ભરૂચ: વિલાયત નજીકથી પસાર થતી ભૂખી ખાડીમાં રહસ્યમય રીતે અસંખ્ય માછલીના મોતથી ફફડાટ

ગુજરાત | Featured | સમાચાર, ભરૂચના વાગરા તાલુકાના વિલાયત ગામમાંથી પસાર થતી ભૂખી ખાડીમાં રહસ્યમય રીતે અસંખ્ય માછલીઓના મૃત્યુ થતા ફફડાટ ફેલાયો છે.

New Update
ભરૂચના વાગરા તાલુકાનો બનાવ
ભૂખી ખાડીમાં અસંખ્ય માછલીના મોત
રસાયણયુક્ત પાણી ખાડીમાં છોડાયુ હોવાની આશંકા
કોઈ બેજવાબદાર ઉદ્યોગનું કારસ્તાન
જીપીસીબીએ તપાસ શરૂ કરી

ભરૂચના વાગરા તાલુકાના વિલાયત ગામમાંથી પસાર થતી ભૂખી ખાડીમાં રહસ્યમય રીતે અસંખ્ય માછલીઓના મૃત્યુ થતા ફફડાટ ફેલાયો છે. 

ભરૂચના વાગરામાં આવેલ વિલાયત જીઆઈડીસીમાં મોટા કેમિકલ ઉદ્યોગો કાર્યરત છે.અવારનવાર નાની મોટી દુર્ઘટનાઓના સમાચાર ઉદ્યોગોમાંથી પ્રાપ્ત થતા રહે છે ત્યારે વિલાયત ગામમાંથી વહેતી ભૂખી ખાડીમાં રહસ્યમય રીતે મૃત માછલીઓ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.કોઈક બેજવાબદાર ઉદ્યોગ દ્વારા વરસાદી પાણીની આડમાં કેમિકલ છોડાયુ હોવાથી જળચર પ્રાણીઓ મૃત્યુ પામ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે.આ ઘટનાને લઈને વિલાયત ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી સહિત ગામ આગેવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.સૌ પ્રથમ ગ્રામ પંચાયત દ્વારા વાગરા મામલતદારને સંબોધી આ અંગે ફરિયાદ કરવામાં આવી હતી. તો બીજી તરફ જાગૃત નાગરિકો દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જાણ કરવામાં આવતા જીપીસીબીના કર્મચારીઓ પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ખાડીમાંથી પાણીના નમુના લઈ તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા.સલામતીના ભાગરૂપે વિલાયત ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા લાઉડ સ્પીકરના માધ્યમથી ભૂખી ખાડીમાંથી પકડેલ માછલી વેચવા તેમજ આરોગવાથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી હતી.
Read the Next Article

અંકલેશ્વર : આશીર્વાદરૂપ આયુષ્યમાન વયવંદના સ્કીમ,ભડકોદ્રા ખાતે વડીલોના સન્માન સાથે નોંધણીનો કાર્યક્રમ યોજાયો

ભારત સરકાર દ્વારા વૃદ્ધો માટે આયુષ્યમાન વયવંદના સ્કીમ શરૂ કરવામાં આવી છે,આ સુવિધામાં સિનિયર સિટીઝન્સને રૂપિયા 5 લાખ સુધીની ફ્રી કેશલેસ સારવાર મળે છે.

New Update
  • વયવંદના સ્કીમ હેઠળ યોજાયો કેમ્પ

  • ભાજપ દ્વારા કરવામાં આવ્યું આયોજન

  • ભડકોદ્રા ગામ ખાતે કેમ્પનું કરાયું આયોજન

  • વય વંદના કાર્ડ નોંધણી કેમ્પ યોજાયો

  • 125થી વધુ કાર્ડની કરાય નોંધણી

  • સાંસદ મનસુખ વસાવા અને આગેવાનો રહ્યા ઉપસ્થિત

ભારત સરકાર દ્વારા વૃદ્ધો માટે આયુષ્યમાન વયવંદના સ્કીમ શરૂ કરવામાં આવી છે,આ સુવિધામાં સિનિયર સિટીઝન્સને રૂપિયા 5 લાખ સુધીની ફ્રી કેશલેસ સારવાર મળે છે.આ સ્કીમનો લાભ 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના વડીલો લઇ શકે છે.જે અંતર્ગત અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામ ખાતે આયુષ્યમાં વયવંદના નોંધણી તથા વડીલોના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો.

ભારત સરકારે વૃદ્ધો માટે એક ખાસ'શરૂ કરી છે. આ યોજનાની શરૂઆત 29 ઓક્ટોબર2024ના રોજ થઈ હતી. જે અંતર્ગત સિનિયર સિટીઝન્સને 5 લાખ રૂપિયા સુધીની ફ્રી કેશલેસ સારવાર મળે છે. આયુષ્યમાન વય વંદના કાર્ડ ખાસ કરીને 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો માટે બનાવવામાં આવ્યું છે. આ કાર્ડની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને બનાવવા માટે વૃદ્ધોએ પોતાની આવક કે આર્થિક સ્થિતિ અંગે કોઈ જાણકારી આપવાની નથી રહેતી. ભલે ને તેઓ કોઈપણ વર્ગમાંથી આવતા હોયજે પણ વડીલની  ઉંમર 70 વર્ષથી વધુ છેતો તેઓ સરળતાથી આ સ્કીમનો લાભ ઉઠાવી શકે છે.સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં આ સ્કીમ અંતર્ગત 25 લાખથી વધુ વૃદ્ધોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. લગભગ 22,000 લોકોને 40 કરોડથી વધુની સારવાર મળી ચુકી હોવાનું જાણવા મળ્યું છે.આ સ્કીમ દેશભરની 30 હજારથી વધુ હોસ્પિટલ્સમાં માન્ય છે. જેમાં 13 હજારથી વધુ પ્રાઇવેટ હોસ્પિટલો પણ સામેલ છે.

આ હોસ્પિટલોમાં 1961 પ્રકારની અલગ-અલગ બીમારીઓ અને બાકીની સ્વાસ્થ્ય સંબંધિત પ્રક્રિયાઓની સારવાર મફત મળે છે. વધુ ઉંમરના લોકોમાં સામાન્ય રીતે હાર્ટ સર્જરીઘૂંટણ  અથવા થાપામાં દુખાવોમોતિયાનું ઓપરેશન જેવી સમસ્યાઓ થાય છે. આ બધા રોગોની સારવાર આ કાર્ડની મદદથી કોઈ પણ પ્રકારની ફી વિના જ સંભવ છે.

આયુષ્યમાન વય વંદના સ્કીમ અંતર્ગત અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામ ખાતે વય વંદના નોંધણી અભિયાન તથા વડીલોના સન્માન માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ પ્રસંગે ભડકોદ્રા ગામના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.અને 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના વડીલોનું સ્થળ પર વય વંદના સ્કીમ હેઠળ નોંધણી કરવામાં આવી હતી.

આ કેમ્પમાં 125થી વધુ વડીલોને આયુષ્માન કાર્ડનું રજીસ્ટ્રેશન કરી આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવાભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદીભાજપના આગેવાન એલ.બી.પાંડેમગન પટેલભરત પટેલચંદ્રેશ પટેલ,ચીમન વસાવા અને પરેશ પટેલ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.