ભરૂચ: ન્યાયાલય ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન, 15 હજારથી વધુ કેસ રજૂ કરાયા

ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ કેસો સમાધાન અર્થે રજૂ કરવામાં આવ્યા હતા.

New Update
  • ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે આયોજન

  • તાલુકાની તમામ કોર્ટમાં પણ આયોજન

  • રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું

  • કાનૂની સેવા સત્તા મંડળના હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત

  • 15 હજારથી વધુ કેસ રજૂ કરાયા

ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ કેસો સમાધાન અર્થે રજૂ કરવામાં આવ્યા હતા.
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તેમજ ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન અનુસાર ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ભરૂચ જિલ્લા ન્યાયાલય તેમજ તમામ તાલુકાની કોર્ટમાં આજરોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.જેનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ લોક અદાલતમાં 9,000 જેટલા પેન્ડિંગ કેસ વિવિધ સંસ્થાના 15,000 કેસ તેમજ 10 હજાર જેટલા વાહનોના ઈ ચલણના કેસ રજૂ કરવામાં આવ્યા હતા. જેનો સમાધાન કરી વલણ અપનાવી નિકાલ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી ડી.બી.તિવારી સહિત ન્યાયાધીશો અને ધારાશાસ્ત્રીઓ અને પક્ષકારો ઉપસ્થિત રહ્યા હતા
Read the Next Article

ભરૂચ : કોર્ટમાં પ્રેક્ટિસ કરતા મહિલા વકીલ પર વકીલ મિત્રએ લગ્નની લાલચે દુષ્કર્મ આચર્યું હોવાની એ ડિવિઝન પોલીસ મથક નોંધાઇ ફરિયાદ !

ભરૂચમાં 55 વર્ષીય ફરિયાદી મહિલા વકીલે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમાં તેણી આક્ષેપ કર્યો છે કે ભરૂચ કોર્ટમાં વકીલાત કરવા આવતા ઓસારા

New Update
Screenshot_2025-08-13-07-57-15-01_6012fa4d4ddec268fc5c7112cbb265e7

ભરૂચમાં 55 વર્ષીય ફરિયાદી મહિલા વકીલે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે

જેમાં તેણી આક્ષેપ કર્યો છે કે ભરૂચ કોર્ટમાં વકીલાત કરવા આવતા ઓસારા ગામ વિશ્વ શાંતિ મહાકાળી મંદિરની પાછળ રહેતા નિરલ ઠાકોરે ફરિયાદી મહિલા વકીલને આજથી 10 મહિના પહેલા 26/11/ 2024 ના રોજ facebook ઉપર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું જેને મેં એક્સેપ્ટ કર્યું હતું ત્યારબાદ અમે બંને વચ્ચે મિત્રતા કેળવાતા વકીલ નીરલ ઠાકોર ફરિયાદીના ઘરે જઈ તેની સાથે શારીરિક સંબંધ બાંધી વારંવાર લગ્નની લાલચે દુષ્કર્મ કરતો અને લગ્ન કરીશું તેવું વારંવાર વચનો આપ્યા પરંતુ આરોપી વકીલ નીરલ પટેલે અન્ય યુવતી સાથે લગ્ન કર્યા હોય અને ફરિયાદી આધેડ મહિલા વકીલનું શારીરિક શોષણ કર્યું હોય તેવા આક્ષેપ સાથે એ ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વકીલ નીરલ ઠાકોર સામે બળાત્કારનો ગુનો દાખલ કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે