ભરૂચ: નવા વર્ષને અદમ્ય ઉત્સાહ સાથે આવકારાયું, ડી.જે.પાર્ટી-આતાશબાજીની ધૂમ

ભરૂચ શહેર અને જિલ્લામાં અદમ્ય ઉતાસ સાથે નવા વર્ષને આવકારવામાં આવ્યું હતું.ઠેર ઠેર યોજાયેલ ડી.જે.પાર્ટીમાં યુવાધન મનમૂકીને ઝૂમ્યુ હતું

New Update
  • ભરૂચમાં નવા વર્ષને આવકારાયું

  • અદમ્ય ઉત્સાહ સાથે આવકાર અપાયો

  • ઠેર ઠેર ડી.જે.પાર્ટીનું આયોજન

  • ભવ્ય આતાશબાજીનો પણ નજારો

  • પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરાયુ

ભરૂચ શહેર અને જિલ્લામાં અદમ્ય ઉતાસ સાથે નવા વર્ષને આવકારવામાં આવ્યું હતું.ઠેર ઠેર યોજાયેલ ડી.જે.પાર્ટીમાં યુવાધન મનમૂકીને ઝૂમ્યુ હતું
ભરૂચ શહેરમાં 31મી ડિસેમ્બરને લઈને સીટી સેન્ટર અને ઝાડેશ્વર નર્મદા પાર્કમાં ડીજે પાર્ટીનું આયોજન કરાયું હતું.જેમાં મોટી સંખ્યામાં યુવક -યુવતીઓ ડીજેના તાલે ઝુમ્યા હતા.12 ના ટકોરે લોકોએ એક બીજાને નવા વર્ષની શુભેરછાઓ પાઠવી 2024 ને વિદાઈ આપીને નવાવર્ષ 2025ને આવકારી ડીજેના તાલે ઝૂમતા નજરે પડ્યા હતા.વધુમાં ભવ્ય અતિશબાજી કરાઈ હતી તો ફટાકડાંના અવાજોથી શહેર ગુંજી ઊઠ્યું હતું.મોટી સંખ્યામાં શહેરના માર્ગો પર લોકો ફરતાં નજરે પડ્યા હતા. આ તરફ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા પોલીસ દ્વારા સઘન ચેકીંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના વિવિધ રાજમાર્ગો અને ટ્રાફિક પોઇન્ટ પર પોલોસે ચેકીંગ હાથ ધરી નશેબાજો પર તવાઈ બોલાવી હતી.પોલીસે બ્રેથ એનેલાઈઝરની મદદ લઈ કડક ચેકીંગ હાથ ધર્યું હતું.
Read the Next Article

ભરૂચ: નર્મદા નદીની જળસપાટી 20 ફૂટને પાર, ડેમમાં પાણીની આવક ઘટી છતાં 3.95 લાખ ક્યુસેક પાણી છોડવાનું યથાવત !

નર્મદા ડેમમાંથી ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે જોકે ડેમના 15 દરવાજા ખોલી 3 લાખ 95 હજાર ક્યુસેક પાણી છોડવાનું યથાવત રાખવામાં આવી રહ્યું છે

New Update
  • સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણીની આવક

  • નર્મદા નદીની જળસપાટીમાં વધારો

  • ગોલ્ડનબ્રિજ નજીક નદીની સપાટી 20 ફૂટ

  • ડેમમાં પાણીની આવક ઘટી

  • છતાં 3.95 લાખ ક્યુસેક પાણી છોડવાનું યથાવત

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 3.95 લાખ ક્યુસેક પાણીની આવકના પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી 20 ફૂટને પાર કરી ગઈ હતી ગુજરાતની જીવાદોરી સામાન સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણીની સતત આવકના પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં સતત વધારો નોંધાયો છે.નર્મદા નદીની જળ સપાટી 20 ફૂટને પાર કરી ગઈ હતી. નર્મદા ડેમમાંથી ત્રણ લાખ 95 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેના પગલે કાંઠા વિસ્તારોમાં નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે.
નર્મદા ડેમમાંથી ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે જોકે ડેમના 15 દરવાજા ખોલી 3 લાખ 95 હજાર ક્યુસેક પાણી છોડવાનું યથાવત રાખવામાં આવી રહ્યું છે જેના પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં વધારો નોંધાયો છે. નદીની જળ સપાટી વધતા તંત્ર એલર્ટ મોડ પર છે અને કાંઠા વિસ્તારના ગામના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે જ્યારે ભયજનક સપાટી 24 ફૂટ છે.