ભરૂચ: વિલાયત નજીકથી પસાર થતી ભૂખી ખાડીમાં રહસ્યમય રીતે અસંખ્ય માછલીના મોતથી ફફડાટ

ગુજરાત | Featured | સમાચાર, ભરૂચના વાગરા તાલુકાના વિલાયત ગામમાંથી પસાર થતી ભૂખી ખાડીમાં રહસ્યમય રીતે અસંખ્ય માછલીઓના મૃત્યુ થતા ફફડાટ ફેલાયો છે.

New Update
ભરૂચના વાગરા તાલુકાનો બનાવ
ભૂખી ખાડીમાં અસંખ્ય માછલીના મોત
રસાયણયુક્ત પાણી ખાડીમાં છોડાયુ હોવાની આશંકા
કોઈ બેજવાબદાર ઉદ્યોગનું કારસ્તાન
જીપીસીબીએ તપાસ શરૂ કરી

ભરૂચના વાગરા તાલુકાના વિલાયત ગામમાંથી પસાર થતી ભૂખી ખાડીમાં રહસ્યમય રીતે અસંખ્ય માછલીઓના મૃત્યુ થતા ફફડાટ ફેલાયો છે. 

ભરૂચના વાગરામાં આવેલ વિલાયત જીઆઈડીસીમાં મોટા કેમિકલ ઉદ્યોગો કાર્યરત છે.અવારનવાર નાની મોટી દુર્ઘટનાઓના સમાચાર ઉદ્યોગોમાંથી પ્રાપ્ત થતા રહે છે ત્યારે વિલાયત ગામમાંથી વહેતી ભૂખી ખાડીમાં રહસ્યમય રીતે મૃત માછલીઓ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.કોઈક બેજવાબદાર ઉદ્યોગ દ્વારા વરસાદી પાણીની આડમાં કેમિકલ છોડાયુ હોવાથી જળચર પ્રાણીઓ મૃત્યુ પામ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે.આ ઘટનાને લઈને વિલાયત ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી સહિત ગામ આગેવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.સૌ પ્રથમ ગ્રામ પંચાયત દ્વારા વાગરા મામલતદારને સંબોધી આ અંગે ફરિયાદ કરવામાં આવી હતી. તો બીજી તરફ જાગૃત નાગરિકો દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જાણ કરવામાં આવતા જીપીસીબીના કર્મચારીઓ પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ખાડીમાંથી પાણીના નમુના લઈ તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા.સલામતીના ભાગરૂપે વિલાયત ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા લાઉડ સ્પીકરના માધ્યમથી ભૂખી ખાડીમાંથી પકડેલ માછલી વેચવા તેમજ આરોગવાથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી હતી.
Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.