ભરૂચ: નવચોકી ઓવારે આવેલા શંકરાચાર્ય મઠ ખાતે માં નર્મદાની મહાઆરતી યોજાય

ભરૂચના નર્મદા નદી કિનારે આવેલા નવચોકી ઓવારે આવેલા શંકરાચાર્ય મઠ ખાતે વર્ષના છેલ્લા રવિવારના રોજ માં નર્મદાની મહાઆરતી આયોજન કરાયું હતું.

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • નવચોકી ઓવારે આયોજન કરાયુ

  • માં નર્મદાની મહાઆરતી યોજાય

  • મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા

  • મુકતાનંદ સ્વામી દ્વારા આયોજન

ભરૂચના નર્મદા નદી કિનારે આવેલા નવચોકી ઓવારે આવેલા શંકરાચાર્ય મઠ ખાતે વર્ષના છેલ્લા રવિવારના રોજ માં નર્મદાની મહાઆરતી આયોજન કરાયું હતું.જેમાં મોટી સંખ્યામાં શહેરીજનોએ ઉપસ્થિત રહીને મહાઆરતીનો લાભ લીધો હતો.
ભરૂચએ ભૂમિ છે જ્યાં જીવનની પ્રથમ શરૂઆત થઈ હતી. આ ભૂમિ ભગવાન શિવની બાલ લીલાઓનું સૌથી મોટું કેન્દ્ર છે. મા નર્મદા ભરૂચની આ ભૂમિ પર જ રત્નસાગરથી સંગમ કરે છે.આ તે સ્થાન છે જ્યાં માત્ર પૃથ્વી જ નહીં પરંતુ સમગ્ર બ્રહ્માંડના તીર્થધામો ગુપ્ત રીતે રહે છે.આ યાત્રાધામની જાળવણી અને પ્રચાર કરવાની આપણા સૌની સામૂહિક જવાબદારી છે.ત્યારે નર્મદા નદી કિનારે આવેલા નવચોકી ઓવારે આવેલા શંકરાચાર્ય મઠ ખાતે મઠના મહંત સ્વામી મુકતાનંદની ઉપસ્થિતિમાં વર્ષના છેલ્લા રવિવારના રોજ માં નર્મદાજી મહાઆરતીનુ આયોજન કરાયું હતું. જેનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં તેમના પ્રત્યેની આસ્થા,પર્યાવરણ અને સામાજિક અને લોકોમાં નર્મદા માતા પ્રત્યેની શ્રધ્ધા માટે મહાઆરતીનું આયોજન કરાયું છે.જેમાં શહેરના અંદાજીત 100થી 150 લોકો ઉપસ્થિત રહીને માતાજીની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી.
Read the Next Article

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો, રાજ્યના કુલ 9 જિલ્લાઓ હવામાન વિભાગે 'ઓરેન્જ' અને 'યલો' એલર્ટ કર્યા જાહેર

હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. આ વચ્ચે, હવામાન વિભાગે આવતીકાલે એટલે કે જુલાઈ 7 ના રોજ પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે,

New Update
guj

હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. આ વચ્ચે, હવામાન વિભાગે આવતીકાલે એટલે કે જુલાઈ 7 ના રોજ પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે, જે દર્શાવે છે કે ચોમાસું 2025 રાજ્યમાં સંપૂર્ણપણે સક્રિય છે.

આવતીકાલનું હવામાન રાજ્યના કુલ 9 જિલ્લાઓ માટે મહત્ત્વનું રહેશે, જ્યાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડવાની શક્યતા છે. આ અંગે હવામાન વિભાગે 'ઓરેન્જ' અને 'યલો' એલર્ટ જાહેર કર્યા છે.

આવતીકાલના વરસાદની આગાહી અને એલર્ટ

હવામાન વિભાગના વરસાદ સમાચાર મુજબ, આવતીકાલે જુલાઈ 7 ના રોજ દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓ – નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલી માં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે, જેના પગલે 'ઓરેન્જ એલર્ટ' આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં વહીવટી તંત્રને સાબદું રહેવા અને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.

આ ઉપરાંત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અન્ય પાંચ જિલ્લાઓ – અમરેલી, ભાવનગર, સુરત, તાપી અને ડાંગ માં પણ ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને 'યલો એલર્ટ' જાહેર કરાયું છે.

તંત્ર અને નાગરિકો માટે સૂચનાઓ

વરસાદની આ આગાહીને પગલે સ્થાનિક તંત્ર દ્વારા નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને 'ઓરેન્જ એલર્ટ' ધરાવતા વિસ્તારોમાં લોકોને બિનજરૂરી રીતે બહાર ન નીકળવા, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે તેવી શક્યતા હોવાથી સાવધ રહેવા, અને વીજળીના કડાકા-ભડાકા સમયે સુરક્ષિત સ્થળે આશ્રય લેવા જણાવાયું છે. વરસાદના કારણે દરિયામાં ભારે કરંટ જોવા મળી શકે છે, જેથી માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.