ભરૂચ:રહેમતનગરમાં વિકાસના વિવિધ કામોનું લોકાર્પણ,સ્થાનિકો રહ્યા ઉપસ્થિત

ભરૂચની મનુબર ચોકડી પાસે આવેલ રહેમતનગરમાં લોક ભાગીદારીના ખર્ચે અંદાજીત સાત લાખ રૂપિયાના રસ્તાનું લોકાર્પણ  કરવામાં આવ્યું હતું.

New Update
  • ભરૂચની મનુબર ચોકડી નજીક આવેલું છે રહેમતનગર

  • વિકાસના કાર્યોનું લોકાર્પણ

  • રૂ.75 લાખના ખર્ચે રસ્તાનું લોકાર્પણ

  • સ્થાનિક નગર સેવકો રહ્યા ઉપસ્થિત

  • આગેવાનોએ આપી હાજરી

ભરૂચની મનુબર ચોકડી પાસે આવેલ રહેમતનગરમાં વિકાસના વિવિધ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ભરૂચની મનુબર ચોકડી પાસે આવેલ રહેમતનગરમાં લોક ભાગીદારીના ખર્ચે અંદાજીત સાત લાખ રૂપિયાના રસ્તાનું લોકાર્પણ  કરવામાં આવ્યું હતું. આ સાથે લોક ભાગીદારીના 75 લાખના અને નગરપાલિકાની ગ્રાન્ટના વર્ષ  2022/ 2023 ના કામો પૂર્ણ કરવામાં આવ્યા હતા. આ સાથે રહમતનગરમાં પાણીની લાઈન અને ગટરના કામ પૂર્ણ કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે કાઉન્સિલર સલીમ અમદાવાદી, હેમેન્દ્રભાઈ કોઠીવાલા,રહેમતનગર સોસાયટીના પ્રમુખ સિરાજ ભગત તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

ભરૂચ: જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી વાલિયાના 9 ગામોને પાણીના ટેન્કર અર્પણ કરાયા

15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મંજુર થયેલ પાણીના 9 ટેન્કર ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા

New Update
  • ભરૂચના વાલિયા ખાતે યોજાયો કાર્યક્રમ

  • 9 ગામોને પાણીના ટેન્કર અર્પણ કરાયા

  • જિલ્લાપંચાયતની ગ્રાન્ટમાંથી ટેન્કર આપવામાં આવ્યા

  • ધારાસભ્ય રિતેશ  રહ્યા ઉપસ્થિત

  • ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ પણ આપી હાજરી

ભરૂચની વાલિયા ગ્રામ પંચાયત કચેરી ખાતે 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મંજુર થયેલ પાણીના 9 ટેન્કર ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.
ભરૂચ જિલ્લા પંચાયતની 15માં નાણાપંચ 10 ટકાની ગ્રાન્ટમાંથી વાલિયા-ડહેલીના સભ્ય અલ્પેશ વસાવા અને શાહીસ્તાબેન કડીવાલાના સમન્વયથી વાલિયા,વટારીયા,કોંઢ,ઘોડા,પણસોલી,હોલા કોતર,મોખડી,દેસાડ,ડહેલી સહિત 9 ગામોને 3500 લીટરની ક્ષમતા ધરાવતા પીવાના પાણીના 9 ટેન્કર મંજુર થયા હતા.જે  ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે સરપંચોને અર્પણ કરવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમમાં જિલ્લા સંગઠન મંત્રી જીજ્ઞેશ મિસ્ત્રી,તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા,ધરમસિંહ વસાવા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલ,મહામંત્રી પ્રદીપસિંહ ભરથાણીયા,રતિલાલ વસાવા સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.