-
AIAની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન
-
1057 મતદારોએ કર્યો મતાધિકારનો ઉપયોગ
-
86.63 ટકા નોંધાઈ મતદાનની ટકાવારી
-
ઉમેદવારોના ભાવિ થયા મતપેટીમાં સીલ
-
સહયોગ કે વિકાસ રાતે આવશે પરિણામ
અંકલેશ્વર ઉદ્યોગ મંડળની મેનેજીંગ કમિટી માટેની ચૂંટણી ઉત્તેજનાસભર માહોલમાં શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી.આ ચૂંટણીમાં 86.63 ટકા મતદાન નોંધાયું હતું.સહયોગ અને વિકાસ પેનેલના ઉમેદવારોએ પોતાની જીતના દાવા કર્યા હતા.
અંકલેશ્વરના ઉદ્યોગનગરના માળખાની દેખરેખ રાખતા ઉદ્યોગ મંડળનો ચૂંટણીનો જંગ તારીખ 20મી જૂન શુક્રવારના રોજ બપોરના ત્રણ કલાકે સંપન્ન થયો હતો.આ ચૂંટણીમાં કોર્પોરેટ,રિઝર્વ અને જનરલ કેટેગરી માટે ચૂંટણીમાં મતદારોએ મતદાન કર્યું હતું.AIA ચૂંટણીમાં કુલ 1229 મતદારો નોંધાયા છે,જેમાંથી 1057 મતદારોએ મતાધિકારનો ઉપયોગ સાથે 86.63 ટકા મતદાન નોંધાયું હતું.અને ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ થયા હતા.
આજરોજ સાંજના 4 કલાક બાદ મત ગણતરીની શરૂઆત કરવામાં આવશે,અને મધ્યરાત્રિ સુધીમાં ચૂંટણીમાં કઈ પેનલનો સંઘ કાશીએ પહોંચશે તે સ્પષ્ટ થઇ જશે.
ઉદ્યોગ મંડળમાં સત્તારૂઢ સહયોગની સામે વિકાસ પેનલનો મુકાબલો રસપ્રદ બની રહેશે. કોર્પોરેટની એક બેઠક માટે 2 , રિઝર્વ કેટેગરીની એક બેઠક માટે 2 અને જનરલની 8 બેઠક પર 16 ઉમેદવાર મેદાનમાં છે. સત્તા મેળવવા માટે 15 બેઠક જરૂરી છે.
AIA સંકુલ ખાતે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા યોજાઇ હતી.હવે જોવાનું એ રહ્યું કે સત્તારૂઢ સહયોગ પેનલને ઉમેદવારોનો સહયોગ મળશે કે વિકાસ પેનલના મજબૂત દાવેદારી પર મતદારો પસંદગીનો કળશ ધોળે છે.