ભરૂચ: રાજપારડી ખાતે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ પ્રસંગે ધારાસભ્યએ પુષ્પાંજલિ કરી અર્પણ

ભરૂચ જિલ્લાના રાજપારડી ખાતે આદિવાસી જનનાયક બિરસા મુંડાના જન્મજયંતિ પ્રસંગેની ઉજવણી કરવામાં આવી હતી,આ પ્રસંગે ધારાસભ્ય દ્વારા બિરસા મુંડાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી.

New Update
  • રાજપારડીમાં  આદિવાસી જનનાયક બિરસા મુંડાનાં જન્મજ્યંતિ પ્રસંગની ઉજવણી

  • ધારાસભ્ય દ્વારા બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ કરી અર્પણ

  • આ પ્રસંગે આતશબાજી અને મીઠાઈ પણ વહેંચવામાં આવી 

  • ધારાસભ્યે સૌને બિરસા મુંડાની જન્મજયંતિ પ્રસંગની પાઠવી શુભેચ્છા

  • ગ્રામ પંચાયતના સરપંચ સહિતના આગેવાનો પણ રહ્યા ઉપસ્થિત  

ભરૂચ જિલ્લાના રાજપારડી ખાતે આદિવાસી જનનાયક બિરસા મુંડાના જન્મજયંતિ પ્રસંગેની ઉજવણી કરવામાં આવી હતી,આ પ્રસંગે ધારાસભ્ય દ્વારા બિરસા મુંડાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે આદિવાસી જનનાયક  બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી ધારાસભ્ય રિતેશ વસાવાની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. રાજપારડી ચાર રસ્તા સ્થિત ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ધારાસભ્ય રિતેશ વસાવા તેમજ અન્ય ઉપસ્થિત લોકોએ પુષ્પાંજલિ અર્પણ કરી તેમજ એકબીજાને મીઠાઈ ખવડાવી તને આતસબાજી કરી ઉજવણી કરી હતી.ધારાસભ્ય રિતેશ વસાવા દ્વારા સૌને બિરસા મુંડાની જન્મજ્યંતિની શુભેચ્છા પાઠવી હતી.આ કાર્યક્રમમાં રાજપારડી ગ્રામ પંચાયતના સરપંચ કાલિદાસ વસાવા,ઈમ્તિયાઝ બાપુ,જશવંત વસાવા,મુકેશ વસાવા,ધારાસભ્યના પુત્ર પ્રિયાન વસાવા તેમજ આદિવાસી સમાજના વડીલો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Read the Next Article

ભરૂચ : આમોદના કાંકરીયા ગામની પ્રાથમિક શાળામાં ધો.1 થી 5ના વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક જ શિક્ષક!

કાંકરીયા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષકના અભાવે બાળકોનું ભવિષ્ય ચિંતાગ્રસ્ત બન્યું છે.ધો.1થી 5 સુધીની શાળામાં માત્ર એક જ શિક્ષક ફરજ બજાવી રહ્યા છે.

New Update
  • કાંકરીયા પ્રાથમિક શાળાનો બનાવ

  • ધો.1થી 5માં અભ્યાસ કરે છે બાળકો

  • જોકે માત્ર એક જ શિક્ષકથી ચાલે છે શાળા

  • બાળકોના ભવિષ્ય પર સર્જાયો પ્રશ્નાર્થ?

  • વધુ શિક્ષકોની ભરતી માટે ઉઠી માંગ 

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરીયા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષકના અભાવે બાળકોનું ભવિષ્ય ચિંતાગ્રસ્ત બન્યું છે.ધો.1થી 5 સુધીની શાળામાં માત્ર એક જ શિક્ષક ફરજ બજાવી રહ્યા છે.

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શિક્ષણનીતિને લઈને વિવિધ કાર્યક્રમો અને યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે,આ ઉપરાંત શાળા પ્રવેશોત્સવ થકી પણ શૈક્ષણિક ક્ષેત્રે સરકાર પોતાની ઉત્કૃષ્ટ કામગીરી દર્શાવી રહી છે,ત્યારે બીજી તરફ  નજર કરીએ તો હકીકત વિપરીત હોવાનું જાણવા મળી રહ્યું છે.

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરીયા ગામે  ધોરણ 1 થી 5 માં અભ્યાસ માટે ફક્ત એક જ શિક્ષકની ફાળવણી કરવામાં આવતા બાળકોનો અભ્યાસક્રમ બગડી રહ્યો છે. અને આ શિક્ષક પણ સરકારી મિટિંગમાં જવાનું હોવાથી ક્યારે સ્કૂલમાં બાળકોને અભ્યાસ કરાવશે તે પણ નક્કી હોતુ નથી.ગામમાં શાળા છે અને તેમાં બાળકો પણ છે પરંતુ શિક્ષકોની અપૂરતી વ્યવસ્થાએ બાળકોના ભવિષ્યનેચિંતાગ્રસ્ત બનાવી દીધું છે.

કાંકરિયા ગામના આગેવાન અને સરપંચ પતિ પ્રવીણ ઠાકોર દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે. અને અભ્યાસ અર્થે આવતા બાળકોને પણ શિક્ષણ મેળવવા માટેનો પ્રેમ હોવાથી વિદ્યાર્થીઓની પણ માંગણી છે કે તેમને બે થી ત્રણ શિક્ષકની ફાળવણી કરવામાં આવે,પરંતુ કાંકરિયા ગામમાં સરકારના મહત્વના ભણતર અંગેના સૂત્ર "સૌ ભણે અને સૌ આગળ વધે" નું પણ અહીંયા ઉલ્લંઘન થતું હોય તેમ જોવા મળી રહ્યું છે.

આ એક અતિ ગંભીર સમસ્યા આમોદ તાલુકાના કાંકરીયા ગામે સામે આવી છે.જ્યાં ધોરણ 1થી 5માં ફક્ત એક જ શિક્ષક ફરજ બજાવીને બાળકોને ભણાવી રહ્યા છે.જેને લઈને ગ્રામજનોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે.અને વહેલી તકે શાળામાં પૂરતા શિક્ષકોની ભરતી કરવામાં વે તેવી માંગ પણ ગ્રામજનો કરી રહ્યા છે.