ભરૂચ: ન્યાયાલય ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન, 15 હજારથી વધુ કેસ રજૂ કરાયા

ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ કેસો સમાધાન અર્થે રજૂ કરવામાં આવ્યા હતા.

New Update
  • ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે આયોજન

  • તાલુકાની તમામ કોર્ટમાં પણ આયોજન

  • રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું

  • કાનૂની સેવા સત્તા મંડળના હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત

  • 15 હજારથી વધુ કેસ રજૂ કરાયા

Advertisment
ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ કેસો સમાધાન અર્થે રજૂ કરવામાં આવ્યા હતા.
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તેમજ ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન અનુસાર ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ભરૂચ જિલ્લા ન્યાયાલય તેમજ તમામ તાલુકાની કોર્ટમાં આજરોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.જેનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ લોક અદાલતમાં 9,000 જેટલા પેન્ડિંગ કેસ વિવિધ સંસ્થાના 15,000 કેસ તેમજ 10 હજાર જેટલા વાહનોના ઈ ચલણના કેસ રજૂ કરવામાં આવ્યા હતા. જેનો સમાધાન કરી વલણ અપનાવી નિકાલ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી ડી.બી.તિવારી સહિત ન્યાયાધીશો અને ધારાશાસ્ત્રીઓ અને પક્ષકારો ઉપસ્થિત રહ્યા હતા
Advertisment
Read the Next Article

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે ગાના મ્યુઝિક લવર્સ ગૃપ દ્વારા કવિ સંમેલન યોજાશે

અંકલેશ્વર જીઆઇડીસીના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે તારીખ 1લી જૂન રવિવારના રોજ રાત્રે 8 કલાકે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું જેમાં કવિરસનો થાળ પીરસવામાં આવશે.

New Update
gana music lover group

આ કાર્યક્રમ સમાજના સર્વે માટે ફ્રી છે તો સર્વે ને લાભ લેવા Gana ગ્રુપ તરફથી હાર્દિક નિમંત્રણ છે

Advertisment

અંકલેશ્વર જીઆઇડીસીના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે તારીખ 1લી જૂન રવિવારના રોજ રાત્રે 8 કલાકે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વરમાં સામાજિક કાર્યક્રમો માટે પ્રયત્નશીલ ગાના મ્યુઝિક લવર્સ ગૃપ દ્વારા દિપ કેમના વિનોદ જાગાણીના આર્થિક સહયોગથી આગામી તારીખ 1લી જૂન રવિવારે રાત્રે 8 કલાકે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

Kavi sammelan

આ પ્રસંગે ગુજરાતી સાહિત્યના મુંબઈના કવિઓ હિતેન આનંદપુરા,મુકેશ જોષી,સુરેશ ઝવેરી,જ્હોની શાહ,અર્ચના શાહ,તેમજ ભરૂચના કિરણ જોગીદાસ,હેમાંગ જોષી દ્વારા કવિરસનો થાળ પીરસવામાં આવશે.

Advertisment