ભરૂચ: નવચોકી ઓવારે આવેલા શંકરાચાર્ય મઠ ખાતે માં નર્મદાની મહાઆરતી યોજાય

ભરૂચના નર્મદા નદી કિનારે આવેલા નવચોકી ઓવારે આવેલા શંકરાચાર્ય મઠ ખાતે વર્ષના છેલ્લા રવિવારના રોજ માં નર્મદાની મહાઆરતી આયોજન કરાયું હતું.

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • નવચોકી ઓવારે આયોજન કરાયુ

  • માં નર્મદાની મહાઆરતી યોજાય

  • મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા

  • મુકતાનંદ સ્વામી દ્વારા આયોજન

ભરૂચના નર્મદા નદી કિનારે આવેલા નવચોકી ઓવારે આવેલા શંકરાચાર્ય મઠ ખાતે વર્ષના છેલ્લા રવિવારના રોજ માં નર્મદાની મહાઆરતી આયોજન કરાયું હતું.જેમાં મોટી સંખ્યામાં શહેરીજનોએ ઉપસ્થિત રહીને મહાઆરતીનો લાભ લીધો હતો.
ભરૂચએ ભૂમિ છે જ્યાં જીવનની પ્રથમ શરૂઆત થઈ હતી. આ ભૂમિ ભગવાન શિવની બાલ લીલાઓનું સૌથી મોટું કેન્દ્ર છે. મા નર્મદા ભરૂચની આ ભૂમિ પર જ રત્નસાગરથી સંગમ કરે છે.આ તે સ્થાન છે જ્યાં માત્ર પૃથ્વી જ નહીં પરંતુ સમગ્ર બ્રહ્માંડના તીર્થધામો ગુપ્ત રીતે રહે છે.આ યાત્રાધામની જાળવણી અને પ્રચાર કરવાની આપણા સૌની સામૂહિક જવાબદારી છે.ત્યારે નર્મદા નદી કિનારે આવેલા નવચોકી ઓવારે આવેલા શંકરાચાર્ય મઠ ખાતે મઠના મહંત સ્વામી મુકતાનંદની ઉપસ્થિતિમાં વર્ષના છેલ્લા રવિવારના રોજ માં નર્મદાજી મહાઆરતીનુ આયોજન કરાયું હતું. જેનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં તેમના પ્રત્યેની આસ્થા,પર્યાવરણ અને સામાજિક અને લોકોમાં નર્મદા માતા પ્રત્યેની શ્રધ્ધા માટે મહાઆરતીનું આયોજન કરાયું છે.જેમાં શહેરના અંદાજીત 100થી 150 લોકો ઉપસ્થિત રહીને માતાજીની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી.
Read the Next Article

અંકલેશ્વર: અસ્થિર મગજના ઇસમે વૃદ્ધ પર ચપ્પુના ઘા ઝીંકી ગામ માથે લીધું, અંતે પાલિકા અને પોલીસની ટીમે પકડ્યો

અંકલેશ્વરમાં અસ્થિર મગજના ઈસમે ગામ માથે લીધું હતું.ચપ્પુ લઇ એક વૃદ્ધ પર 3 થી 4 ઘા ઝીંકી દીધા હતા.લોકો પકડવા દોડ્યા તો ડાંગ અને છરી લઇ લોકો પાછળ દોડ્યો હતો. 

New Update
ank

અંકલેશ્વરમાં અસ્થિર મગજના ઈસમે ગામ માથે લીધું હતું.ચપ્પુ લઇ એક વૃદ્ધ પર 3 થી 4 ઘા ઝીંકી દીધા હતા.લોકો પકડવા દોડ્યા તો ડાંગ અને છરી લઇ લોકો પાછળ દોડ્યો હતો. 

અંકલેશ્વર માં શુક્વારના રોજ એક વિચિત્ર ઘટનાએ  લોકોને દોડતા કરી દીધા હતા. અંકલેશ્વર વ્હોરવાડ ખાતે રહેતા ફારુખ નામનો માનસિક રીતે બીમાર વ્યક્તિ 2 મહિના પહેલા જ વડોદરાથી પરિવારજનો દ્વારા સારવાર કરી પરત આવ્યા હતા જોકે દવા બંધ થઇ જતા ફારુખ પુનઃ માનસિક બીમારીમાં આવી અભદ્ર વર્તન કરવાનું શરુ કરી દીધું હતું. ફળીયામાં નગ્ન ફરવા સાથે લાકડાની ડાંગ , કુહાડી ચપ્પુ લઇ નીકળી પડતો હતો. જેણે આજરોજ ફળિયામાં રહેતા 65 વર્ષીય વૃદ્ધ કાસીમભાઈ પર અચાનક ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો અને એક પછી એક 3 થી 4 ધા કરી દીધા હતા જેઓએ બુમાબુમ કરતા લોકો તેને પકડવા માટે દોડ્યા હતા જો કે લાકડાના ડંડા અને ચપ્પુ લઇ પકડવા આવતા લોકો પર પણ હુમલો કરતો હતો.અંતે ફાયર વિભાગ અને પોલીસની ટીમ દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. હુમલામાં ઘવાયેલા કાસીમભાઈ હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.