ભરૂચ: NHAI દ્વારા જંબુસર રોડ પર મેગા ડીમોલીશન હાથ ધરાયુ, દબાણકર્તાઓમાં ફફડાટ

નેશનલ હાઇવે ઓથોરિટીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર જૈમિન શાહ તેમની ટીમ સાથે જેસીબી સહિત મશીનરી સાથે પોહચી ગયા હતા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર દબાણનો સફાયો કરવાની કામગીરી હાથ ધરી

New Update
  • ભરૂચમાં તંત્રની કાર્યવાહી

  • ગેરકાયદેસર દબાણો દૂર કરાયા

  • જંબુસર રોડ પર દબાણ દૂર કરવામાં આવ્યા

  • ત્રણ વખત આપવામાં આવી હતી નોટીસ

  • પોલીસ બંદોબસ્ત સાથે રખાયો

ભરૂચ જંબુસર નેશનલ હાઈવે પર કંથારિયા ગામ નજીક નેશનલ હાઈવે ઓથોરિટી સહિત વહીવટી તંત્રના અધિકારીઓની ટીમે પોહચી પોલીસ બંદોબસ્ત સાથે મુખ્ય માર્ગ પરના ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી હતી.
ભરૂચ-જંબુસરને જોડતા મુખ્ય  માર્ગ પર આવેલા કંથારીયા ગામ પાસે ટ્રાફિકને અડચણરૂપ ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા  દબાણકર્તાઓ ને ત્રણ નોટીસ આપવા સાથે રિક્ષા ફેરવી જાહેરાત કરવામાં આવી હતી.જો કે તેમ છતાં તેઓ દ્વારા દબાણો નહિ હટાવવામાં આવતા તંત્ર એક્શનમાં આવ્યું હતું જે બાદ આજે પ્રાંત અધિકારી,મામલતદાર અને નેશનલ હાઇવે ઓથોરિટીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર જૈમિન શાહ તેમની ટીમ સાથે જેસીબી સહિત મશીનરી સાથે પોહચી ગયા હતા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર દબાણનો સફાયો કરવાની કામગીરી હાથ ધરી હતી.
જેના પગલે સમગ્ર વિસ્તાર માં ઉત્તેજના પ્રસરી જવા પામી હતી. 2દિવસમાં તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવશે તેમ નેશનલ હાઇવે ઓથોરિટી ના એક્ઝિક્યુટિવ એન્જિનિયર જૈમિન શાહ ધ્વારા  જણાવવામાં આવ્યુ હતું.આ દબાણો હટાવવામાં આવ્યા બાદ પુનઃ દબાણો ના થાય તેના માટે પણ તંત્ર દ્વારા સતત મોનીટરીંગ પણ કરવામાં આવે તે પણ જરૂરી છે.
Read the Next Article

ભરૂચ: છોટુ વસાવાને 80માં જન્મદિવસે BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાયા, કહ્યું કેટલાક પરિબળોએ અમારું સંગઠન તોડવા કર્યો પ્રયાસ !

આદિવાસી મસીહા એવા ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાનો આજે જન્મદિવસ હતો. આદિવાસી નેતા 80 વર્ષ પૂર્ણ કરી 81 માં વર્ષમાં પ્રવેશ્યા છે.

New Update
  • ભરૂચના ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય

  • છોટુ વસાવા બન્યા બિટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ

  • 80માં જન્મદિવસે કરાય જાહેરાત

  • મહેશ વસાવાએ ટેકો જાહેર કર્યો

  • મોટી સંખ્યામાં સમર્થકો રહ્યા ઉપસ્થિત

ભરૂચના ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાને 80 માં જન્મદિવસે  BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવતા ટેકેદારોએ આ જાહેરાતને વધાવી લીધી હતી
આદિવાસી મસીહા એવા ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાનો આજે જન્મદિવસ હતો. આદિવાસી નેતા 80 વર્ષ પૂર્ણ કરી 81 માં વર્ષમાં પ્રવેશ્યા છે. તેઓના જન્મદિવસે તેમને શુભેચ્છા પાઠવવા દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય પુત્ર મહેશ વસાવા, દિલીપ વસાવા, કિશોર વસાવા સાથે અન્ય આગેવાનો પણ ઉમટી પડ્યા હતા.વાલિયા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ રાજુભાઇ વસાવા, રજની વસાવા, વિજય વસાવા સહિતના આગેવાનો તેમજ સમર્થકોની હાજરીમાં છોટુ વસાવાના જન્મદિવસની ઉજવણી કરી તેઓને શુભકામનાઓ પાઠવાઈ હતી.
પૂર્વ ધારાસભ્યના જન્મદિવસે જ તેઓને BTP ના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.તાજેતરમાં જ ભાજપ સાથે મોહભંગ થતા રાજીનામુ આપનાર તેમના પુત્ર મહેશ વસાવાએ આ જાહેરાતને ટેકો જાહેર કર્યો હતો. આ અંગે છોટુ વસાવાએ જણાવ્યું હતું કે કેટલાક પરિબળોએ અમારું સંગઠન તોડવા પ્રયાસ કર્યા હતા પરંતુ હવે અમે એક થઈ લડીશું