ભરૂચ:જંબુસરના એક ગામમાં બે સગીર બહેનોના અપહરણ અને દુષ્કર્મની ઘટના,પોલીસે બે વિધર્મીઓની કરી ધરપકડ

ગુજરાત | Featured | સમાચાર, ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના એક ગામમાં બે સગીર સગી બહેનો વિધર્મી યુવાનોના પ્રેમ જાળમાં ફસાઈ હતી,અને આ યુવાનોએ પોતાની ઓળખ હિન્દૂ તરીકે

New Update
જંબુસરના એક ગામનો બનાવ 
Advertisment W3.CSS
બે વિધર્મીઓના કારસ્તાન
પોતાની ઓળખ છુપાવી આચર્યું કૃત્ય 
બે સગીર બહેનોને ફસાવી પ્રેમજાળમાં 
દુષ્કર્મ અને અપહરણનો ગુનો નોંધાતા પોલીસ આવી એક્શનમાં 
પોલીસે કરી બંને નરાધમોની ધરપકડ 
સૌરાષ્ટ્ર ખાતેથી સગીર બહેનોને પોલીસે કરાવી મુક્ત   
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના એક ગામમાં બે સગીર સગી બહેનો વિધર્મી યુવાનોના પ્રેમ જાળમાં ફસાઈ હતી,અને આ યુવાનોએ પોતાની ઓળખ હિન્દૂ તરીકે આપીને બંને બહેનો સાથે દુષ્કર્મ આચરી અપહરણ કર્યું હતું.ઘટનામાં શાહરૂખ ઐયુબ પઠાણ પોતાની ઓળખ કિશન અને સાજીદ શબ્બીર પટેલે પોતાની ઓળખ સુનિલ તરીકે સગીર યુવતીઓને આપી હતી.અને પોતાની પ્રેમજાળમાં ફસાવી હવસનો શિકાર બનાવી હતી.
જોકે તાજેતરમાં આ બંને સગીર સગી બહેનોના અપહરણની ઘટના પ્રકાશમાં આવી હતી,અને આ અંગે યુવતીના પરિવારજનો દ્વારા કાવી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવવામાં આવી હતી.ફરિયાદ નોંધાવાની સાથે જ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી.અને ગણતરીના કલાકોમાં જ પોલીસે બંને વિધર્મી નરાધમોની ધરપકડ સાથે સૌરાષ્ટ્ર ખાતેથી સગીરાઓને પોલીસે મુક્ત કરાવી હતી.
આ ઘટના અંગે જંબુસરના વિભાગીય પોલીસ અધિક્ષક પી.એલ.ચૌધરીએ જણાવ્યું હતું કે પોતાની ઓળખ હિન્દૂ યુવાન તરીકે આપીને સગીર બે બહેનોને પ્રેમજાળમાં ફાસાવીને દુષ્કર્મ તેમજ અપહરણના ગુનામાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે,તેમજ આરોપીઓને  કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા,અને દસ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી,જોકે કોર્ટે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.અને પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
Read the Next Article

ભરૂચ: NH 48 પર વરેડિયા ચોકડી નજીક રસ્તો ઓળંગતા જૈન સાધ્વીને ટેમ્પાએ મારી ટક્કર, સેવિકાનું મોત, સાધ્વીજી ઇજાગ્રસ્ત

સેવિકાના માથા પરથી આઇસર ટેમ્પાનું ટાયર ફરી વળતા સ્થળ પર જ મૃત્યુ થયું હતું. જ્યારે ઇજાગ્રસ્ત સાધ્વીજીને સારવાર અર્થે 108 માં ભરૂચ સિવિલમાં ખસેડાયા

New Update
Palej Police
રાજસ્થાનના પાલીથી જૈન સાધ્વીજી મધુ સુધાજી વિહાર માટે નીકળ્યા હતા. આજે મળસ્કે તેઓ ભરૂચ હાઇવે પર વરેડિયા સુંદર વિહાર ધામથી નીકળી અસુરીયા જૈન વિહાર ધામે જઈ રહ્યાં હતાં. તેઓ સાથે અર્ટિગાના લઈ ડ્રાઈવર વિહારમાં સાથે હતા. વરેડિયા ચોકડી વ્હિલચેરમાં સાધ્વીજીને ક્રોસ કરાવી સેવિકા ગજરા બેન મેઘવાલ પાલેજ - ભરૂચની લેન તરફ જઈ રહ્યા હતા. ત્યારે ત્રીજી લેનમાં આવેલા આઇસર ટેમ્પા ચાલકે વ્હીલચેરને અડફેટે લઈ ફંગોળી દીધી હતી.
Advertisment W3.CSS
જેમાં સાધ્વી મહારાજજી અને સેવિકા રસ્તા પર પટકાયા હતા. સેવિકાના માથા પરથી ટેમ્પાનું ટાયર ફરી વળતા સ્થળ પર જ મૃત્યુ થયું હતું. જ્યારે ઇજાગ્રસ્ત સાધ્વીજીને 108 માં ભરૂચ સિવિલમાં ખસેડાયા હતા. પાલેજ પોલીસ મથકે ટેમ્પા ચાલક અચ્છેલાલ યાદવ સામે ગુનો દાખલ કરાયો હતો.