ભરૂચ : એક’તરફી વલણના આક્ષેપ સાથે ધારાસભ્ય ચૈતર વસાવાનું તંત્રને આવેદન, જુઓ શું છે સમગ્ર મામલો..!

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચ કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપી તંત્રનું એકતરફી વલણ હોવાનો આક્ષેપ કર્યો

New Update
  • તંત્ર દ્વારા કલેક્ટર કચેરી નજીકના દબાણોને દૂર કરાયા

  • ટોલટેક્સ પર હાઈવે ઓથોરિટી દ્વારા કરાતી મનમાની

  • ખાણીપીણીની વસ્તુઓ વેચતા લોકોને હટાવવામાં આવ્યા

  • ચૈતર વસાવાએ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી

  • તંત્રનું એકતરફી વલણ હોવાનો ચૈતર વસાવાનો આક્ષેપ 

ભરૂચ કલેક્ટર કચેરી નજીકના દબાણો દૂર કરવા સહિત ટોલ ટેક્સ પર છૂટક ખાણીપીણીની વસ્તુઓ વેચતા લોકોને હાઈવે ઓથોરિટી દ્વારા હટાવવામાં આવતા નર્મદા જિલ્લાના ડેડીયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચ કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપી તંત્રનું એકતરફી વલણ હોવાનો આક્ષેપ કર્યો હતો.

ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે ભરૂચ કલેક્ટર કચેરી નજીકના ઝૂંપડાઓ તથા લારી-ગલ્લાઓ તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતાજ્યારે ટોલ ટેક્સ પર છૂટક ખાણી-પીણીની વસ્તુઓ વેચતા લોકોને પણ હાઈવે ઓથોરિટી દ્વારા વારંવાર હટાવવામાં આવતા આ બન્ને બાબતોને ધ્યાનમાં રાખીને ભરૂચ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી હતી.

તેમ છતાં કોઈ પરિણામ ન મળતા આજરોજ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચ કલેક્ટર ખાતે પહોંચી RDC એન.આર.ધાંધલને મૌખિક રજૂઆતો કરી હતી. તંત્રના એકતરફી વલણ સામે આક્રોશ વ્યક્ત કરતાં ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, "તંત્ર મોટા બિલ્ડરોના ગેરકાયદેસર દબાણો સામે કોઈ પગલાં ભરતું નથી. પણ ગરીબ લારીવાળાઓ અને ઝૂંપડાવાસીઓને હટાવીને એમને નિરાધાર બનાવે છે." તેમણે માંગ કરી હતી કેહાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી હોયત્યારે આ લોકોને હાલ પૂરતા નહીં હટાવીતેમની વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે પણ માંગ કરી હતી. જો તંત્ર દ્વારા આ વિષય પર કોઈ કાર્યવાહી નહી કરાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.