-
સાચા અર્થમાં સેવાકાર્યમાં ઉભરી આવ્યું જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ
-
પ્રધાનમંત્રી મોદીના આત્મનિર્ભર સંકલ્પને ટ્રસ્ટ દ્વારા સાકાર કરાયો
-
મહિલા-યુવતીઓને બ્યુટી પાર્લર, મેંહદી-સિવણની તાલીમ અપાય
-
100થી વધુ તાલીમાર્થી બહેનોને સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યા
-
મોટી સંખ્યામાં ટ્રસ્ટની બહેનો, આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા
ભરૂચમાં સેવાકાર્યમાં ઉભરી આવેલ જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તાલીમાર્થી બહેનોને શૈક્ષણિક સહાયના ચેક તેમજ સર્ટીફીકેટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
નવા વર્ષના શુભારંભ સાથે જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ-ભરૂચ દ્વારા શિક્ષા માટે દીકરીઓને ચેક અને તાલીમાર્થીઓને સર્ટીફીકેટ એનાયતનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ-ભરૂચ માત્ર ભરૂચ પૂરતી જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાં પણ અનેક સેવાભાવી કાર્યો કરી રહી છે, અને એવા જરૂરિયાત મંદોની પડખે ઉભા રહેવામાં આવે છે, ત્યારે જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ-ભરૂચ દ્વારા સંચાલિત સંસ્થામાં બહેનો આત્મનિર્ભર બનાવવાના સંકલ્પ સાથે બ્યુટી પાર્લર, મેંહદી ક્લાસ, સિવણની તાલીમ લેનાર 100થી વધુ તાલીમાર્થી બહેનોને મહાનુભાવોના હસ્તે સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યા હતા.
આ સાથે જ ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી દિકરી ઈશ્વા સોનીને પ્રોજેક્ટ શિક્ષા હેઠળ રૂ. 30 હજારનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પૂર્વ ધારાસભ્ય અને દીવ-દમણ-દાદરા નગર હવેલીના પ્રભારી દુષ્યંત પટેલ, ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા, જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નિતિન માને, RCCના પ્રમુખ ડો. હર્ષા મોદી, ઉપપ્રમુખ સ્મિતા સોની, સેક્રેટરી કમલ શાહ, લીપોઈડ ફાઉન્ડેશન જર્મનીના કોર્ડીનેટર ડો. મૃણાલિકા દીક્ષિત, સમાજિક કાર્યકર રતિભાઈ રબારી, જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટની બહેનો સહિતના આગેવાનો અને ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.