ભરૂચ: જન હિતાર્થ ટ્રસ્ટ દ્વારા સ્વરછતા અંગેની જાગૃતિના હેતુથી શેરી નાટક રજૂ કરાયુ

ભરૂચના જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ અને નગરપાલિકાના સયુંકત ઉપક્રમે સ્વચ્છતા અભિયાન અંતર્ગત શેરી નાટકનું આયોજન  કરવામાં આવ્યું હતું. 

New Update

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

જન હિતાર્થ ટ્રસ્ટ દ્વારા આયોજન કરાયુ

સ્વરછતા અંગેની જાગૃતિ લાવવાનો પ્રયાસ

શેરી નાટક રજૂ કરવામાં આવ્યું

સ્વરછતા અંગેના શપથ લેવડાવાયા

ભરૂચના જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ અને નગરપાલિકાના સયુંકત ઉપક્રમે સ્વચ્છતા અભિયાન અંતર્ગત શેરી નાટકનું આયોજન  કરવામાં આવ્યું હતું. 
ભરૂચ જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત કાર્યક્રમો યોજાય રહ્યા છે. જેના ભાગરૂપે જનહિતાર્થ  ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા  ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આલી કાછીયાવાડ માં સ્થાનિક નગરસેવકો નગરપાલિકાના સફાઈ કર્મીઓ સ્થાનિક રહીશો તથા સંસ્થાની બહેનોને સાથે રાખી સ્વચ્છતા હી સેવા અંતર્ગત શેરી નાટક રજૂ કરવામાં આવ્યું હતું અને સ્વરછતા અંગેની જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો હતો.સાથે જ સ્થાનિકોને સ્વરછતા અંગેના શપથ પણ લેવડાવામાં આવ્યા હતા. આ પ્રસંગે નગર સેવક પ્રવિણ પટેલ, ટ્રસ્ટના ઉપપ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામી,સ્થાપક પ્રમુખ નીતિન માને અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

ભરૂચ: આમોદ ન.પા.માં ભાજપના જ આગેવાન અને કોન્ટ્રાકટરે આત્મવિલોપની ચીમકી ઉચ્ચારી, બાકી પેમેન્ટ માટે ટકાવારી માંગતી હોવાના આક્ષેપ

ભરૂચને આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે 15મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે

New Update
  • ભરૂચની આમોદ નગરપાલિકાનો વિવાદ

  • કોન્ટ્રાકટરે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી

  • બાકી પેમેન્ટ ન ચૂકવાતા આક્ષેપ

  • શાસકો ટકાવારી માંગતા હોવાના આક્ષેપ

  • પ્રમુખે તમામ આક્ષેપ ફગાવ્યા

ભરૂચ ને આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે 15મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે સાથે જ નગરપાલિકાના પ્રમુખથી મારી અધિકારીઓ બાકી પેમેન્ટની ચુકવણી માટે ટકાવારી માંગતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચની આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર અને ભાજપના જ  રૂ.14.20 લાખનું પેમેન્ટ બાકી હોવા છતાં ચુકવણી ન થતા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો વચ્ચે કોન્ટ્રાક્ટરે 15મી ઓગષ્ટના રોજ નગરપાલિકા પરિસરમાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભાજપના આગેવાન મૈલેશ મોદી લાંબા સમયથી નગરપાલિકામાં  કોન્ટ્રાકટર તરીકે કામ કરે છે.ભાજપના ન આગેવાન અને કોન્ટ્રાક્ટર મૈલેશ મોદીએ જણાવ્યું હતું 31-10-2023 થી 31-10-2024 દરમિયાન કરેલા સ્વભંડોળના વિકાસ કામોના રૂ.13.10 લાખમાંથી રૂ.12.60 લાખ હજુ બાકી છે, સાથે બીજા સ્વભંડોળના કામની રકમ મેળવી કુલ રૂ.14.20 લાખનું પેમેન્ટ આઠ મહિનાથી અટક્યું છે.
તેઓએ આક્ષેપ કર્યો છે કે બાકી પેમેન્ટ માટે નગરપાલિકાના પ્રમુખ, પદાધિકારીઓ અને અધિકારીઓ ટકાવારી માગે છે.તેમના મુજબ ચીફ ઓફિસર 3%, નગરપાલિકા બોડી 7%, હિસાબી શાખા 3% અને એન્જિનિયર 1% કમિશન લે છે. આ રેશિયો તમામ કોન્ટ્રાક્ટરો માટે નક્કી છે અને નફાકારક કામોમાં સીધો હિસ્સો પણ માંગવામાં આવે છે. 
કોન્ટ્રાકટરે કરેલા આક્ષેપ અંગે આમોદ નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે પેમેન્ટ સ્વભંડોળના અભાવે અટક્યું છે કારણ કે નગરપાલિકાની આવક અને વેરા વસૂલાત ઓછી હોવાથી પગાર અને પી.એફ. ચુકવવામાં મુશ્કેલી પડે છે. સ્વભંડોળ પ્રાપ્ત થયા બાદ કોન્ટ્રાક્ટરને ચુકવણી કરી દેવાશે.