ઉનાના આમોદ્રામાં દીપડાએ ઘરમાં ઘૂસીને ખેડૂત પર કર્યો હુમલો,વન વિભાગે દીપડાને પૂર્યો પાંજરે

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના આમોદ્રા ગામમાં વહેલી સવારે એક દીપડો ખેડૂતના ઘરમાં ઘુસ્યો હતો,અને પત્નીને બચાવવા જતા દીપડાએ ખેડતૂ પર હુમલો કર્યો હતો

New Update
  • ઉનાના આમોદ્રામાં દીપડાનો આતંક

  • એક ઘરમાં ઘૂસીને ખેડૂત પર કર્યો હુમલો

  • પત્નીને બચાવવા જતા પતિ પર દીપડાનો હુમલો

  • દીપડો રસોડામાં ઘૂસી જતા સ્થાનિકોમાં દહેશત

  • વનવિભાગે દીપડાને બેભાન કરીને પાંજરે પૂર્યો

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના આમોદ્રા ગામમાં વહેલી સવારે એક દીપડો ખેડૂતના ઘરમાં ઘુસ્યો હતો,અને પત્નીને બચાવવા જતા દીપડાએ ખેડતૂ પર હુમલો કર્યો હતો,ઈજાગ્રસ્ત ખેડૂતને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે,જ્યારે વનવિભાગે દીપડાને બેભાન કરીને પાંજરે પૂરવામાં આવતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના આમોદ્રા ગામમાં વહેલી સવારે દીપડાએ દહેશત ફેલાવી હતી. દીપડો રહેણાંક વિસ્તારમાં એક ઘરમાં ઘૂસી 50 વર્ષીય ખેડૂત પર હુમલો કર્યો હતો. વન વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ટ્રાન્ક્વિલાઈઝર ગન વડે દીપડાને બેભાન કરી પાંજરે પુર્યો હતો.

વહેલી સવારે જ્યારે રમેશભાઈના પત્ની દક્ષાબેને ઘરના વરંડાનો ગેટ ખોલ્યો ત્યારે અચાનક દીપડાએ તેમની પર હુમલો કર્યો હતો.જોકેદક્ષાબેન દોડીને તેમના ઘરની ઓસરીમાં આવી ગયા અને બૂમાબૂમ કરવા લાગ્યા હતા.

તેમનો અવાજ સાંભળીને તેમના પતિ રમેશભાઈ લાકડી લઈને દોડી આવ્યા હતા. તેમણે દીપડાનો પ્રતિકાર કર્યો હતો.જેથી દીપડો ગાયો બાંધવાના રૂમ તરફ ગયો હતો.રમેશભાઈ તેની પાછળ પાછળ જતા દીપડો ઘરના પાછળના ભાગે આવેલા રસોડાની બારીમાંથી રસોડામાં ઘૂસી ગયો હતો.

રમેશભાઇએ લાકડીથી તેને ભગાડવાનો પ્રયત્ન કરતા રોષે ભરાયેલા દીપડાએ રસોડામાં જ રમેશભાઇ પર હુમલો કર્યો હતો. જોકેઆ દરમિયાન આસપાસના લોકોએ વન વિભાગને જાણ કરી હતી. જેથી વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.

રસોડાનો દરવાજો બંધ કરી વનવિભાગની ટીમે બંધ બારણે દીપડાને બેભાન કરવા માટેના પ્રયત્નો કર્યા હતા.અંતે વન વિભાગની ટીમે દીપડાને ટ્રાન્ક્વિલાઈઝર ગન વડે બેભાન કરી રસોડામાંથી બહાર કાઢી આખરે પાંજરે પુર્યો હતો.

હાલ ઈજાગ્રસ્ત રમેશભાઈને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમને હાથે ગંભીર ઇજાઓ પહોંચી છે.ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

Read the Next Article

AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે કરી અટકાયત,વાંચો શું હતો મામલો..?

ચૈતર વસાવાને ડેડીયાપાડા થી રાજપીપલા લાવતા સમર્થકોનોમાં રોષ જોવા મળ્યો હતો. દરમ્યાન પોલીસ અને સમર્થકો વચ્ચે ઘર્ષણ જેવા દ્રષ્યો સર્જાયા..

New Update

નર્મદાના ડેડીયાપાડામાં બબાલ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાની અટકાયત કરવામાં આવી છે. પોલીસે ધારાસભ્યને પોલીસ સ્ટેશનમાંથી બહાર ન નીકળવા દેતા કાર્યકરો રોષે ભરાયા હતા. ચૈતર વસાવાને ડેડીયાપાડા થી રાજપીપલા લાવતા સમર્થકોનોમાં રોષ જોવા મળ્યો હતો. દરમ્યાન પોલીસ અને સમર્થકો વચ્ચે ઘર્ષણ જેવા દ્રષ્યો સર્જાયા હતા.

પોલીસ સ્ટેશન બહાર મોટી સંખ્યામાં ચૈતર વસાવાના સમર્થકો ઉમટ્યા હતા. તમને જણાવી દઈએ કે ડેડિયાપાડા તાલુકાનું એટીવીટીનું આયોજન હતું. તેમાં દેડિયાપાડાના પ્રમુખ, સાગબારાના પ્રમુખ અને પ્રાંત અધિકારી અને એમએલએ આટલા જ લોકો આવે પરંતુ આમ છતા દેડિયાપાડા તાલુકાના અન્ય ત્રણ નામો અને સાગબારા તાલુકાના બીજા ત્રણ નામો કમિટિમાં ઉમેરવાને લઇને ઘર્ષણ થયું હતું..આ દરમ્યાન ઝપાઝપી પણ થઇ હતી. જે બાદ ફરીયાદ નોંધાવવા માટે ચૈતર વસાવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા પરંતુ પોલીસે તેમને બહાર જવાની મનાઇ ફરમાવી તેમની અટકાયત કરી લેતા ધારાસભ્યના સમર્થકોમાં ભારે રોષ ફેલાયો હતો.