ભરૂચ : મોંઘાદાટ ખાદ્યતેલ સામે ઝઘડીયા પંથકના આદિવાસીઓ માટે આર્શિવાદરૂપ બન્યું મહુડા-ડોળીનું તેલ…

ભરૂચ જિલ્લાના ઝઘડીયા પંથકના આદિવાસીઓ માટે મહુડાના ફળ એવા ડોળીમાંથી બનતું તેલ આશીર્વાદરૂપ સાબિત થયું છે,

New Update

ભરૂચ જિલ્લાના ઝઘડીયા પંથકના આદિવાસીઓ માટે મહુડાના ફળ એવા ડોળીમાંથી બનતું તેલ આશીર્વાદરૂપ સાબિત થયું છેત્યારે હાલ ડોળીમાંથી તેલ પિલવાની સીઝન શરૂ થતાં જ તેલ પિલવાની ઘંટીએ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.

હાલ આદિવાસીઓ ડોળીમાંથી તેલ કઢાવા માટે ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ખાતે લાઈન લગાવી રહ્યા છે. મોંઘાદાટ સીંગતેલની અવેજીમાં ડોળીનું તેલ આદિવાસીઓને સાવ મફતમાં સસ્તું પડે છે. સાવ મફતમાં પડતું આરોગ્ય વર્ધક તેલ આદિવાસીઓ સમગ્ર વર્ષ માટે ભરી રાખે છે. માલીશ માટે અને ખાવામાં વપરાતું તેલ આદિવાસીઓનું ટોનિક ગણાય છે. સામાન્ય રીતે ગુજરાતીઓ ખાદ્યતેલ તરીકે સીંગતેલકપાસીયાસૂરજમુખીરાયડા અને સરસવનું તેલ વાપરતા હોય છે.

પરંતુ આદિવાસીઓ ડોળીનું તેલ ઉપયોગમાં લઈ રહ્યા છે. ઝઘડીયા પંથકમાં પુષ્કળ મહુડાના ઝાડ આવેલા છેતેના પર ડોળી નામનું ફળ લાગે છે. આ ફળ પાકે ત્યારે તે નીચે જમીન પર પડી જાય છે. આદિવાસીઓ ડોળીને વીણી તેને ફોડી સુકવીને કોથળા તેમજ થેલા ભરી લે છે. હાલ ડોળીમાંથી તેલ પિલવાની સીઝન શરૂ થઈ છે. હાલ આદિવાસીઓ કોથળામાં ડોળી ભરીને તેલ પિલવાની ઘંટીએ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. સાથે જ તેલનો ખાલી ડબ્બો લઈને આવે છેપછી એ ડબ્બામાં ડોળીનું તેલ ભરીને ઘરે લઈ જાય છે. માત્ર તેલ પિલવાનો ખર્ચ નજીવો હોવાથી સરવાળે આદિવાસીઓને આ તેલ સાવ મફતમાં પડી રહે છે. ખાવામાં પણ આરોગ્ય વર્ધક હોવાથી ડોળીનું તેલ ખાતા આદિવાસીઓ ક્યારેય બીમાર પડતા નથી. હાલ ઉમલ્લા ખાતે તેલ પીલવાની ઘંટીએ તેલ પિલાવા આદિવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.

Read the Next Article

ભરૂચ : નિકોરાના આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ,800થી વધુ બહેનોએ લીધો લાભ

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે 13 વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

New Update
  • સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન વિષય પર યોજાઈ શિબિર

  • નિકોરા આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે યોજાઈ શિબિર

  • રાજપૂત સમાજની દીકરીઓ માટે કરાયું આયોજન

  • 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

  • રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘના હોદેદારોનું કરાયું સન્માન

ભરૂચના નિકોરા આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ હતી. જેમાં800થી વધારે બહેનોએ આ શિબિરનો લાભ લીધો હતો.

ભરૂચ તાલુકાના નિકોરા ગામેમાં નર્મદા નદીના કિનારે આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘ અને યુવા પાંખ ભરૂચ જિલ્લા દ્વારા આયોજિત સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિરમાં800બહેનોએ શિબિરનો લાભ લીધો હતો.

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે13વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ આધુનિક યુગમાં પરિવારમાં સાંસ્કૃતિક સમસ્યાઓ થાય છેમેરેજ પછી  પોતાના જીવનમાં મૂલ્યવાન સમજણ આવે સાસરિયામાં પણ સંયુક્ત કુટુંબ સાથે રહી સમાજ અને પોતાનું નામ રોશન કરે તેવા ઉમદા હેતુથી સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં800થી વધુ દીકરીઓએ ઉપસ્થિત રહી પોતાના જીવનમાં પરિવર્તન માટેની હાંકલ  કરી હતી. આ સાથે જ આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના નવ  નિયુક્ત હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.