ભરૂચ : કમોસમી વરસાદમાં વોર્ડ નંબર 7માં અન્ડર ગ્રાઉન્ડ ગટર ચોકઅપ થતા ગંદા પાણી ઘરોમાં ઘુસતા સ્થાનિકોમાં રોષ

ભરૂચના વોર્ડ નંબર 7ની નવી વસાહતમાં અંડર ગ્રાઉન્ડ ગટર ચોકઅપ થઈ જતાં ગંદા પાણી રહેણાંક મકાનોમાં ઘૂસી જતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો..

New Update
  • ભરૂચ શહેરમાં પવનના જોર સાથે વરસ્યો વરસાદ

  • વરસાદ વરસતા કેટલાક વિસ્તારમાં ભરાયા પાણી

  • વોર્ડ નં 7માં નવી વસાહતના રહીશોની હાલત બની કફોડી

  • અંડર ગ્રાઉન્ડ ગટર ચોકઅપ થઈ જતા ઘરોમાં ઘુસ્યા પાણી

  • નગરપાલિકાની કામગીરી સામે લોકોએ ઠાલવ્યો રોષ   

ભરૂચ શહેરમાં રાત્રે વરસેલા કમોસમી ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. વોર્ડ નંબર 7ની નવી વસાહતમાં અંડર ગ્રાઉન્ડ ગટર ચોકઅપ થઈ જતાં ગંદા પાણી રહેણાંક મકાનોમાં ઘૂસી જતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

ભરૂચ પંથકમાં રાત્રી દરમિયાનથી વરસાદી માહોલ જામ્યો છે.જેના કારણે અનેક વિસ્તારમાં વરસાદી પાણીએ જમાવટ કરી હતી,તો બીજી તરફ વોર્ડ નંબર 7માં નવી વસાહતમાં અંડર ગ્રાઉન્ડ ગટર ચોકઅપ થઈ જતા વરસાદમાં ગટરના ગંદા પાણી સ્થાનિક રહીશોના ઘરમાં ઘુસ્યા હતા.

સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ,ગટરમા વારંવાર અવરોધ સર્જાતા હોવા છતાં ભરૂચ નગરપાલિકા દ્વારા તાત્કાલિક અને અસરકારક પગલાં લેવામાં આવતા નથી. રહીશોએ અગાઉ અનેક વખત રજૂઆત કરવા છતાં ગટરની યોગ્ય સાફ સફાઈનો પ્રશ્ન યથાવત રહ્યો હોવાનું જણાવ્યું હતું.

ગતરાત્રે પડેલા વરસાદના પગલે ગટર ઓવરફ્લો થતા નાળાની માફક ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.આ ઘટનાને પગલે  લોકોનો રોષ ફાટ્યો હતો અને કેટલાક રહીશોએ સ્પષ્ટ શબ્દોમાં ભાજપના કોર્પોરેટરો સામે અસંતોષ વ્યક્ત કરતા જણાવ્યું કે, "આવતા ચૂંટણીમાં કમળને મત આપતા પહેલા વિચારવું પડશે."જો કે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ પાલિકાની ટીમ સ્થળ પર પહોંચી ગટર સફાઈની કામગીરી હાથ ધરી હતી.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.