ભરૂચ : શ્રી રામજાનકી આશ્રમ-ઝાડેશ્વર ખાતે ગૌ પૂજન કરી માતૃ-પિતૃ દિવસની વિશેષ ઉજવણી કરાય...

ભારતનું યુવાધન દેશની ભવ્ય સનાતન સંસ્કૃતિથી વિમુખ થઇ રહી છે, ત્યારે તેઓમાં બાલ્યાવસ્થાથી જ ઉત્તમ સંસ્કારોનું સિંચન થાય તેવા હેતુથી માતૃ-પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવે છે.

New Update
  • ઝાડેશ્વર વિસ્તારમાં શ્રી રામજાનકી આશ્રમ ખાતે આયોજન

  • ગૌ પૂજન કરી માતૃ-પિતૃ દિવસની વિશેષ ઉજવણી કરાય

  • આજનો યુવાધન ભવ્ય સનાતન સંસ્કૃતિથી થઈ રહ્યો વિમુખ

  • બાલ્યાવસ્થાથી જ ઉત્તમ સંસ્કારોનું સિંચન થાય તેવો હેતુ

  • ગૌ પૂજનના કાર્યક્રમમાં સામાજિક સંસ્થાના સભ્યોની હાજરી

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત શ્રી રામજાનકી આશ્રમ ખાતે ગૌ પૂજન કરી માતૃ-પિતૃ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.

ભારતનું યુવાધન દેશની ભવ્ય સનાતન સંસ્કૃતિથી વિમુખ થઇ રહી છેત્યારે તેઓમાં બાલ્યાવસ્થાથી જ ઉત્તમ સંસ્કારોનું સિંચન થાય તેવા હેતુથી માતૃ-પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવે છે. માતા ઘરનું માંગલ્ય છેતો પિતા ઘરનું અસ્તિત્વ છે. સનાતન ધર્મમાં ગાયને પણ માતાનું સ્વરૂપ માનવામાં આવ્યું છેત્યારે સામાજિક સંગઠનો શ્રી સમસ્ત બ્રહ્મસમાજ ભરૂચ શહેરશ્રી પરશુરામ સંગઠન સહિતની સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે માતા સ્વરૂપ ગાયનું પૂજન કરી માતૃ-પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રંસગે શ્રી રામાનંદ સાગર પરિવાર નિર્મિત "કાગભુશુંડી રામાયણ" સિરિયલ અને આગામી ગૌમાતા કામધેનુ સિરિયલમાં કામ કરતા ભરૂચના કલાકાર મેહુલ પટેલશ્રી રામ જાનકી આશ્રમના મહંત રાધવેન્દ્રદાસશ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ભરૂચ શહેર પ્રમુખ હેમંત શુક્લશ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના સ્થાપક રજનીકાંત રાવલશ્રી પરશુરામ સંગઠનના કિરણ જોશી સહિત સામાજિક સંસ્થાના સભ્યોએ ઉપસ્થિત રહી ગૌ પૂજન કરી માતૃ-પિતૃ પૂજનના દિવસને સાર્થક કર્યો હતો.

Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.