ભરૂચ: જનનાયક બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે લોકડાયરો યોજાયો

જન નાયક બિરસા મુંડાની 150મી જન્મ જયંતી નિમિત્તે ભરૂચમાં લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકગીતો અને ભજનોની રમઝટ બોલાવવામાં આવી હતી

New Update
  • જનનાયક બિરસા મુંડાની 150મી જન્મજયંતિ

  • ભરૂચમાં કરવામાં આવી ઉજવણી

  • લોકડાયરાનું કરાયુ આયોજન

  • અભેસિંહ રાઠોડ અને તેમના વૃંદે ગીત-સંગીતનો રસથાળ પીરસ્યો

  • નારાયણ વિદ્યાવિહાર ખાતે આયોજન

જન નાયક બિરસા મુંડાની 150મી જન્મ જયંતી નિમિત્તે ભરૂચમાં લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકગીતો અને ભજનોની રમઝટ બોલાવવામાં આવી હતી
જનનાયક બિરસા મુંડાની 150મી જન્મ જયંતીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભરૂચની નારાયણ વિદ્યાવિહાર ખાતે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના આર્થિક સહયોગથી દેશની સ્વતંત્રતા માટે પ્રાણની આહુતિ આપનાર ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતી નિમિત્તે લોક ડાયરો યોજાયો હતો. જેમાં કલાકાર અભેસિંહ રાઠોડ, અનુરાધા રાવલ, હરિસિંહ સોલંકી, ઘનશ્યામ ગઢવી સહીત તેમના વૃંદે લોકગીતો અને ભજનોની રમઝટ બોલાવી હતી. લોકડાયરામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને જન નાયક બિરસા મુંડાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
Read the Next Article

ભરૂચ : નિકોરાના આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ,800થી વધુ બહેનોએ લીધો લાભ

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે 13 વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

New Update
  • સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન વિષય પર યોજાઈ શિબિર

  • નિકોરા આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે યોજાઈ શિબિર

  • રાજપૂત સમાજની દીકરીઓ માટે કરાયું આયોજન

  • 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

  • રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘના હોદેદારોનું કરાયું સન્માન

ભરૂચના નિકોરા આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ હતી. જેમાં800થી વધારે બહેનોએ આ શિબિરનો લાભ લીધો હતો.

ભરૂચ તાલુકાના નિકોરા ગામેમાં નર્મદા નદીના કિનારે આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘ અને યુવા પાંખ ભરૂચ જિલ્લા દ્વારા આયોજિત સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિરમાં800બહેનોએ શિબિરનો લાભ લીધો હતો.

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે13વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ આધુનિક યુગમાં પરિવારમાં સાંસ્કૃતિક સમસ્યાઓ થાય છેમેરેજ પછી  પોતાના જીવનમાં મૂલ્યવાન સમજણ આવે સાસરિયામાં પણ સંયુક્ત કુટુંબ સાથે રહી સમાજ અને પોતાનું નામ રોશન કરે તેવા ઉમદા હેતુથી સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં800થી વધુ દીકરીઓએ ઉપસ્થિત રહી પોતાના જીવનમાં પરિવર્તન માટેની હાંકલ  કરી હતી. આ સાથે જ આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના નવ  નિયુક્ત હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.