ભરૂચ:ઇલાવ ગામે શ્રાવણ માસના અંતિમ શનિવારે હનુમાન ચાલીસાનું પારાયણ,પવનપુત્રને 56 ભોગ અર્પણ કરાયો

ગુજરાત | Featured | સમાચાર, ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે આજ રોજ શ્રાવણ માસના અંતિમ શનિવાર નિમિત્તે હનુમાન ચાલીસા પારાયણ અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
આજે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ શનિવાર
હાંસોટના ઇલાવ ગામે આયોજન
હનુમાન મંદિરે હનુમાન ચાલીસાના  40 પાઠ કરાયા
પવનપુત્રને 56 ભોગ અર્પણ કરાયો
મહાપ્રસાદીનું પણ આયોજન કરાયુ
ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે આજ રોજ શ્રાવણ માસના અંતિમ શનિવાર નિમિત્તે હનુમાન ચાલીસા પારાયણ અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું
પવિત્ર શ્રાવણ માસના આજે  અંતિમ શનિવારે લોકો ભક્તિમાં લીન બન્યા હતા ત્યારે હાંસોટ તાલુકાના ઇલાવ ગામે હનુમાનજી મંદિરે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. હનુમાનજી મંદિરે હનુમાન ચાલીસાના 40 પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંગીતમય રીતે હનુમાન ચાલીસાના પાઠ કરાયા હતા.વાલિયાના કરસાડ ગામના સંગીતવૃંદ દ્વારા અલગ અલગ રાગમાં હનુમાન ચાલીસાનું પારાયણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો અને ગ્રામજનો જોડાયા હતા.પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ પવનપુત્ર હનુમાનજીને 56 ભોગનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો.સાથે જ મહાપ્રસાદીનું પણ આયોજન કરાયુ હતું
Read the Next Article

અંકલેશ્વર : અંદાડા નજીક ગૌચરણમાં બનેલા RCC રોડ સહિતના ગેરકાયદે દબાણો દૂર કરવા સ્થાનિકોની માંગ...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ નજીક ગૌચરણમાં પાકા રસ્તાઓ સહિતના અન્ય દબાણો દૂર કરવાની માંગ સાથે સ્થાનિકો સહિત માલધારી સમાજએ વિરોધ નોંધાવ્યો હતો.

New Update
  • અંદાડા ગામ નજીક ગૌચરણમાં થયેલા દબાણનો મામલો

  • RCC પાકા રસ્તાઓ સહિતના અન્ય દબાણો ઊભા કરાયા

  • સ્થાનિકો સહિત માલધારી સમાજ દ્વારા વિરોધ નોંધાવાયો

  • ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે સ્થાનિકોએ માંગ કરી

  • નોટીસની અવગણના કરી બિલ્ડરોની મનમાની : સ્થાનિક

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ નજીક ગૌચરણમાં પાકા રસ્તાઓ સહિતના અન્ય દબાણો દૂર કરવાની માંગ સાથે સ્થાનિકો સહિત માલધારી સમાજએ વિરોધ નોંધાવ્યો હતો.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામને નેશનલ હાઈવે સાથે જોડતા માર્ગને અડીને આવેલ ગૌચરણમાં છેલ્લા ઘણા સમયથી પાકા રસ્તાઓ તેમજ અન્ય દબાણો ઉભા કરવામાં આવ્યા છે. અંદાડા ગ્રામ પંચાયત હસ્તકના સરકારી ગૌચરમાં કેટલાંક બિલ્ડરો દ્વારા પોતે બનાવેલ સોસાયટીમાં જવા-આવવા માટેના પાકા RCC રસ્તો બનાવી દેવામાં આવ્યો છે. એટલું જ નહીંબિલ્ડરો દ્વારા કેટલાંક અન્ય પ્રકારના દબાણો ઉભા કરી સરકારી ગૌચારણમાં ગેરકાયદેસર કબજા ટક કરી બેઠા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કેઅંદાડા ગામને નેશનલ હાઈવે સાથે જોડતા માર્ગને અડીને આવેલ ગૌચરણમાં હાલમાં બની રહેલ પાકા RCC રસ્તાના કામને તાત્કાલિક અસરથી રોકી દેવા ગ્રામ પંચાયત દ્વારા નોટીસ આપવામાં આવી હતી. તેમ છતાં નોટીસની અવગણના કરીને બિલ્ડરો દ્વારા કામ ચાલુ રાખવામાં આવ્યું છેત્યારે ગુજરાત સરકારના ગૌચર અધિનિયમ અને જોગવાઈઓને ધ્યાનમાં લઈ અંદાડા ગ્રામ પંચાયતના સત્તા ક્ષેત્રમાં આવેલ ગૌચરમાં બિલ્ડરો દ્વારા જેટલા પણ પાકા RCC રસ્તાઓ સહિત દબાણ કરવામાં આવ્યું છે. જેને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ ઉઠી છે.