ભરૂચ: જન હિતાર્થ ટ્રસ્ટ દ્વારા સ્વરછતા અંગેની જાગૃતિના હેતુથી શેરી નાટક રજૂ કરાયુ

ભરૂચના જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ અને નગરપાલિકાના સયુંકત ઉપક્રમે સ્વચ્છતા અભિયાન અંતર્ગત શેરી નાટકનું આયોજન  કરવામાં આવ્યું હતું. 

New Update

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

જન હિતાર્થ ટ્રસ્ટ દ્વારા આયોજન કરાયુ

સ્વરછતા અંગેની જાગૃતિ લાવવાનો પ્રયાસ

શેરી નાટક રજૂ કરવામાં આવ્યું

સ્વરછતા અંગેના શપથ લેવડાવાયા

ભરૂચના જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ અને નગરપાલિકાના સયુંકત ઉપક્રમે સ્વચ્છતા અભિયાન અંતર્ગત શેરી નાટકનું આયોજન  કરવામાં આવ્યું હતું. 
ભરૂચ જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત કાર્યક્રમો યોજાય રહ્યા છે. જેના ભાગરૂપે જનહિતાર્થ  ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા  ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આલી કાછીયાવાડ માં સ્થાનિક નગરસેવકો નગરપાલિકાના સફાઈ કર્મીઓ સ્થાનિક રહીશો તથા સંસ્થાની બહેનોને સાથે રાખી સ્વચ્છતા હી સેવા અંતર્ગત શેરી નાટક રજૂ કરવામાં આવ્યું હતું અને સ્વરછતા અંગેની જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો હતો.સાથે જ સ્થાનિકોને સ્વરછતા અંગેના શપથ પણ લેવડાવામાં આવ્યા હતા. આ પ્રસંગે નગર સેવક પ્રવિણ પટેલ, ટ્રસ્ટના ઉપપ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામી,સ્થાપક પ્રમુખ નીતિન માને અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

અંકલેશ્વર: GIDCના રહેણાંક વિસ્તારમાંથી 2 દિવસમાં 15 રખડતા ઢોર પકડાયા, તંત્રની ઝુંબેશ યથાવત

અંકલેશ્વર ઔદ્યોગિક વસહતના રહેણાંક વિસ્તારોમાં નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા બે દિવસથી રખડતા ઢોર પકડવાની શરૂ કરવામાં આવી છે ત્યારે 2 દિવસમાં 15 થી વધુ ઢોર પકડવામાં આવ્યા છે.

New Update

અંકલેશ્વર જીઆઈડીસીમાં તંત્રની ઝુંબેશ
રસ્તે રખડતા ઢોર પકડવા કાર્યવાહી
બે દિવસમાં 15 ઢોર પકડાયા
ઢોર માલિકો સામે દંડનીય કાર્યવાહી
ઢોર પકડવાની ઝુંબેશ યથાવત રહેશે

અંકલેશ્વર ઔદ્યોગિક વસહતના રહેણાંક વિસ્તારોમાં નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા બે દિવસથી રખડતા ઢોર પકડવાની શરૂ કરવામાં આવી છે ત્યારે 2 દિવસમાં 15 થી વધુ ઢોર પકડવામાં આવ્યા છે.

અંકલેશ્વર ઔદ્યોગિક વરસાદના રહેણાંક વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. રખડતા ઢોરના કારણે અકસ્માત સહિતના બનાવવામાં વધારો થયો હતો.આ અંગેની અનેક રજૂઆત નોટિફાઇડ એરીયા ઓથોરિટીને મળતા અંતે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા શરૂ કરાયેલ ઝુંબેશમાં છેલ્લા 2 દિવસમાં 15 થી વધુ ઢોર પકડવામાં આવ્યા હતા. નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલા અટલજી જોગર્સ પાર્ક, ગટટુ વિદ્યાલય સરદાર પાર્ક સહિતના વિસ્તારોમાંથી રખડતા ઢોર પકડવામાં આવ્યા હતા.આ ઝુંબેશ દરમિયાન ઢોર માલિકો સાથે ઘર્ષણ ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ રખડતા  ઢોર પકડવાની ઝુંબેશ યથાવત રહેશે તો સાથે જ ઢોરના માલિકો સામે પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.