ભરૂચ: સાંસદ મનસુખ વસાવાએ ફરી પોલીસ પર કર્યા આક્ષેપ, પોલીસના ત્રાસથી યુવાને આપઘાત કર્યો હોવાના ગંભીર આરોપ

ભરૂચના સાંસદ મનસુખ વસાવે ફરી એકવાર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા છે પોલીસના ત્રાસના કારણે ભરૂચ તાલુકાના કવિઠા ગામના યુવાન

New Update
MixCollage-15-Mar-2025-09-32-AM-8465
ભરૂચના સાંસદ મનસુખ વસાવે ફરી એકવાર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા છે પોલીસના ત્રાસના કારણે ભરૂચ તાલુકાના કવિઠા ગામના યુવાન કીર્તન વસાવાએ આપઘાત કર્યો હોવાના આક્ષેપ કર્યા છે.સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં યુવાનની સ્યુસાઇડ નોટ પણ પોસ્ટ કરી છે.
સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં કરેલ પોસ્ટ અનુસાર ભરૂચ તાલુકાના કવિઠા ગામે એક આદિવાસીભાઈ કિર્તન અમૃતલાલ વસાવાએ ભરૂચ તાલુકાના નબીપુર પોલીસ સ્ટેશનના ત્રાસથી  આત્મહત્યા કરેલ છે.આ સંદર્ભે કેટલાક લોકો પોલીસને બચાવવાની કામગીરીમાં લાગી ગયા છે, પરંતુ આ વિષયમાં આદિવાસી સમાજ  અને પરિવારની માંગણી છે કે કાયદેસરની કાર્યવાહી થાય જેમાં હું પણ સમાજની સાથે છું. ખોટી રીતે પરિવારને હેરાન કરનાર અને એક સામાન્ય આદિવાસી પરિવારના ઘરના મોભીને મરવા માટે મજબૂર કરનાર જે કોઈ પણ હશે એમની ન્યાયીક તપાસ થાય અને મૃત્યુ પામનાર કિર્તનભાઈ તથા તેમના પરિવારને ન્યાય અપાવવા માટે હું મારા પૂર્ણ પ્રયત્નો કરીશ. આ મામલામાં પોલીસ દારૂના કેસમાં હેરાન કરતી હોવાનો ઉલ્લેખ યુવાને સોશ્યલ મીડિયામાં કર્યો છે ત્યારે પોલીસ અને સાંસદ વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે.
Read the Next Article

ભરૂચ: નેત્રંગના ધાંણીખુટ પાસે કરજણ નદી પર બનાવાયેલ બ્રિજ જર્જરીત હાલતમાં, તાત્કાલિક સમારકામની માંગ

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે. ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા

New Update
MixCollage-12-Jul-2025-

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે.

ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર નેત્રંગ તાલુકાના ધાંણીખુટ ગામ પાસેથી વહેતી કરજણ નદી પર વર્ષો જુનો નિમાઁણ થયેલ બ્રિજ પણ જજઁરીત હાલતમાં થઈ ગયો છે.
આ બ્રિજ ભરૂચ અને નર્મદા તેમજ મહારાષ્ટ્ર રાજ્યને જોડતો  બ્રિજ છે. હાલ આ બ્રિજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના તાબા હેઠળ છે. અંકલેશ્વર,ભરૂચ, વડોદરા અને દહેજ જીઆઇડીસીના ઔદ્યોગિક એકમોમાં બનતી ભારેખમ મશીનરીઓ  મોટા વાહનો મારફત મહારાષ્ટ્ર થઈ અન્ય રાજ્યોમાં જાય છે.બાકી અન્ય ભારદારી વાહનો પણ રોજેરોજ આ બ્રિજ પરથી પસાર થઇ રહ્યા છે. તેવા સંજોગો ગંભીરા બ્રિજની બનેલ દુર્ઘટના બાદ સ્થાનિક રહીશોમાં આ બ્રિજની જજઁરીત હાલત જોઈ ને ભય સતાવી રહ્યો છે તેવા સંજોગોમાં જીલ્લા કલેક્ટર તેમજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના અધિકારીઓ આ બ્રિજની તાત્કાલિક તપાસ હાથ ધરે તેમજ બ્રિજ આજુબાજુ તુટી ગયેલ રેલીંગની મરામત કરે એવી માંગ ઉઠી છે.
Latest Stories