ભરૂચ: નગર સેવા સદન દ્વારા વિવિધ વોર્ડમાં રેશનકાર્ડ E-KYC કેમ્પનું કરાયુ આયોજન

રેશનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે આજરોજ ભરૂચ નગર સેવા સદન દ્વારા ભરૂચના વોર્ડ નંબર 8, 9,10 અને 11ના રેશનકાર્ડ EKYC કેમ્પનું લાલબજાર સ્કૂલ ખાતે આયોજન કરવામાં આવ્યું

New Update
  • ભરૂચ નગર સેવા સદન દ્વારા આયોજન કરાયું

  • વિવિધ વોર્ડમાં કરાયુ આયોજન

  • રેશનકાર્ડ E-KYC કરવાનો કેમ્પ યોજાયો

  • મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો

  • સ્થાનિક નગર સેવકો રહ્યા ઉપસ્થિત

Advertisment W3.CSS
ભરૂચ નગર સેવા સદન દ્વારા આજરોજ વિવિધ વિસ્તારોમાં રેશનકાર્ડ E-KYC કરવાનો કેમ્પ યોજાયો હતો જેનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા રેશનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે આજરોજ ભરૂચ નગર સેવા સદન દ્વારા ભરૂચના વોર્ડ નંબર 8, 9,10 અને 11ના રેશનકાર્ડ EKYC કેમ્પનું લાલબજાર સ્કૂલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. તો વોર્ડ નંબર છ ના ઈ કેવાયસી કેમ્પનું સિદ્ધિવિનાયક મંદિર નજીક આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો.700થી વધુ લાભાર્થીઓએ તેમના રેશનકાર્ડ આધારકાર્ડ સાથે લીંક કરાવ્યા હતા. આ પ્રસંગે સ્થાનિક નગર સેવકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

અંકલેશ્વર : અંદાડા ખાતે સંત નિરંકારી મિશન દ્વારા મહારક્તદાન શિબિર યોજાઈ,70 જેટલા રકતદાતાઓએ કર્યું બ્લડ ડોનેટ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના પટેલ સ્મૃતિ ભવન ખાતે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દિલ્હી ઝોન દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • અંદાડામાં યોજાઈ મહારક્તદાન શિબિર

  • સંત નિરંકારી મિશન દ્વારા કરાયું આયોજન

  • રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી કરાયું આયોજન

  • 70થી વધુ રક્તદાતાઓએ કર્યું રક્તદાન  

  • સંસ્થા દ્વારા વર્ષમાં બે વખત કરાય છે આયોજન

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના પટેલ સ્મૃતિ ભવન ખાતે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દિલ્હી ઝોન દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચની રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી સંત નિરંકારી મિશનના સભ્યો દ્વારા 70થી વધુ યુનિટનું રક્તદાન કરવામાં આવ્યું હતું. આ સંસ્થા દ્વારા વર્ષમાં બે વખત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે,અને સંસ્થાના સભ્યો ઉત્સાહભેર રક્તદાન કરે છે.

આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી .જેમાં અંદાડા ગામના સરપંચ નીરૂ પટેલ ,સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન ઝોન અંકલેશ્વરના સંયોજક આર પી ગુપ્તા વડોદરાના જ્ઞાનપ્રચારક મહાત્મા ચીમન પરમાર,બબન મહાદિક ,સંત નિરંકારી મિશન અને મંડળના સભ્યો તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.