ભરૂચ : વાગરાના કડોદરા ગામે 20 દિવસથી આતંક મચાવનાર કપિરાજ પાંજરે પુરાયો

કડોદરા ગામ ખાતે છેલ્લા 20 દિવસથી કપિરાજના આતંકથી ગ્રામજનો ભયભીત બન્યા હતા. ગામના અનેક લોકોને કપિરાજે બચકાં ભરી વાનરસેનાએ લોકોને હેરાન પરેશાન કરી મુક્યા હતા

author-image
By Connect Gujarat Desk
New Update
Monkey Cought

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કડોદરા ગામ ખાતે છેલ્લા 20 દિવસથી આતંક મચાવનાર કપિરાજ પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલ કડોદરા ગામ ખાતે છેલ્લા 20 દિવસથી કપિરાજના આતંકથી ગ્રામજનો ભયભીત બન્યા હતા. ગામના અનેક લોકોને કપિરાજે બચકાં ભરી વાનરસેનાએ લોકોને હેરાન પરેશાન કરી મુક્યા હતા.

Kadodara Village

વાગરા તાલુકામાં આવેલ કડોદરા ગામેં છેલ્લા કેટલાક દિવસથી 25થી 30 જેટલા વાનરોનો કાફલો ગામમાં આવી પહોચતા જ ગામમાં રહેતા મહિલાઓબાળકો તેમજ વૃદ્ધોને બચકાં ભરી લેતા ગામના લોકો હેરાન પરેશાન થઈ જવા પામ્યા હતા. સમગ્ર બનાવની જાણ કડોદરા ગામના સરપંચને થતા તેઓએ વાગરા ખાતે આવેલ જંગલ ખાતાની કચેરીએ જાણ કરતાં જંગલ ખાતાના અધિકારીઓએ ટીમ સાથે કડોદરા ગામે પાંજરું લઈને દોડી ગયા હતા.

 તોફાની એક કપિરાજ આખરે વન વિભાગના પાંજરે પુરાય જવા પામ્યો હતો. જેને પીંજરા સાથે વાગરા જંગલ ખાતાની ઓફિસમાં લાવવામાં આવ્યો હતો. જેને વેટરનરી ડોક્ટરની તપાસ ખોરાક-પાણી મળી રહે તેવા કુદરતી વાતાવરણમાં છોડી મુકવામાં આવશે.

ઉલ્લેખનીય છે કેહજુ પણ ગામમાં અસંખ્ય વાનરોએ અડિંગો જમાવ્યો છે. તોફાની વાનરોએ ગામમાં રહેતા ધર્મેન્દ્ર ગોહિલને બચકાં ભરી લેતા તેઓ પડી જતાં હાથે ફેકચર થવા પામ્યુ હતું. આ સાથે જ ગામમાં રહેતા લક્ષ્મીબેનને પણ તોફાની વાનરે હાથમાં કોણી ઉપર બચકાં ભરી લેતા તેઓને પણ સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા.

આ વાનર સેનાની કૂદાકૂદમાં એક બાળક પડી જતાં તેને માથામાં કપાળના ભાગે સામાન્ય ઇજા પહોંચી હતી. હાલમાં કડોદરા ગામમાં વાનરોના ટોળાંની હાજરીથી ગામના લોકો ભયભીત બન્યા છે. જેથી કડોદરા ગામમાં આતંક મચાવી રહેલા અન્ય વાનરોને પણ વન વિભાગ પાંજરે પુરી ગ્રામજનોની પરેશાનીનો અંત લાવે તેવી માંગ ઉઠવા પામી છે.

Read the Next Article

અંકલેશ્વરથી વાલિયા-નેત્રંગને જોડતા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.

New Update
  • અંકલેશ્વરથી નેત્રંગને જોડતા માર્ગની કામગીરી

  • રૂ.55 કરોડના ખર્ચે માર્ગનું થઈ રહ્યું છે નિર્માણ

  • માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

  • કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચરાય

  • કોર્ટ કેસની પણ ચીમકી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
ભરૂચના વાલિયા તાલુકાના સહકારી આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપસિંહ માંગરોલા બાદ નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરી અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલી ભગતથી હલકી ગુણવત્તાની કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.અંકલેશ્વર-વાલિયા અને નેત્રંગને જોડતો રાજ્ય ધોરીમાર્ગ નંબર-13 પ્રથમ વરસાદે જ બિસ્માર બન્યો છે.ઠેરઠેર ખાડાઓ અને માર્ગ તૂટી ગયો હોવાથી તેમાં યોગ્ય સામગ્રી વાપરવા નહીં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે.તે રીતે 55 કરોડના ખર્ચે બની રહેલ નેત્રંગ-અંકલેશ્વર માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવા સાથે અધિકારી,કોન્ટ્રાકટર સહિત લાગતા વળતા વિભાગના મંત્રીનો હાથ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.જો આ કામગીરી સારી ગુણવત્તાની નહીં કરવામાં આવે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામા આવી છે.અને  માર્ગનું નિર્માણ કરનાર શિવાલય ઈંફાસ્ટ્રક્ચર એજન્સી તેમજ અધિકારી સામે કોર્ટ કેસ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.