ભરૂચ : ઝઘડિયાના ડમલાઈ ગામે ગેરકાયદેસર ખોદકામ મુદ્દે સાંસદ અને પૂર્વ ધારાસભ્યએ સ્થળ નિરીક્ષણ કરીને તપાસની કરી માંગ

ખનીજ ચોરીનો મુદ્દો દિવસે ને દિવસે વિવાદનું કેન્દ્ર બની રહ્યો છે,ત્યારે સાંસદ મનસુખ વસાવા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ સમર્થકો સાથે સ્થળ નિરીક્ષણ કર્યું

New Update
  • ડમલાઈ ખાતે ખનીજ ચોરીનો મામલો

  • સાંસદે કરી હતી સોશિયલ મીડિયામાં પોસ્ટ

  • સાંસદ અને પૂર્વMLA દ્વારા કરાયું સ્થળ નિરીક્ષણ

  • ખનીજ ચોરો મશીનરી સાથે થયા ફરાર  

  • ખનીજ ચોરી સામે યોગ્ય તપાસની કરાઈ માંગ   

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ડમલાઈ ગામે ખનીજ ચોરીની ઉઠેલી ફરિયાદ બાદ સાંસદ મનસુખ વસાવા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું,અને જવાબદારો સામે તેઓએ તપાસની માંગ કરી હતી.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ડમલાઈ ગામે ખનીજ ચોરીની ફરિયાદ ઉઠવા પામી હતી,અને આ અંગે સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને તપાસની માંગ કરી હતી,જ્યારે પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ જનતા રેડની ચીમકી ઉચ્ચારી હતી,આજરોજ સાંસદ મનસુખ વસાવા અને મહેશ વસાવા સમર્થકોને સાથે રાખી સ્થળ નિરીક્ષણ કર્યું હતું,જોકે ગેરકાયદેસર ખોદકામ મુદ્દે જનતા રેડની જાણકારી મળી જતા ખોદકામ કરતા તત્વો પોતાની મશીનરી સાથે ગાયબ થઇ ગયા હતા.  

આ ઘટના દરમિયાન પડવાણીયા ગામના આગેવાન કનુ વસાવાએ સાંસદ મનસુખ વસાવા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાને ઉગ્ર રજૂઆત કરી હતી,અને જણાવ્યું હતું કે ખનીજ ચોરી કરતા ચોરોની યોગ્ય તપાસ કરવા માંગ કરી હતી.

ખનીજ ચોરીનો મુદ્દો દિવસે ને દિવસે વિવાદનું કેન્દ્ર બની રહ્યો છે,ત્યારે સાંસદ મનસુખ વસાવા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ સમર્થકો સાથે સ્થળ નિરીક્ષણ કર્યું હતું,મહેશ વસાવાએ જણાવ્યું હતું કે ખનીજ ચોરી અંગે ઉચ્ચક્ક્ષા સુધી રજૂઆત કરવામાં આવી છે,પરંતુ કોઈ કાર્યવાહી ન થતા જનતા રેડ કરવાનું નક્કી કર્યું હતું,ઝઘડિયા સહિતના વિસ્તારોમાં ચાલતી ખનીજ ચોરી સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ તેઓએ કરી હતી.

Read the Next Article

ભરૂચ : જિલ્લા જેલમાંથી આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદીની 14 વર્ષ બાદ વહેલી મુક્તિથી પરિવારજનોમાં ખુશી

 ભરૂચ જિલ્લા જેલ ખાતે મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદી (કેદી ક્રમાંક 35359) નવીન ઝીણાભાઈ પટેલને રાજ્ય સરકારના નિર્ણય મુજબ આજે વહેલી મુક્તિ મળી હતી.

New Update

આજીવન કેળના કેદીની મુક્તિ

14 વર્ષ બાદ જેલમાંથી મળી મુક્તિ

જેલ અધિક્ષક દ્વારા કરવામાં આવી કાર્યવાહી

સારા વર્તનથી જેલમાંથી મળી મુક્તિ

પરિવારજનોમાં સર્જાયા લાગણીસભર દ્રશ્યો

ભરૂચ જિલ્લા જેલ ખાતે મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદી (કેદી ક્રમાંક 35359) નવીન ઝીણાભાઈ પટેલને રાજ્ય સરકારના નિર્ણય મુજબ આજે વહેલી મુક્તિ મળી હતી. તેમણે અત્યાર સુધી 14 વર્ષથી વધુ સમય જેલમાં વિતાવ્યા હતા અને સમગ્ર અવધિ દરમિયાન તેમનું વર્તન ઉત્તમ રહ્યું હતું.

જેલ અધિક્ષકે જણાવ્યું હતું કેભારતીય ન્યાય સંહિતા (B.N.S.S.)ની કલમ-473 મુજબ પાત્રતા ધરાવતા કેદીની વહેલી મુક્તિ માટે જેલ અધિક્ષક વી.એમ.ચાવડાએ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સંબંધિત અધિકારીઓ અને જેલ સલાહકાર સમિતિ પાસેથી હકારાત્મક અભિપ્રાય મેળવી સરકારને દરખાસ્ત મોકલવામાં આવી હતી. રાજ્ય સરકારે બાકી રહેલી સજા માફ કરી તેમને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.જેલ બહાર આવતા જ નવીન  પટેલને મળવા તેમના પરિવારજનો અને સ્નેહીજનો હાજર રહ્યા હતા. લાંબા વિરામ પછી મળતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા અને ખુશીની લહેર જોવા મળી હતી.જેલ અધિક્ષકે તેમને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવીને વિદાય આપી હતી.