ભરૂચ: જનનાયક બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે લોકડાયરો યોજાયો

જન નાયક બિરસા મુંડાની 150મી જન્મ જયંતી નિમિત્તે ભરૂચમાં લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકગીતો અને ભજનોની રમઝટ બોલાવવામાં આવી હતી

New Update
  • જનનાયક બિરસા મુંડાની 150મી જન્મજયંતિ

  • ભરૂચમાં કરવામાં આવી ઉજવણી

  • લોકડાયરાનું કરાયુ આયોજન

  • અભેસિંહ રાઠોડ અને તેમના વૃંદે ગીત-સંગીતનો રસથાળ પીરસ્યો

  • નારાયણ વિદ્યાવિહાર ખાતે આયોજન

જન નાયક બિરસા મુંડાની 150મી જન્મ જયંતી નિમિત્તે ભરૂચમાં લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકગીતો અને ભજનોની રમઝટ બોલાવવામાં આવી હતી
જનનાયક બિરસા મુંડાની 150મી જન્મ જયંતીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભરૂચની નારાયણ વિદ્યાવિહાર ખાતે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના આર્થિક સહયોગથી દેશની સ્વતંત્રતા માટે પ્રાણની આહુતિ આપનાર ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતી નિમિત્તે લોક ડાયરો યોજાયો હતો. જેમાં કલાકાર અભેસિંહ રાઠોડ, અનુરાધા રાવલ, હરિસિંહ સોલંકી, ઘનશ્યામ ગઢવી સહીત તેમના વૃંદે લોકગીતો અને ભજનોની રમઝટ બોલાવી હતી. લોકડાયરામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને જન નાયક બિરસા મુંડાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
Read the Next Article

ભરૂચ: કતોપોર દરવાજા વિસ્તારમાં વૃક્ષ જર્જરીત મકાન પર ધરાશાયી, સદનસીબે કોઈ જાનહાની નહીં

ભરૂચમાં ચોમાસાની સિઝનમાં તારાજીના અનેક દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે ભરૂચના કતોપોર દરવાજા વિસ્તારમાં આવેલ વડાપડાને જોડતા માર્ગ પર વૃક્ષ ધરાશયી થઈ ગયું હતું.

New Update
gar

ભરૂચમાં ચોમાસાની સિઝનમાં તારાજીના અનેક દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે ભરૂચના કતોપોર દરવાજા વિસ્તારમાં આવેલ વડાપડાને જોડતા માર્ગ પર વૃક્ષ ધરાશયી થઈ ગયું હતું.

વૃક્ષ નજીકમાં આવેલા જર્જરીત મકાન પર ધારાશયી થતા દોડધામ મચી જવા પામી હતી.જોકે મકાનમાં કોઈ રહેતું ન હોવાના કારણે મોટી દુર્ઘટના અટકી હતી. બનાવની જાણ થતા જ નગરસેવા સદન તેમજ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ દોડી આવ્યા હતા અને વીજ પુરવઠો બંધ કરી વૃક્ષને બાજુ પર હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસા પહેલાં નગરસેવા સદન દ્વારા મકાનો ઉતારી લેવા માટે મકાન માલિકોને નોટિસ પાઠવવામાં આવી હતી આમ છતાં કોઈ ત્વરિત કામગીરી ન થતાં આવી દુર્ઘટનાઓ વારંવાર બને છે.