મુશ્કેલી

ભરૂચના જંબુસરમાં ખાતરની અછતના પગલે ધરતીના તાતે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે.ખેડૂતો ખાતર ખરીદવા માટે લાંબી કતાર લગાવી રહ્યા છે..

New Update
  • ભરૂચના જંબુસરનો બનાવ

  • ખાતર ખરીદવા ખેડૂતોની લાંબી કતાર

  • ખાતરના અપૂરતા જથ્થાના કારણે મુશ્કેલી

  • ધારાસભ્યની રજુઆત બાદ ખાતરનો થોડો જથ્થો આવ્યો

  • પ્રશ્નના નિરાકરણની ખેડૂતોની માંગ

ભરૂચનો જંબુસર તાલુકો મુખ્યત્વે ખેતી પર નિર્ભર છે. જંબુસરના 80થી વધુ ગામોના ખેડૂતો ખેતીમાં કપાસ તુવેર તેમજ દિવેલાનું વાવેતર કરે છે. હાલમાં ખેતીલાયક વરસાદ થતાં કપાસના છોડને યુરિયા ખાતરની જરૂર પડે છે. તેનો વિકાસ જલ્દી થાય તે માટે પરંતુ ઘણા સમયથી જરૂરિયાત કરતા ઓછું ખાતર આવવાથી ખેડૂતોને મુશ્કેલી પડે છે અને પાકને નુકસાન થાય છે ત્યારે ખેડૂતોએ ખાતર ખરીદવા માટે લાંબી કતાર લગાવી દીધી હતી.
છેલ્લા 2 દિવસથી આ પરિસ્થિતિ સર્જાતા ધારાસભ્ય ડી.કે.સ્વામીએ ઉચ્ચકક્ષાએ રજુઆત કરતા ખાતરનો કેટલોક  જથ્થો આવ્યો હતો જેનું ખેડૂતોમાં વિતરણ કરવામાં આવ્યું હતું.આ તરફ જરૂરિયાત કરતા ઓછું ખાતર મળતા ખેડૂતોમાં કચવાટ જોવા મળ્યો હતો. હાલ એક એક ખેડૂત દીઠ 5 ગુણનુ વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે ખાતરની અપૂરતી આવકના કારણે ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે.