ભરૂચ: અમદાવાદથી NCC કેડેટ્સની દાંડી સુધીની યાત્રા,સત્યાગ્રહની ભાવનાને જીવંત રાખવાનો પ્રયાસ

NCC ક્રેડેટ્સ દરરોજ આશરે 40 કિલોમીટરનું અંતર કવર કરીને,દેશની આઝાદી માટે સ્વાતંત્ર્ય સંગ્રામ અને સત્યાગ્રહની ભાવનાને લોકોના હૃદયમાં જીવંત રાખવાનો પ્રયાસ કરશે

New Update
  • અમદાવાદથી દાંડી સુધી દાંડી યાત્રા

  • ઐતિહાસિક દાંડી માર્ચને અદ્દભુત શ્રદ્ધાંજલિ

  • 40 NCC કેડેટ્સ દ્વારા 410 કિમીની યાત્રામાં જોડાયા

  • ભરૂચના અણખી ગામે યાત્રાનું ઉમળકાભેર સ્વાગત

  • ગાંધીજીના ઉદ્દેશ્યો અને મૂલ્યોને પુનર્જીવિત કરવાનો પ્રયાસ   

ઐતિહાસિક દાંડી માર્ચને અદ્દભુત શ્રદ્ધાંજલિ રૂપે, 20 યુવક અને 20 યુવતીઓ સહિત ગુજરાતના 40 NCC કેડેટ્સે સાબરમતી આશ્રમથી દાંડી મીઠા સત્યાગ્રહ સ્મારક સુધી 14 દિવસની કૂચ કરી છે. કુલ 410 કિલોમીટર લાંબી આ યાત્રા 10 ડિસેમ્બર 2024ના રોજ શરૂ થઈ હતી,અને 23 ડિસેમ્બર 2024ના રોજ સમાપ્ત થશે.

આ ક્રેડેટ્સ દરરોજ આશરે 40 કિલોમીટરનું અંતર કવર કરીને,દેશની આઝાદી માટે સ્વાતંત્ર્ય સંગ્રામ અને સત્યાગ્રહની ભાવનાને લોકોના હૃદયમાં જીવંત રાખવાનો પ્રયાસ કરશે.આ સાથે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ઉદ્દેશ્યો અને મૂલ્યોને પુનર્જીવિત કરવા પડશે.આ અંતર્ગત યુવાનોને વ્યસનથી દૂર રાખવા અને સ્વતંત્રતા ચળવળ સાથે જોડાયેલી યાદોને તાજી કરવાના પ્રયાસો કરવામાં આવશે.

આ યાત્રા આજે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના  અણખી ગામ ખાતે આવી પહોંચી હતી.આ 40 ક્રેડેટ્સનું શાળાના વિદ્યાર્થીઓએ ભવ્ય સ્વાગત કર્યું હતું.આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ જોડાયા હતા.આ દાંડી યાત્રાને લઈને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.

Latest Stories