ભરૂચ: NHAI દ્વારા જંબુસર રોડ પર મેગા ડીમોલીશન હાથ ધરાયુ, દબાણકર્તાઓમાં ફફડાટ

નેશનલ હાઇવે ઓથોરિટીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર જૈમિન શાહ તેમની ટીમ સાથે જેસીબી સહિત મશીનરી સાથે પોહચી ગયા હતા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર દબાણનો સફાયો કરવાની કામગીરી હાથ ધરી

New Update
  • ભરૂચમાં તંત્રની કાર્યવાહી

  • ગેરકાયદેસર દબાણો દૂર કરાયા

  • જંબુસર રોડ પર દબાણ દૂર કરવામાં આવ્યા

  • ત્રણ વખત આપવામાં આવી હતી નોટીસ

  • પોલીસ બંદોબસ્ત સાથે રખાયો

ભરૂચ જંબુસર નેશનલ હાઈવે પર કંથારિયા ગામ નજીક નેશનલ હાઈવે ઓથોરિટી સહિત વહીવટી તંત્રના અધિકારીઓની ટીમે પોહચી પોલીસ બંદોબસ્ત સાથે મુખ્ય માર્ગ પરના ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી હતી.
ભરૂચ-જંબુસરને જોડતા મુખ્ય  માર્ગ પર આવેલા કંથારીયા ગામ પાસે ટ્રાફિકને અડચણરૂપ ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા  દબાણકર્તાઓ ને ત્રણ નોટીસ આપવા સાથે રિક્ષા ફેરવી જાહેરાત કરવામાં આવી હતી.જો કે તેમ છતાં તેઓ દ્વારા દબાણો નહિ હટાવવામાં આવતા તંત્ર એક્શનમાં આવ્યું હતું જે બાદ આજે પ્રાંત અધિકારી,મામલતદાર અને નેશનલ હાઇવે ઓથોરિટીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર જૈમિન શાહ તેમની ટીમ સાથે જેસીબી સહિત મશીનરી સાથે પોહચી ગયા હતા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર દબાણનો સફાયો કરવાની કામગીરી હાથ ધરી હતી.
જેના પગલે સમગ્ર વિસ્તાર માં ઉત્તેજના પ્રસરી જવા પામી હતી. 2દિવસમાં તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવશે તેમ નેશનલ હાઇવે ઓથોરિટી ના એક્ઝિક્યુટિવ એન્જિનિયર જૈમિન શાહ ધ્વારા  જણાવવામાં આવ્યુ હતું.આ દબાણો હટાવવામાં આવ્યા બાદ પુનઃ દબાણો ના થાય તેના માટે પણ તંત્ર દ્વારા સતત મોનીટરીંગ પણ કરવામાં આવે તે પણ જરૂરી છે.
Read the Next Article

અંકલેશ્વર : નવા બોરભાઠા ગામ સમરસ જાહેર થતા સરપંચ અને સભ્યોને આવકારતા ગ્રામજનો

અંકલેશ્વર તાલુકાનું નવા બોરભાઠા ગામ સમરસ જાહેર થયું હતુ.અને સરપંચ તેમજ સભ્યોની ટીમ દ્વારા ગામના સર્વાંગી વિકાસની ખેવના વ્યક્ત કરવામાં આવી....

New Update
Samras Grampanchayat

અંકલેશ્વર તાલુકાનું નવા બોરભાઠા ગામ સમરસ જાહેર થયું હતુ.અને સરપંચ તેમજ સભ્યોની ટીમ દ્વારા ગામના સર્વાંગી વિકાસની ખેવના વ્યક્ત કરવામાં આવી હતી.

અંકલેશ્વર તાલુકાના નવા બોરભાઠાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગ્રામજનો અને પંચાયતના પૂર્વ સરપંચ અને આગેવાનો દ્વારા ગામના વિકાસની ખેવના સાથે સમરસ પંચાયત બનાવવા માટે ટીમ તૈયાર કરી હતી.તેઓના પ્રયાસોથી સરપંચ તરીકે ચંચળબેન સોમભાઈ પટેલ તથા તેમની પેનલના સભ્યો બિનહરીફ ચૂંટાયા આવ્યા હતા.

Juna Borbhatha Grampanchayat

જે બદલ ગામ ખાતે ગ્રામજનો અને પંચાયત આગેવાનો દ્વારા ખુશી વ્યક્ત કરીને સરપંચ તેમજ સભ્યો બિન હરીફ થવા બદલ ફુલહાર કરી સ્વાગત કર્યું હતું. તમામ સભ્યો અને ટીમ દ્વારા ગામના સર્વાંગી વિકાસની ખેવના વ્યક્ત કરવામાં આવી હતી.