ભરૂચ: નવા વર્ષને અદમ્ય ઉત્સાહ સાથે આવકારાયું, ડી.જે.પાર્ટી-આતાશબાજીની ધૂમ

ભરૂચ શહેર અને જિલ્લામાં અદમ્ય ઉતાસ સાથે નવા વર્ષને આવકારવામાં આવ્યું હતું.ઠેર ઠેર યોજાયેલ ડી.જે.પાર્ટીમાં યુવાધન મનમૂકીને ઝૂમ્યુ હતું

New Update
  • ભરૂચમાં નવા વર્ષને આવકારાયું

  • અદમ્ય ઉત્સાહ સાથે આવકાર અપાયો

  • ઠેર ઠેર ડી.જે.પાર્ટીનું આયોજન

  • ભવ્ય આતાશબાજીનો પણ નજારો

  • પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરાયુ

ભરૂચ શહેર અને જિલ્લામાં અદમ્ય ઉતાસ સાથે નવા વર્ષને આવકારવામાં આવ્યું હતું.ઠેર ઠેર યોજાયેલ ડી.જે.પાર્ટીમાં યુવાધન મનમૂકીને ઝૂમ્યુ હતું
ભરૂચ શહેરમાં 31મી ડિસેમ્બરને લઈને સીટી સેન્ટર અને ઝાડેશ્વર નર્મદા પાર્કમાં ડીજે પાર્ટીનું આયોજન કરાયું હતું.જેમાં મોટી સંખ્યામાં યુવક -યુવતીઓ ડીજેના તાલે ઝુમ્યા હતા.12 ના ટકોરે લોકોએ એક બીજાને નવા વર્ષની શુભેરછાઓ પાઠવી 2024 ને વિદાઈ આપીને નવાવર્ષ 2025ને આવકારી ડીજેના તાલે ઝૂમતા નજરે પડ્યા હતા.વધુમાં ભવ્ય અતિશબાજી કરાઈ હતી તો ફટાકડાંના અવાજોથી શહેર ગુંજી ઊઠ્યું હતું.મોટી સંખ્યામાં શહેરના માર્ગો પર લોકો ફરતાં નજરે પડ્યા હતા. આ તરફ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા પોલીસ દ્વારા સઘન ચેકીંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના વિવિધ રાજમાર્ગો અને ટ્રાફિક પોઇન્ટ પર પોલોસે ચેકીંગ હાથ ધરી નશેબાજો પર તવાઈ બોલાવી હતી.પોલીસે બ્રેથ એનેલાઈઝરની મદદ લઈ કડક ચેકીંગ હાથ ધર્યું હતું.
Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.