ભરૂચ:જંબુસરના એક ગામમાં બે સગીર બહેનોના અપહરણ અને દુષ્કર્મની ઘટના,પોલીસે બે વિધર્મીઓની કરી ધરપકડ

ગુજરાત | Featured | સમાચાર, ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના એક ગામમાં બે સગીર સગી બહેનો વિધર્મી યુવાનોના પ્રેમ જાળમાં ફસાઈ હતી,અને આ યુવાનોએ પોતાની ઓળખ હિન્દૂ તરીકે

New Update
જંબુસરના એક ગામનો બનાવ 
Advertisment
બે વિધર્મીઓના કારસ્તાન
પોતાની ઓળખ છુપાવી આચર્યું કૃત્ય 
બે સગીર બહેનોને ફસાવી પ્રેમજાળમાં 
દુષ્કર્મ અને અપહરણનો ગુનો નોંધાતા પોલીસ આવી એક્શનમાં 
પોલીસે કરી બંને નરાધમોની ધરપકડ 
સૌરાષ્ટ્ર ખાતેથી સગીર બહેનોને પોલીસે કરાવી મુક્ત   
Advertisment
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના એક ગામમાં બે સગીર સગી બહેનો વિધર્મી યુવાનોના પ્રેમ જાળમાં ફસાઈ હતી,અને આ યુવાનોએ પોતાની ઓળખ હિન્દૂ તરીકે આપીને બંને બહેનો સાથે દુષ્કર્મ આચરી અપહરણ કર્યું હતું.ઘટનામાં શાહરૂખ ઐયુબ પઠાણ પોતાની ઓળખ કિશન અને સાજીદ શબ્બીર પટેલે પોતાની ઓળખ સુનિલ તરીકે સગીર યુવતીઓને આપી હતી.અને પોતાની પ્રેમજાળમાં ફસાવી હવસનો શિકાર બનાવી હતી.
જોકે તાજેતરમાં આ બંને સગીર સગી બહેનોના અપહરણની ઘટના પ્રકાશમાં આવી હતી,અને આ અંગે યુવતીના પરિવારજનો દ્વારા કાવી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવવામાં આવી હતી.ફરિયાદ નોંધાવાની સાથે જ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી.અને ગણતરીના કલાકોમાં જ પોલીસે બંને વિધર્મી નરાધમોની ધરપકડ સાથે સૌરાષ્ટ્ર ખાતેથી સગીરાઓને પોલીસે મુક્ત કરાવી હતી.
આ ઘટના અંગે જંબુસરના વિભાગીય પોલીસ અધિક્ષક પી.એલ.ચૌધરીએ જણાવ્યું હતું કે પોતાની ઓળખ હિન્દૂ યુવાન તરીકે આપીને સગીર બે બહેનોને પ્રેમજાળમાં ફાસાવીને દુષ્કર્મ તેમજ અપહરણના ગુનામાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે,તેમજ આરોપીઓને  કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા,અને દસ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી,જોકે કોર્ટે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.અને પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
Advertisment
Read the Next Article

ભરૂચ: વાલિયા-ઝઘડિયામાં લિગ્નાઇટ પ્રોજેક્ટના વિરોધમાં તા.1લી જૂને BTSની વિશાળ રેલી, રાજકારણમાં ગરમાવો

લિગનાઇટ પ્રોજેક્ટ માટે આદિવાસી વિસ્તારમાં આવેલા વાલીયા-ઝઘડીયા તાલુકાના ૨૦ થી વધુ ગામો વિસ્થાપિત થનાર છે અને ૩૦૦૦ હેક્ટરથી વધુ જમીન સંપાદન કરનાર છે

New Update
અંબાજી-ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારમાં આદિવાસી સમાજના હક્ક અને અધીકારી માટે ભીલીસ્તાન ટાઇગર સેના અગ્રેસરની ભુમિકામાં હોય છે.જેમાં જીએમડીસી લિગનાઇટ પ્રોજેક્ટ માટે ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા વાલીયા-ઝઘડીયા તાલુકાના ૨૦ થી વધુ ગામો વિસ્થાપિત થનાર છે અને ૩૦૦૦ હેક્ટરથી વધુ જમીન સંપાદન કરનાર છે.જેથી  વાલીયા-ઝઘડીયા તાલુકાના તમામ ખેડુતો સાથે જીએમડીસીએ લોક સુનાવણી યોજી હતી પરંતુ તમામ ખેડુતોએ તેનો વિરોધ કયૉ હતો.ભીલીસ્તાન ટાઇગર સેનાના રાષ્ટ્રીય પ્રમુખ-ડેડીયાપાડાના પુવઁધારાસભ્ય મહેશ વસાવાએ વાલીયા-ઝઘડીયા લિગનાઇટ પ્રોજેક્ટના વિરોધમાં તા.૧ જુને વિશાળ રેલીનું આયોજન કયુઁ છે જેના પગલે રાજકણમાં ગરમાવો આવી ગયો છે.
Advertisment