ભરૂચ: નગર સેવા સદન દ્વારા વિવિધ વોર્ડમાં રેશનકાર્ડ E-KYC કેમ્પનું કરાયુ આયોજન

રેશનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે આજરોજ ભરૂચ નગર સેવા સદન દ્વારા ભરૂચના વોર્ડ નંબર 8, 9,10 અને 11ના રેશનકાર્ડ EKYC કેમ્પનું લાલબજાર સ્કૂલ ખાતે આયોજન કરવામાં આવ્યું

New Update
  • ભરૂચ નગર સેવા સદન દ્વારા આયોજન કરાયું

  • વિવિધ વોર્ડમાં કરાયુ આયોજન

  • રેશનકાર્ડ E-KYC કરવાનો કેમ્પ યોજાયો

  • મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો

  • સ્થાનિક નગર સેવકો રહ્યા ઉપસ્થિત

Advertisment
ભરૂચ નગર સેવા સદન દ્વારા આજરોજ વિવિધ વિસ્તારોમાં રેશનકાર્ડ E-KYC કરવાનો કેમ્પ યોજાયો હતો જેનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા રેશનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે આજરોજ ભરૂચ નગર સેવા સદન દ્વારા ભરૂચના વોર્ડ નંબર 8, 9,10 અને 11ના રેશનકાર્ડ EKYC કેમ્પનું લાલબજાર સ્કૂલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. તો વોર્ડ નંબર છ ના ઈ કેવાયસી કેમ્પનું સિદ્ધિવિનાયક મંદિર નજીક આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો.700થી વધુ લાભાર્થીઓએ તેમના રેશનકાર્ડ આધારકાર્ડ સાથે લીંક કરાવ્યા હતા. આ પ્રસંગે સ્થાનિક નગર સેવકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Advertisment
Read the Next Article

અંકલેશ્વર: કમોસમી વરસાદ સાથે પ્રદૂષણના દ્રશ્યો સામે આવ્યા, રાસાયણિક પાણી ખાડીમાં વહ્યું !

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સી પમ્પીંગ સ્ટેશન ગેટ અને કેનાલ ઓવરફલો થતા રાસાયણિક પાણી અમરાવતી નદી અને છાપરા ખાડીમાં વહી ગયું જીપીસીબી દ્વારા નમૂના લેવામાં આવ્યા

New Update
  • અંકલેશ્વરમાં કમોસમી વરસાદ

  • કમોસમી વરસાદ સાથે પ્રદૂષણના દ્રશ્યો

  • પ્રદુષિત પાણી ઓવરફ્લો થયું

  • લાખો લીટર પાણી ખાડીમાં વહ્યું

  • જીપીસીબી દ્વારા નમૂના લેવામાં આવ્યા

Advertisment
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સી પમ્પીંગ સ્ટેશન ગેટ અને કેનાલ ઓવરફલો થતા રાસાયણિક પાણી અમરાવતી નદી અને છાપરા ખાડીમાં વહી ગયું હતું. હજુ ચોમાસુ બેઠું નથી એ પૂર્વે જ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વરસાદી પાણી સાથે રાસાયણિક પાણી વિપુલ માત્રામાં વહી ગયું હતું.10 દિવસમાં બીજી વાર પડેલા માવઠામાં પ્રથમ માવઠામાં અમરાવતી નદીમાં માછલાંના મોત થયા હતા અને હવે બીજા માવઠામાં જળ સંપદા અને જમીન સંપદાને વ્યાપક નુકશાન થવાના દ્રશ્યો સામે આવ્યા છે.
ખાસ કરીને સી પમ્પીંગ સ્ટેશન પાસે નોટીફાઈડ વિભાગ દ્વારા બનાવેલ પાળો અને તેની નજીક મુકેલ ગેટ પર ઓવરફ્લો થઇને ઔદ્યોગિક વસાહતનું રાસાયણિક પાણી ખાડીમાં ધોધ સ્વરૂપે વહી રહ્યું હતું.આ અંગે જીવદયા પ્રેમીઓ જીપીસીબીને જાણ કરતા અધિકારીઓએ ત્વરિત અસરથી સ્થળ પર દોડી આવ્યા હતા અને સેમ્પલ લીધા હતા તેમજ નોટીફાઈડ વિભાગના અધિકારીઓ અને ઉદ્યોગ મંડળને પ્રિ મોન્સૂન કામગીરી અંતર્ગત પાળો ઉંચો કરવા તાકીદ કરવામાં આવી હતી. 
Advertisment