ભરૂચ: આમોદના પૂરસા ગામના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર, 7 પૈકી 6 સભ્યોએ દરખાસ્તને આપ્યો ટેકો

ભરૂચના આમોદ તાલુકાના પૂરસા ગામે ગ્રામ પંચાયતના સરપંચ લખીબેન છગનભાઈ પરમાર વિરુદ્ધ પંચાયતના સાતમાંથી છ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત પાસ કરી છે.

New Update
Screenshot_2025-05-21-07-48-38-03_6012fa4d4ddec268fc5c7112cbb265e7

ભરૂચના આમોદ તાલુકાના પૂરસા ગામે ગ્રામ પંચાયતના સરપંચ લખીબેન છગનભાઈ પરમાર વિરુદ્ધ પંચાયતના સાતમાંથી છ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત પાસ કરી છે.

તા. 25/04/2025ના રોજ આ દરખાસ્ત ગ્રામ પંચાયતને રજૂ કરાઈ હતી.આ બેઠક તાલુકા પંચાયતના મદદનીશ તાલુકા વિકાસ અધિકારી નિરંજન ડી. પ્રજાપતિની અધ્યક્ષતામાં યોજાઈ હતી. મિટિંગમાં એક સભ્ય જહાંગીરખા હમિદ ખાન ગેરહાજર રહ્યા હતા જ્યારે છ સભ્યોએ દરખાસ્તને સમર્થન આપ્યું હતું.અવિશ્વાસની દરખાસ્ત માટે કારણ જણાવવામાં આવ્યું કે સરપંચ સભ્યોને વિશ્વાસમાં લીધા વિના કાર્યો કરતા હતા, જેથી લોકોમાં અસંતોષ સર્જાયો હતો.