ભરૂચ: પ્રજાસત્તાક પર્વ પર શહેરે નવી દુલ્હનનો સાજ સજ્યો, આકર્ષક રોશનીનો ઝગમગાટ

રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યા છે જે રાત્રિના સમયે આકર્ષક દૃશ્ય સર્જે છે.આ સજાવટથી શહેરનું સૌંદર્ય નિખરી ઉઠ્યું છે અને નાગરિકોમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે

New Update
  • ભરૂચમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી

  • શહેરમાં ઠેર ઠેર લાઇટિંગ કરાયુ

  • શહેરે નવી દુલ્હનનો સાજ સજ્યો

  • સરકારી ઇમારતો ઝગમગી ઉઠી

  • આકર્ષક લાઇટિંગથી શહેરનો માહોલ બદલાયો

દેશના 76 માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ભરૂચ શહેરને રોશનીથી શણગારવામાં આવ્યું છે જેના કારણે શહેરે જાણે નવી દુલ્હનનો સાજ સજ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. 76મા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ભરૂચ શહેરમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
શહેરના મુખ્ય માર્ગો અને જાહેર સ્થળોને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યા છે જે રાત્રિના સમયે આકર્ષક દૃશ્ય સર્જે છે.આ સજાવટથી શહેરનું સૌંદર્ય નિખરી ઉઠ્યું છે અને નાગરિકોમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.નગર પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવેલી લાઈટની સજાવટ અને શહેરીજનોનો ઉત્સાહ જોતાં આ વર્ષે પ્રજાસત્તાક દિનની ઉજવણી વધુ ભવ્ય બની રહેશે.
Read the Next Article

ભરૂચ: મનરેગા કૌભાંડ મામલે વડોદરાના સાંસદ હેમાંગ જોશીનું નિવેદન, ભાજપ કોઈ પણ કૌભાંડીઓને છોડતી નથી

નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા ભરૂચમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રશ્ને વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ જવાબ આપ્યા હતા.

New Update

નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ

ભરૂચમાં ભાજપ દ્વારા કરાયુ આયોજન

પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયુ

સાંસદ હેમાંગ જોશીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી

વિવિધ પ્રશ્ને આપ્યા જવાબ

નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા ભરૂચમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રશ્ને વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ જવાબ આપ્યા હતા.
નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ કાર્યક્રમો અંતર્ગત ભરૂચમાં રોટરી હોલ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોષીએ પ્રેસ કોન્ફન્સ સંબોધી હતી.પત્રકાર પરિષદ દરમિયાન નરેન્દ્ર મોદી સરકારના ગયા 11 વર્ષના કાર્યકાળમાં થયેલા વિકાસ કાર્યોની વિગતો રજૂ કરવામાં આવી હતી.આ દરમિયાન પત્રકારો દ્વારા ભરૂચમાં થયેલા મનરેગા કૌભાંડ મુદ્દે સાંસદ ડૉ. હેમાંગ જોશીને પ્રશ્ન કરાતા તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભાજપ સરકાર કોઈ પણ કૌભાંડીઓ બચાવતી નથી અને આવનારા સમયમાં જે પણ દોષિત જણાશે તેની સામે  સખત  પગલાં લેવાશે.
આ તરફ તાજેતરમાં સાંસદ મનસુખ વસાવા દ્વારા પોતાના પક્ષના નેતાઓ ઉપર સહયોગ ન મળવા બાબતે કરાયેલા નિવેદન અંગે પણ પ્રશ્ન કરાયો હતો. જેના જવાબમાં ડૉ. હેમાંગ જોષીએ જણાવ્યું હતું કે, "મનસુખભાઈ અમારા આદરણીય વડીલ છે. તેઓ હંમેશા પક્ષની ચિંતા રાખે છે કહી વિવાદ પર ઠંડુ પાણી રેડવાનો તેઓએ પ્રયાસ કર્યો હતો.
પત્રકાર પરિષદમાં ભરૂચ ભાજપના પ્રભારી જનક બગદાણાવાળા, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી નિરલ પટેલ તથા કાર્યક્રમ સંયોજક દિવ્યેશ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.