-
ઝાડેશ્વર વિસ્તારમાં શ્રી રામજાનકી આશ્રમ ખાતે આયોજન
-
ગૌ પૂજન કરી માતૃ-પિતૃ દિવસની વિશેષ ઉજવણી કરાય
-
આજનો યુવાધન ભવ્ય સનાતન સંસ્કૃતિથી થઈ રહ્યો વિમુખ
-
બાલ્યાવસ્થાથી જ ઉત્તમ સંસ્કારોનું સિંચન થાય તેવો હેતુ
-
ગૌ પૂજનના કાર્યક્રમમાં સામાજિક સંસ્થાના સભ્યોની હાજરી
ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત શ્રી રામજાનકી આશ્રમ ખાતે ગૌ પૂજન કરી માતૃ-પિતૃ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.
ભારતનું યુવાધન દેશની ભવ્ય સનાતન સંસ્કૃતિથી વિમુખ થઇ રહી છે, ત્યારે તેઓમાં બાલ્યાવસ્થાથી જ ઉત્તમ સંસ્કારોનું સિંચન થાય તેવા હેતુથી માતૃ-પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવે છે. માતા ઘરનું માંગલ્ય છે, તો પિતા ઘરનું અસ્તિત્વ છે. સનાતન ધર્મમાં ગાયને પણ માતાનું સ્વરૂપ માનવામાં આવ્યું છે, ત્યારે સામાજિક સંગઠનો શ્રી સમસ્ત બ્રહ્મસમાજ ભરૂચ શહેર, શ્રી પરશુરામ સંગઠન સહિતની સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે માતા સ્વરૂપ ગાયનું પૂજન કરી માતૃ-પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રંસગે શ્રી રામાનંદ સાગર પરિવાર નિર્મિત "કાગભુશુંડી રામાયણ" સિરિયલ અને આગામી ગૌમાતા કામધેનુ સિરિયલમાં કામ કરતા ભરૂચના કલાકાર મેહુલ પટેલ, શ્રી રામ જાનકી આશ્રમના મહંત રાધવેન્દ્રદાસ, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ભરૂચ શહેર પ્રમુખ હેમંત શુક્લ, શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના સ્થાપક રજનીકાંત રાવલ, શ્રી પરશુરામ સંગઠનના કિરણ જોશી સહિત સામાજિક સંસ્થાના સભ્યોએ ઉપસ્થિત રહી ગૌ પૂજન કરી માતૃ-પિતૃ પૂજનના દિવસને સાર્થક કર્યો હતો.